મોડી રાત્રે દેખાયું આખરી ચંદ્ર ગ્રહણ, 149 વર્ષ બાદ બન્યો આ દુર્લભ સંયોગ
મોડી રાત્રે દેખાયું આખરી ચંદ્ર ગ્રહણ, 149 વર્ષ બાદ બન્યો આ દુર્લભ સંયોગ
નવી દિલ્હીઃ દેશભરના કેટલાય ભાગોમાં ગત રાત્રે 4.30 વાગ્યા સુધી ચંદ્રગ્રહણ રહ્યું, આ ગ્રહણ આંશિક હું, જેને વિવિધ શહેરોમાં જોવામાં આવ્યું. જણાવી દઈએ કે આ વર્ષનું બીજું અને આખરી ચંદ્રગ્રહણ હતું. ચંદ્ર ગ્રહણનો સૂતક ગ્રહણથી 9 કલાક એટલે કે સાંજે 4.30 વાગ્યે શરૂ થયો હતો. ગ્રહણ માત્ર ભારત જ નહિ બલકે ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, યૂરોપ, ઉત્તરી અને દક્ષિણી અમેરિકામાં પણ જોવા મળ્યું હતું. ગ્રહણ સમાપ્ત થયા બાદ દેશના તમામ મંદિરોના કપાટ ખુલ્યા.
બીજું ગ્રહણ
આ વર્ષનું આ બીજું આંશિક ચંદ્ર ગ્રહણ રાત્રે 1.31 વાગ્યે શરૂ થયું, જે આજે સાંજ પહેલા ખતમ થઈ જશે. ચંદ્ર ગ્રહણ સંપૂર્ણ રીતે આજે રાત્રે 3 વાગ્યે જોવા મળ્યું, આ સમયે આકાશમાં એવું દેખાઈ રહ્યું હતું કે જાણે ચાંદના એક ટુકડાને કોઈએ કાપી મૂક્યો હોય. જણાવી દઈએ કે ચંદ્ર ગ્રહણ એવા સમયે થાય છે જ્યારે ચાંદ ધરથીથી સીધો પસાર થાય છે અને તેનો પડછાયો ધરતી પર પડે છે. આ ત્યારે જ થાય છે જ્યારે સૂર્યો, ધરતી અને ચંદ્ર એકબીજાની એકદમ નજીક હોય છે અને ધરતી ચાંદ અને સૂર્યની વચ્ચે આવી જાય છે.
ક્યારે હશે ગ્રહણ
ઉલ્લેખનીય છે કે આંશિક ચંદ્ર ગ્હણ ત્યારે જ થાય છે જ્યારે પૂર્ણિમા હોય છે, એટલે કે ચાંદો સંપૂર્ણ રીતે દેખાય છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન ધરતીનો પડછાયો ચાંદના એક ભાગ પર પડે છે, જેના કારણે ચાંદ પર કાળા રંગનો ડાઘ જોવા મળે છે. ચંદ્ર ગ્રહણ એ ખગોળિય સ્થિતિ છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમા એક સરળ રેખામાં હોય છે આ જ્યામિતીય પ્રતિબંધના કારણે ચંદ્ર ગ્રહણ માત્ર પૂર્ણિમાના દિવસે જ ઘટિત થઈ શકે છે. ગ્રહણનો શાબ્દિક અર્થ હોય છે, ગ્રાહ્ય, અંગીકાર, સ્વીકાર, ધારણ અથવા પ્રાપ્ત કરવું. જેથી આધ્યાત્મિક માન્યતાઓ ગ્રહણ કાળમાં જપ, તપ, ઉપાસના, સાધના, ધ્યાન અને ભજનનો નિર્દેશ આપે છે. આંશિક ચંદ્ર ગ્રહણને દિલ્હીમાં રાત્રે 1.31 વાગ્યે જોવામાં આવ્યું.
|
શું છે હિંદુ માન્યતા
હિંદુ માન્યતા મુજબ ચંદ્ર ગ્રહણ દરમિયાન કોઈપણ રીતનું પવિત્ર કામ ન કરી શકાય છે અને શુભ કામની શરૂઆત ન કરવી જોઈએ. પરંપરા મુજબ દેશના કેટલાય પ્રસિદ્ધ મંદિરોને ચંદ્ર ગ્રહણને કારણે કેટલાય પ્રસિદ્ધ મંદિરોને ચંદ્ર ગ્રહણને કારણે બંધ કરી દેવામાં આવ્યા હતા. લોકોને નિર્દેશ આપવામાં આવયો હતો કે તેઓ ગ્રહણ પહેલા અથવા પછી જ પૂજા કરે. એટલું જ નહિ લોકોને એમ પણ સલાહ આપવામાં આવી હતી કે તેઓ ગ્રહણની પહેલા કે ગ્રહણ બાદ જ સ્નાન કરે. આ દરમિયાન લોકોને ખાવા કે ખાવાનું બનાવવા માટે પણ ના પાડવામાં આવી હતી.
કર્ણાટકઃ 15 બાગી ધારાસભ્યો પર સુપ્રીમ કોર્ટ આજે સંભળાવી શકે છે ચુકાદો