'કોંગ્રેસ દા ઢાબા' પર મળે છે માત્ર 12 રૂપિયાની થાળી!
તાજેતરમાં કોંગ્રેસી નેતા અને અભિનેતા રાજ બબ્બર દ્વારા ભોજનને લઇને એક જોરદાર ટિપ્પણી કરવામાં આવી જેને લઇને દેશના રાજકણમાં ગરમાવો આવી ગયો. રાજ બબ્બરે પાર્ટીની એક સભામાં જણાવ્યું હતું કે ગરીબો મુંબઇમાં માત્ર 12 રૂપિયામાં પેટ ભરીને જમવાનું મેળવી શકે છે. માત્ર 12 રૂપિયામાં ખૂબ બધા ભાત, દાળ, શાક, અને રોટલી તેમજ વડાપાઉં વગેરે મળી રહે છે.
રાજ બબ્બરના આ બાલીશ નિવેદન બાદ વિરોધીઓએ તેમનો જોરદાર વિરોધ કર્યો અને હાસી પણ ઉડાવી. રાજ બબ્બરના ઘરની બહાર ભાજપી કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા. જોકે રાજ બબ્બર દ્વારા બાદમાં આ અંગે માફી માગી લેવાતા મામલો થાળે પડ્યો હતો.
મનોજ કુરીલ દ્વારા આવા ઘણા મુદ્દાઓને કેન્દ્રમાં રાખી કટાક્ષ કરતા કાર્ટૂન બનાવ્યા છે. જે અત્રે પ્રસ્તુત છે.
કોંગ્રેસ દા ઢાબા
કોંગ્રેસના આ ઢાબા પર મળે 12 રૂપિયામાં પેટ ભરીને જમવાનું.
કોંગ્રેસનો હાથ, ઇન્ડિયન મુઝાહિદ્દીનની સાથે
શકીલ અહેમદે જણાવ્યું હતું ગુજરાતના રમખાણો બાદ ઇન્ડિયન મુઝાહિદ્દીનનો જન્મ થયો હતો.
યુપીએ સરકારની સેવા
યુપીએ સરકારની ગરીબોને કેવી રીતે પહોંચે છે મદદ.
દિગ્વિજય સિંહ
દિગ્વિજયસિંહે કહ્યું કે નરેન્દ્ર મોદીનો હાથ છે બોદગયા બ્લાસ્ટમાં....
મિત્રતાની ભારે રકમ!
મિત્રતાની ભારે રકમ, એઇફડીઆઇની સામે સીબીઆઇની ક્લિન ચિટ.
માણસો કરતા પપ્પી વધારે મહત્વ
ગંદા રાજકારણમાં એક બાજું મીડ ડે મીલની ઘટનામાં મરેલા બાળકોની ચિંતા કર્યા વગર કોંગી નેતાઓ મોદીના પપ્પીવાળા સ્ટેટમેન્ટ પર નિવેદન કરી રહ્યા હતા.