શપથ ગ્રહણ સમારોહ દરમિયાન કેવી પ્રક્રિયા હાથ ધરાય છે? જાણો શપથ દરમિયાન ઈશ્વરને કેમ યાદ કરાય છે?
મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ સાથે તે રાજ્યના 31માં અને પોતે ત્રીજી વખત રાજ્યના સીએમ બન્યા છે.
શપથ ગ્રહણ સમારોહની વાત આવે એટલે સામાન્ય રીતે તમારી નજરમાં એક દ્રશ્ય આવે જેમાં મુખ્યમંત્રી કે મંત્રી શપથપત્ર વાંચતા હોય છે. જો કે તમને જણાવી દઈએ કે, આમાં તેના સિવાય ઘણાી પ્રક્રિયાને અનુસરવામાં આવે છે.

કોઈપણ રાજ્યમાં સરકાર બનાવતા પહેલા રાજ્યપાલ નવા મુખ્યમંત્રીને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવે છે. આ પછી નાયબ મુખ્યમંત્રી શપથ લે છે. ત્યારબાદ મંત્રીઓને શપથ લેવડાવાય છે.
પદ અને ગુપ્તતાના શપથ લીધા પછી મુખ્યમંત્રી બંધારણીય પરિપત્ર પર હસ્તાક્ષર કરે છે, જે રાજ્યપાલ દ્વારા સચવાય છે. દેશના લોકતાંત્રિક વ્યવસ્થાના આ બંધારણીય દસ્તાવેજને હંમેશા સુરક્ષિત રાખવામાં આવે છે.
કોઈ ધારાસભ્ય મુખ્યમંત્રી પદના શપથ લેે તેમણે કેટલીક વાતો અનુસરવી પડે છે. તેમાં કહેવાય છે કે હું ઈશ્વરને સાક્ષી માનીને શપથ લઉ છું કે હું કાયદા દ્વારા સ્થાપિત ભારતના બંધારણમાં સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ. હું ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાને અકબંધ રાખીશ. હું મુખ્યમંત્રી તરીકે મારી ફરજો નિષ્ઠાપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક નિભાવીશ અને હું બંધારણ અને કાયદા અનુસાર તમામ વર્ગના લોકોને ડર કે તરફેણ, સ્નેહ કે ખરાબ ઇચ્છા વિના ન્યાય આપીશ.
આ સિવાય ગોપનિયતાના શપથ પણ લેવડાવવામાં આવે છે. તેમાં મંત્રી કે મુખ્યમંત્રી કહે છે કે હું ભગવાનના નામે શપથ લઉં છું. પ્રતિજ્ઞાપૂર્વક ખાતરી આપું છું કે હું કોઈ પણ વ્યક્તિને પ્રત્યક્ષ કે આડકતરી રીતે એવી કોઈ પણ બાબત કહીશ નહીં કે જાહેર કરીશ નહીં કે જે રાજ્યના રાજ્ય મંત્રી તરીકે મારી વિચારણા હેઠળ લાવવામાં આવશે અથવા મને જણાવવામાં આવશે, સિવાય કે આવા મંત્રી મારી ફરજો યોગ્ય રીતે નિભાવવા માટે આમ કરવું જરૂરી છે.
ભારતીય બંધારણ અનુસાર, શપથ લેતી વખતે ભગવાનનું નામ લેવું ફરજિયાત નથી. ભારતીય બંધારણની કલમ 60 મુજબ ભગવાનના શપથ લેવા જરૂરી નથી. દેશમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યારે શપથ લેતી વખતે ભગવાનનું નામ લેવામાં આવ્યું નથી.












Click it and Unblock the Notifications
