ભારતમાં દોડે છે દુનિયાની એકમાત્ર ટિકીટ વગરની ટ્રેન, જાણો ક્યાં રાજ્યમાં ચાલે છે આ ટ્રેન?
ભારતમાં ટ્રેન મુસાફરી માટે મહત્વનું માધ્યમ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ટ્રેનની ચોક્કસ રૂપિયાની ટિકીટ ખરીદવી પડે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં એક ટ્રેનમાં તમે મફત મુસાફરી કરી શકો છો.
ભારતમાં દરરોજ 12 હજારથી વધુ ટ્રેનો દોડે છે. આમાંથી એક ટ્રેન મફતમાં મુસાફરી કરાવે છે. આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે તમારે એક પણ રૂપિયો ચુકવવી પડતી નથી.

આ ટ્રેનનું નામ ભાંગડા-નાંગલ ટ્રેન છે અને તે પંજાબ અને હિમાચલ પ્રદેશની બોર્ડર પર ચાલે છે. આ ટ્રેન ભાખરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડ દ્વારા નાંગલ અને ભાખરા વચ્ચે ચલાવવામાં આવે છે.
અહીં દુનિયાભરમાંથી લોકો ડેમને જોવા આવે છે અને આ ટ્રેનમાં મફત મુસાફરીનો આનંદ માણે છે. ભારતીય રેલવેની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ ટ્રેનની શરૂઆત વર્ષ 1948માં થઈ હતી.
જણાવી દઈએ કે, તે સમયે ભાખરા નાંગલ ડેમનું નિર્માણ થઈ રહ્યું હતું. આ ટ્રેન શરૂ કરવાની જરૂરિયાત એટલા માટે અનુભવાઈ હતી કારણ કે જ્યારે ભાખરા અને નાંગલ ડેમ તૈયાર કરવામાં આવ્યો ત્યારે કોઈ પરિવહન સુવિધા નહોતી.
આવી સ્થિતિમાં ડેમ બનાવવા માટે વિશાળ સાધનો અને મશીનોની જરૂર હતી અને તેને રેલ્વે દ્વારા અહીં પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું. ત્યારથી આ ટ્રેન દોડી રહી છે.
શરૂ થઈ ત્યારથી આજ સુધી 1948માં શરૂ થયેલી આ ટ્રેનમાં અનેક મુસાફરો મુસાફરી કરે છે. પહેલા મુસાફરોની સંખ્યા ઓછી હતી પરંતુ હવે તેમાં દરરોજ 800 થી વધુ મુસાફરો મુસાફરી કરે છે.
આ ટ્રેન શિવાલિકા પહાડીઓ થઈને તેના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે લગભગ 13 કિલોમીટરનું અંતર કાપે છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
