Vijay Diwas: જ્યારે જનરલ માણેકશાએ પાકિસ્તાનનને ઘૂંટણીએ બેસાડી દીધું
Vijay Diwas: જ્યારે જનરલ માણેકશાએ પાકિસ્તાનનને ઘૂંટણીએ બેસાડી દીધું
Vijay Diwas: વર્ષ 1971ના યુદ્ધમાં ભારત આગળ પાકિસ્તાને પરાસ્ત થવાનો વારો આવ્યો હતો. આજના જ દિવસે એટલે કે 16 ડિસેમ્બર 1971ના રોજ ભારતે પાકિસ્તાન પર વિરાટ જીત હાંસલ કરી હતી. આ યુદ્ધના અંત બાદ 93000 પાકિસ્તાની સેનાએ ભારતની આખી ફોજનો સામે આત્મસમર્પણ કરી દીધું હતું, જે બાદ જ પૂર્વી પાકિસ્તાન આઝાદ થઈ ગયું હતું, જે આજે બાંગ્લાદેશના નામે ઓળખાય છે. જ્યાં આ દિવસ ભારતમાં વિજય દિવસનો પ્રતિક છે ત્યાં બીજી તરફ બાંગ્લાદેશમાં આ દિવસ વિક્ટ્રી ડેના રૂપમાં મનાવવામાં આવે છે.

સૈમના નેતૃત્વમાં ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ જીત્યું હતું
જણાવી દઈએ કે આ વિરાટ જીતના અસલી હીરો હતા ફીલ્ડ માર્શલ સૈમ માણેકશા. તેમની ગણતરી એવા લોકોમાં થતી હતી જેઓ પોતાના ફેસલા ખુદ લેતા હતા, તેઓ કોઈના દબાણમાં આવીને નિર્ણય પણ નહોતા લેતા અને કામ પણ નહોતા કરતા. જણાવવામાં આવે છે કે બાંગ્લાદેશને પાકિસ્તાનના શિકંજામાંથી આઝાદ કરાવવા માટે જ્યારે 1971માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ સૈન્ય કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું ત્યારે માણેશાએ તેમના ફેસલાને માનવાનો ઈનકાર કરી દીધો હતો, જે બાદ તેમણે ખુદ આ યુદ્ધની રૂપરેખા તૈયાર કરી હતી.

પીએમ ઈન્દિરા ગાંધીની વાત પણ ના માની
આ વિશે ખુદ સૈમ માણેકશાએ જ એક ઈન્ટર્વ્યૂમાં ખુલાસો કરતા કહ્યું હતું કે, મેં પીએમ ઈન્દિરા ગાંધીની વાત માનવાનો ઈનકાર કર્યો હતો કેમ કે એ સમયે અમારી સેના યુદ્ધ માટે તૈયાર નહોતી. આપણા પીએમ ઈન્દિરા ગાંધીએ મારી વાત સમજી હતી અને પછી મને મારી રીતે રૂપરેખા તૈયાર કરવાની આઝાદી આપી દીધી હતી, જે બાદ હું સ્વતંત્રતા પૂર્વક મારું કામ કરી શક્યો.

નીલગિરીની પહાડીઓ પર ઘર બનાવ્યું
જણાવી દઈએ કે રિટાયરમેન્ટ બાદ માણેકશાએ નીલગિરીની પહાડીઓની વચ્ચે વેલિંગટનમાં પોતાનું ઘર બનાવ્યું હતું અને જીવનના અંતિમ દિવસો સુધી ત્યાં જ રહ્યા.
સૈમ બહાદુર કહેવાતા હતા સૈમ માણેકશા
ઉલ્લેખનીય છે કે વર્ષ 1914માં પંજાબના અમૃતસરમાં જન્મેલા સૈમ માણેકશા બીજા વિશ્વયુદ્ધના પણ ભાગ હતા, તેમણે પોતાના જીવનના 40 વર્ષ સેનાને આપ્યાં. તેમણે પોતાના કરિયરની શરૂઆત બ્રિટિશ આર્મી સાથે કરી હતી. વર્ષ 1971માં ભારતને જીત અપાવ્યા બાદ તેમને જાન્યુઆરી 1973માં ફીલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા હતા, આવું સન્માન મેળવનાર તેઓ ઈન્ડિયાના પહેલા જનરલ હતા. તેમની બહાદુરીને કારણે તેમને સૈમ બહાદુર તરીકે સંબોધવામાં આવતા હતા. તેમને પદ્મવિભૂષણ, પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શું થયું હતું એ દિવસે
3 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની વાયુસેનાના વિમાનોએ ભારતીય વાયુસીમા પાર કરી પટાણકોટ, શ્રીનગર, અમૃસર, જોધપુર, આગરા વગેરે સૈનિક હવાઈ અડ્ડા પર બોમ્બમારો શરૂ કરી દીધો. ઈન્દિરા ગાંધીએ એ સમયે જ આક્રમણ કરવાનો આદેશ આપી દીધો, જે બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનીઓના દાંત ખાટ્ટા કરી દીધા હતા.

ઢાકા પર બોમ્બ ફેંક્યો અને પાકિસ્તાને હાર માની લીધી
ઈન્ડિયન આર્મીએ ખુલના અને ચટગાંવ પર કબ્જો જમાવી લીધો હતો પરંતુ ઢાકા પર કબ્જો કરવાનો લક્ષ્ય ભારતીય સેના સામે રાખવામાં જ નહોતો આવ્યો પરંતુ 14 ડિસેમ્બરે ભારતીય સેનાએ એક ગુપ્ત સંદેશ પકડ્યો કે બપોરે અગ્યાર વાગ્યે ઢાકાના ગવર્નમેન્ટ હાઉસમાં એક મહત્વપૂર્ણ બેઠક થનાર છે, જેમાં પાકિસ્તાની પ્રશાસનના વડા અધિકારીઓ ભાગ લેશે. ભારતીય સેનાએ એ ભવન પર જ બોમ્બમારો કરવાનો નિર્ણય લઈ લીધો.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી






Click it and Unblock the Notifications
