આ રેલ્વે સ્ટેશનથી કોઈ ટ્રાવેલ નથી કરતુ તો પણ ટિકિટ વેચાય છે, જાણા ક્યાં આવેલુ છે આ સ્ટેશન?
ભારતીય રેલ્વે દેશની લાઈફલાઈન કહેવાય છે. એક અંદાજ મુજબ એવુ કહેવાય છે કે ભારતમાં દરેક સમયે 5 થી 7 કરોડ લોકો રેલ્વેમાં ટ્રાવેલ કરતા રહે છે. આ સ્થિતીમાં ભારતમાં એક એવુ સ્ટેશન આવેલુ છે જ્યાં લોકો ટ્રેનમાં ટ્રાવેલ કર્યા વગર પણ ટિકિટ ખરીદી રહ્યા છે.
ભારતમાં જ આવેલુ આ રેલવે સ્ટેશન તેની હિસ્ટ્રીને લઈને પણ ચર્ચામાં રહ્યું છે. અહીં લોકો ટિકિટ ખરીદે છે પરંતુ મુસાફરી કરતા નથી. આવુ કરવા પાછળ એક ખાસ કારણ છે.

ભારતનું આ વિચિત્ર રેલવે સ્ટેશન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આવેલુ છે. અહીં લોકો ટિકિટ ખરીદે છે પરંતુ મુસાફરી કરતા નથી. દયાલપુર રેલ્વે સ્ટેશન ત્યાંના લોકોને કારણે ચર્ચામાં રહે છે. 1954 માં બનાવવામાં આવેલુ આ રેલવે સ્ટેશન લોકો માટે મોટી રાહતનું સાધન હતુ.
રેક સ્ટેશનની જેમ ત્યાં પણ ટ્રેન ઉભી રહેતી. આગળ જતા 50 વર્ષ પછી રેલવેએ આ સ્ટેશનને બંધ કરી દીધુ. ત્યારબાદ 2006માં સ્થાનિકોએ સ્ટેશનને ફરીથી શરૂ કરવાની માંગ કરી અને 2020 માં રેલવેએ તે સ્ટેશનને ફરીથી શરૂ કરાયુ.
બીજી તરફ રેલવેના નિયમો અનુસાર, જો કોઈ સ્ટેશન પર લાંબા સમય સુધી 50 થી ઓછી ટિકિટનું વેચાણ થાય છે તો તે સ્ટેશનને બંધ કરી દેવામાં આવે છે. આ સ્ટેશન 2006 માં આ જ કારણોસર બંધ કરવામાં આવ્યું હતું.
હવે આ સ્ટેશન ફરીથી બંધ ન થાય તે માટે નજીક રહેતા લોકો દરરોજ ટિકિટ ખરીદે છે અને મુસાફરી કરતા નથી. તેમના આ પ્રયાસની આજે ખૂબ ચર્ચા છે. આ જ કારણ છે કે આજે સ્ટેશન કાર્યરત છે. અને હંમેશની જેમ ટ્રેન ત્યાં જ ઉભી રહે છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
