મતદાન બાદ કોઈ ઉમેદવાર પાર્ટી બદલે તો શું કાર્યવાહી થાય? જાણો શું કહે છે નિયમો?
ભારતમાં નેતાઓ માટે પાર્ટી બદલવી એ રમત વાત છે. ઘણા નેતાઓ એવા પણ છે જે સવારે બીજી પાર્ટીમાં અને સાંજે બીજી પાર્ટીમાં હોય છે.
જણાવી દઈએ કે ભારતમાં પાર્ટી બદલનારા નેતાઓ માટે ખાસ નિયમો છે. આવુ કરનારા નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી થાય છે. આજે આપણે એ જાણવાના છીએ કે મતદાન બાદ રિઝલ્ટ પહેલા નેતા પાર્ટી બદલે તો શું કાર્યવાહી થાય?

ભારતમાં પક્ષપલટા વિરોધી કાયદો 1985માં અમલમાં આવ્યો છે. આનો હેતુ નેતાઓ અને પ્રતિનિધિઓને અંગત લાભ માટે પક્ષ બદલવાથી અટકાવવાનો છે.
આ કાયદા હેઠળ જો કોઈ સાંસદ કે ધારાસભ્ય પોતાનો પક્ષ છોડીને બીજી પાર્ટીમાં જોડાય તો તેણે પોતાનું સભ્યપદ ગુમાવવું પડે છે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો હતો કે કોઈ પણ જનપ્રતિનિધિ ચૂંટાયા પછી પક્ષ બદલવાની સ્વતંત્રતા ન રહે, આ તેમના ચૂંટણી વચનો અને જનતાના વિશ્વાસની વિરુદ્ધ છે.
ચૂંટણી પછી ઉમેદવાર પક્ષ બદલે છે તો સીટ ગુમાવવી પડી શકે છે. તે ચૂંટાયેલા પ્રતિનિધિ છે તો તેને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ આરોપી ગણવામાં આવે છે. આ નિયમમાં કેટલાક અપવાદો છે. જો કોઈ સાંસદ અથવા ધારાસભ્યના પક્ષના એક તૃતીયાંશ સભ્યો પક્ષ છોડે તો તે કાર્યવાહી ટાળી શકે છે.
જો કોઈ સાંસદ અથવા ધારાસભ્યને પક્ષમાં કોઈ ગંભીર મતભેદ હોય તો તે અમુક શરતો હેઠળ પક્ષ બદલી શકે છે, પરંતુ આ પ્રક્રિયા ન્યાયિક સમીક્ષાને આધીન છે.
આ સિવાય કોઈ ચૂંટાયેલ પ્રતિનિધિ પક્ષ બદલે છે કે તેને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે છે અને તેની સદસ્યતા સમાપ્ત થઈ શકે છે. આ પછી તે બેઠક પર નવી ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય છે અને પેટાચૂંટણી હાથ ધરવામાં આવે છે. આ પગલું એ સુનિશ્ચિત કરે છે કે ઉમેદવાર માત્ર તેના અંગત હિતોને લીધે પક્ષ ન બદલી શકે અને જનતાનો વિશ્વાસ ન તોડે.












Click it and Unblock the Notifications
