કોણ છે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ? ઈઝરાયેલ પર ઈરાનના હુમલા બાદ કેમ ચર્ચામાં છે?
હાલ મીડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સૈન્ય કાર્યવાહીની ચર્ચા થઈ રહી છે. ઈરાનના હુમલા વચ્ચે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ પણ ચર્ચામાં છે.
ઈઝરાયેલે ગયા અઠવાડિયે સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાની વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કર્યો ત્યારે બે જનરલ સહિત 13 ઈરાની અધિકારીઓ માર્યા ગયા હતા.

આ હુમલા બાદ જ ઈરાને ઈઝરાયેલ પર હુમલો કરવાની જાહેરાત કરી હતી. આ તમામ સૈન્ય અધિકારીઓ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના હતા.
શનિવારે રાત્રે ઈરાને પ્રથમ વખત ઈઝરાયેલ સામે તેની ધરતી પરથી 300 થી વધુ મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા. માનવામાં આવે છે કે ઇઝરાયેલ પર આ જવાબી હુમલો ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ દ્વારા કરવામાં આવ્યો છે.
સીરિયામાં થયેલા હુમલા પછી, IRGCએ કહ્યું હતું કે ડ્રોન અને મિસાઇલોના વરસાદથી ઇઝરાયલ વિરુદ્ધ તેના તમામ ઉદ્દેશ્યો હાંસલ થયા છે. ઈરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ બાગેરીએ સરકારી ટીવીને જણાવ્યું કે ઓપરેશન ઓનેસ્ટ પ્રોમિસ. ગઈ રાતથી આજ સવાર સુધી સફળતાપૂર્વક પૂર્ણ થયું અને તેના તમામ ઉદ્દેશ્યો હાંસલ કર્યા છે.
ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ શું છે?
ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સને સિપાહી-એ પાસદારન તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની સ્થાપના 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી કરવામાં આવી હતી. આ ઈરાનની પરંપરાગત સશસ્ત્ર દળોની જેમ નથી. તેને ઈરાનની સેના સમજવાની ભૂલ ન કરવી જોઈએ.
ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની જવાબદારી આંતરિક અને બાહ્ય જોખમો સામે ઇસ્લામિક રિપબ્લિકનો બચાવ કરવાની છે અને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીને સીધો જવાબ આપે છે. વર્ષોથી તે ઈરાનના સ્થાનિક અને વિદેશી રાજકારણમાં તે પ્રભાવશાળી છે.
IRGC પાસે લગભગ 190,000 સક્રિય કર્મચારીઓ છે, જેમાં સેનાના ત્રણેય એકમો, આર્મી, નેવી અને એર યુનિટનો સમાવેશ થાય છે. તે ઇરાનની ઇસ્લામિક શાસક સ્થાપનાને વફાદાર અર્ધલશ્કરી દળ, બાસીજ ધાર્મિક લશ્કરને પણ આદેશ આપે છે, જેનો ઉપયોગ ઘણીવાર સરકાર વિરોધી વિરોધને કચડી નાખવા માટે થાય છે.
વર્ષ 2019 માં યુનાઇટેડ સ્ટેટ્સે IRGCને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. તે હિઝબુલ્લા સહિત સીરિયામાં ઘણા આતંકવાદી સંગઠનો બનાવવા માટે જવાબદાર છે.
IRGC ની સ્થાપના રાજા મોહમ્મદ રેઝા પહલવીના પતન પછી તરત જ કરવામાં આવી હતી, કારણ કે ડાબેરી અને રાષ્ટ્રવાદી ક્રાંતિકારીઓ દેશને પ્રજાસત્તાક દિશામાં ખસેડવા માંગતા હતા.
પરંતુ શાસક મૌલવીઓએ લોકશાહીને દબાવી દીધી અને 1979ની ક્રાંતિ અને તેની સિદ્ધિઓને બચાવવા માટે તેમની પોતાની વૈચારિક લશ્કરી પાંખ IRGC ની રચના કરી.
સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના અહેવાલ અનુસાર, આનો અર્થ એ છે કે ક્રાંતિકારી શાસન અને તેની નીતિઓનો બચાવ કરવા માટે IRGCને બંધારણીય રીતે કાયદેસર અસ્તિત્વ અને રાજકીય દ્રશ્યમાં જોડાવાનો કાનૂની અધિકાર આપવામાં આવ્યો.
ઈરાનના સ્થાપક સર્વોચ્ચ નેતા આયાતુલ્લા રૂહોલ્લાહ ખોમેનીએ IRGCને ઈસ્લામના સૈનિકો તરીકે વર્ણવ્યું હતું. જૂથની સ્થાપના કર્યા પછી તેણે પાસદારનને કહ્યું કે, તમે જ્યાં પણ હોવ, તમારી અંદર અને તમારી આસપાસના બધા શેતાનોથી તમારી જાતને બચાવો.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ









Click it and Unblock the Notifications
