કોણે કહ્યું કે રાજાશાહી ખતમ થઈ ગઈ? લોકસભા ચૂંટણી લડી રહ્યા છે આ રાજવંશીઓ
આપણે બધા જાણીએ છીએ કે 1947 માં આઝાજી બાદથી દેશમાં રાજાશાહી ખતમ થઈ ગઈ છે. જો કે જમીની હકિકત અલગ છે. આજે પણ ઘણા રાજપી પરિવારના સંતાનો ચૂંટણી લડી રહ્યા છે.
સત્તાધારી બીજેપી રાજવી પરિવારો માટે મનપસંદ સ્થળ બન્યુ છે. આ વખતે ભાજપે રાજવી પરિવારમાંથી આવતા 10 લોકોને ટિકિટ આપી છે.

ભાજપે યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયારને ટિકિટ આપી છે. તે મૈસૂર રાજવંશના છે. તેમના દાદા શ્રીકાંતદત્ત નરસિંહરાજા વાડિયાર 1999 સુધી ચાર વખત કોંગ્રેસના સાંસદ હતા. 2004ની લોકસભા ચૂંટણી હાર્યા બાદ તેમણે રાજકારણ છોડી દીધું. હવે પરિવાર ફરી યદુવીર દ્વારા રાજકારણમાં પ્રવેશી રહ્યો છે.
મહિમા કુમારી વિશ્વરાજ સિંહ મેવાડ રાજપૂતોના ગઢ ગણાતા રાજસમંદથી ભાજપના ઉમેદવાર છે. તે રાજસ્થાનના મેવાડના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. મહિમાના પતિ વિશ્વરાજ સિંહ મેવાડ પહેલાથી જ રાજકારણમાં છે. તેઓ નાથદ્વારાના ધારાસભ્ય છે.
બીજેપી ત્રિપુરા પૂર્વથી કૃતિ સિંહ દેબબરમાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. દેબબર્મા ત્રિપુરાના માણિક્ય શાહી પરિવારમાંથી આવે છે. તે ટીપ્રા મોથા પાર્ટીના નેતા પ્રદ્યોત દેબબર્માની મોટી બહેન છે. ટીએમપી તાજેતરમાં રાજ્યમાં એનડીએ સરકારનો ભાગ બની છે. કવર્ધા રાજવી પરિવારમાંથી આવતા યોગેશ્વર રાજ કૃતિ સિંહના પતિ છે.
ભાજપે પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રા સામે રાજમાતા અમૃતા રોયને મેદાનમાં ઉતાર્યા છે. રોય કૃષ્ણનગરના રાજવી પરિવારમાંથી આવે છે. એ જ રીતે ઓડિશામાં ભાજપે પૂર્વ બીજેડી સાંસદ અર્કા કેશરી દેવની પત્ની માલવિકા કેશરી દેવને મેદાનમાં ઉતાર્યા છે. આ દંપતી 2023માં ભાજપમાં જોડાયું હતું.
પહેલીવાર ચૂંટણી લડી રહેલા ઘણા રાજવીઓ ઉપરાંત કેટલાક એવા પણ છે જેઓ પહેલા પણ લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે અને હવે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેમના પતિ કેપ્ટન અમરિંદર સિંહ ભાજપમાં જોડાયા બાદ પટિયાલાથી કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રનીત કૌર અહીંથી ચૂંટણી લડશે.
ગ્વાલિયરના રાજવી પરિવારના વંશજ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પહેલેથી જ ભાજપમાં છે. રાજ્યસભાના સાંસદ પ્રથમ વખત ભાજપના ઉમેદવાર તરીકે ગુનાથી ચૂંટણી લડી રહ્યા છે.
ઓડિશામાં ભાજપે બોલનગીર સાંસદ સંગીતા કુમારી સિંહ દેવને જાળવી રાખ્યા છે, જે પટનાગઢ-બોલાંગીર રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે.
રાજસ્થાનમાં ઝાલાવાડ-બારણથી ત્રણ વખતના સાંસદ અને બીજેપી નેતા દુષ્યંત સિંહ ફરી એકવાર મેદાનમાં છે. તે ધોલપુરના રાજવી પરિવારમાંથી આવે છે.
છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને ભાજપના રાજ્યસભા સાંસદ ઉદયનરાજે ભોસલે મહારાષ્ટ્રના સતારાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે. ભોસલેએ 2019માં એનસીપીની ટિકિટ પર સીટ જીતી હતી. બાદમાં ભાજપમાં જોડાવા માટે રાજીનામું આપ્યું પરંતુ પેટાચૂંટણી હારી ગયા. ત્યારબાદ તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
