મતદાન બાદ કોઈ ઉમેદવાર પાર્ટી બદલે તો શું કાર્યવાહી થાય? જાણો શું કહે છે નિયમો?
ભારતમાં નેતાઓ માટે પાર્ટી બદલવી એ રમત વાત છે. ઘણા નેતાઓ એવા પણ છે જે સવારે બીજી પાર્ટીમાં અને સાંજે બીજી પાર્ટીમાં હોય છે.
જણાવી દઈએ કે ભારતમાં પાર્ટી બદલનારા નેતાઓ માટે ખાસ નિયમો છે. આવુ કરનારા નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી થાય છે. આજે આપણે એ જાણવાના છીએ કે મતદાન બાદ રિઝલ્ટ પહેલા નેતા પાર્ટી બદલે તો શું કાર્યવાહી થાય?

ભારતમાં પક્ષપલટા વિરોધી કાયદો 1985માં અમલમાં આવ્યો છે. આનો હેતુ નેતાઓ અને પ્રતિનિધિઓને અંગત લાભ માટે પક્ષ બદલવાથી અટકાવવાનો છે.
આ કાયદા હેઠળ જો કોઈ સાંસદ કે ધારાસભ્ય પોતાનો પક્ષ છોડીને બીજી પાર્ટીમાં જોડાય તો તેણે પોતાનું સભ્યપદ ગુમાવવું પડે છે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો હતો કે કોઈ પણ જનપ્રતિનિધિ ચૂંટાયા પછી પક્ષ બદલવાની સ્વતંત્રતા ન રહે, આ તેમના ચૂંટણી વચનો અને જનતાના વિશ્વાસની વિરુદ્ધ છે.
ચૂંટણી પછી ઉમેદવાર પક્ષ બદલે છે તો સીટ ગુમાવવી પડી શકે છે. તે ચૂંટાયેલા પ્રતિનિધિ છે તો તેને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ આરોપી ગણવામાં આવે છે. આ નિયમમાં કેટલાક અપવાદો છે. જો કોઈ સાંસદ અથવા ધારાસભ્યના પક્ષના એક તૃતીયાંશ સભ્યો પક્ષ છોડે તો તે કાર્યવાહી ટાળી શકે છે.
જો કોઈ સાંસદ અથવા ધારાસભ્યને પક્ષમાં કોઈ ગંભીર મતભેદ હોય તો તે અમુક શરતો હેઠળ પક્ષ બદલી શકે છે, પરંતુ આ પ્રક્રિયા ન્યાયિક સમીક્ષાને આધીન છે.
આ સિવાય કોઈ ચૂંટાયેલ પ્રતિનિધિ પક્ષ બદલે છે કે તેને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે છે અને તેની સદસ્યતા સમાપ્ત થઈ શકે છે. આ પછી તે બેઠક પર નવી ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય છે અને પેટાચૂંટણી હાથ ધરવામાં આવે છે. આ પગલું એ સુનિશ્ચિત કરે છે કે ઉમેદવાર માત્ર તેના અંગત હિતોને લીધે પક્ષ ન બદલી શકે અને જનતાનો વિશ્વાસ ન તોડે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
