ખાલિસ્તાન એટલે શું? જાણો ક્યાંથી અને કેવી રીતે શરૂ થઈ પુરી બબાલ?
આ દિવસોમાં ખાલિસ્તાનને કારણે ભારત અને કેનેડાના સંબંધોમાં મોટી તકરાર જોવા મળી રહી છે. એક તરફ ભારત કેનેડા પર ખાલિસ્તાનને સપોર્ટ કરવાનો આરોપ લગાવી રહ્યું છે તો બીજી તરફ કેનેડા ભારત પર તેના નાગરીકની હત્યાનો આરોપ લગાવી રહ્યું છે.
આ સ્થિતીમાં એ જાણવુ જરૂરી છે કે આખરે આ ખાલિસ્તાન છે શું છે અને તેનો મતલબ શું થાય? આ પુરી બબાલ ત્યાંથી શરૂ થઈ અને કેવી રીતે હજુ પણ ચાલી રહી છે?

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓનો હાથ હોઈ શકે છે. આ પછી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે.
આ દરમિયાન ખાલિસ્તાન પ્રત્યે લોકોની રુચિ પણ વધી છે અને આ ચળવળ શું છે અને કેવી રીતે શરૂ થયું તે જાણવા માટે ગુગલની મદદ લઈ રહ્યા છે. આ સ્થિતીમાં આજે ખાલિસ્તાન સાથેના તમામ સવાલોના જવાબ અમે તમને આપીશુ.
ભારતમાં ખાલિસ્તાનના મૂળિયા ઉખડી ગયા છે ત્યારે હવે વિદેશમાં બેઠેલા કેટલાક લોકો તેની આડમાં અનેક પ્રકારની હિલચાલ કરી રહ્યા છે. તે સતત ભારત વિરુદ્ધ નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે. ખાલિસ્તાન વાસ્તવમાં ભારતથી અલગ દેશ બનાવવાની માંગ છે. પંજાબને ભારતથી અલગ કરવાની ચળવળને ખાલિસ્તાન ચળવળ નામ આપવામાં આવ્યું છે.
ખાલિસ્તાન અરબી શબ્દ ખાલિસ પરથી ઉતરી આવ્યો છે. ખાલિસ્તાન એટલે ખાલસાની જમીન. એટલે કે જ્યાં માત્ર શીખો રહે. આ શબ્દનો પ્રથમ વખત ઉપયોગ 1940માં કરવામાં આવ્યો હતો. ડૉ. વીર સિંહ ભાટીએ લાહોર ઘોષણાના જવાબમાં એક પત્રિકા પ્રકાશિત કરી હતી.
એવું નથી કે અલગ દેશ બનાવવાની માંગ પહેલા નથી ઉઠી. પરંતુ શીખો માટે અલગ દેશની માંગ 1929 થી ઉઠી રહી હતી. કોંગ્રેસના અધિવેશનમાં માસ્ટર તારા સિંહે આ માંગ ઉઠાવી હતી.
પછી 70ના દાયકામાં ચરણ સિંહ પંક્ષી અને ડૉ. જગદિત સિંહ ચૌહાણના નેતૃત્વમાં ખાલિસ્તાનની માંગે ઉગ્ર સ્વરૂપ પકડ્યુ. 1980માં આ માટે ખાલિસ્તાન નેશનલ કાઉન્સિલની રચના કરવામાં આવી. આ પછી પંજાબના કેટલાક યુવાનોએ દલ ખાલસા નામનું સંગઠન બનાવ્યું અને ભિંડરાવાલે પણ આ આંદોલનમાંથી ચહેરો બન્યો.
આતંકવાદીઓને ખતમ કરવા માટે 1984માં અમૃતસરના સુવર્ણ મંદિરમાં ઓપરેશન બ્લુ સ્ટાર હાથ ધરવામાં આવ્યું હતું. આ પછી ભારતમાંથી ખાલિસ્તાની ચળવળના મૂળ ઉખડતા ગયા. હવે પંજાબમાં તેનો કોઈ જનાધાર નથી ત્યારે અમેરિકા, કેનેડા અને બ્રિટન સહિત ઘણા દેશોમાં ખાલિસ્તાન સમર્થકો ભારતનો વિરોધ કરતા રહે છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
