મંદિરમાં ઘંટ કેમ લગાવાય છે? મોટાભાગના લોકો આ હકિકત નથી જાણતા?
તમે મંદિરમાં ભગવાનના દર્શન કરતા પહેલા ઘંટ વગાડતા હશો. જો કે તમે એ નહીં જાણતા હોય કે આવુ કેમ કરવામાં આવે છે? ભારતની આ પ્રાચીન પરંપરાઓ પાછળ ઘણા કારણ છે.
માનવામાં આવે છે કે ઘંટ વગાડવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમારી વાત સાંભળે છે. પરંતુ શું તમે જાણો છો કે મંદિરમાં ઘંટ વગાડવા પાછળ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે.

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ મંદિરની ઘંટડી પાછળ ભૌતિકશાસ્ત્રના નિયમો છે. વૈજ્ઞાનિકોના મતે જ્યારે ઘંટ વગાડવામાં આવે છે ત્યારે તેનો અવાજ વાતાવરણમાં એક મજબૂત કંપન ઉત્પન્ન કરે છે, જે વાતાવરણને કારણે માત્ર આસપાસ જ નહીં પરંતુ લાંબા અંતર સુધી પણ જાય છે.
આનાથી કારણે ફાયદો એ થાય છે કે કંપનની અસરથી પર્યાવરણમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા, વાયરસ અને સૂક્ષ્મ જીવોનો નાશ થાય છે અને આપણી આસપાસનું વાતાવરણ શુદ્ધ બને છે. ઘંટ વગાડવાથી નીકળતો અવાજ સાત સેકન્ડ સુધી ગુંજતો રહે છે.
ઘંટડી આપણા માટે ફાયદાકારક છે, તે શરીરના તમામ સાત ચક્રોને થોડા સમય માટે સક્રિય કરે છે, જે નકારાત્મક વિચારોને દૂર કરે છે અને શરીરને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે.
ઘંટ વગાડવાથી ભગવાનની મૂર્તિઓમાં ચેતના જાગે છે. કહેવામાં આવે છે કે દેવોને ઘંટ અને શંખ વગેરેનો અવાજ ગમે છે. ઘંટ વગાડવાથી, દેવી-દેવતાઓ પૂજા કરનારની પ્રાર્થના ધ્યાનથી સાંભળે છે. જેના કારણે પૂજાની અસર વધે છે. ઘંટ વગાડવાથી તમારી હાજરી દેવતાઓ સમક્ષ સ્થાપિત થાય છે.
સ્કંદ પુરાણ મુજબ ઘંટડીમાંથી નીકળતો ધ્વનિ ઓમ ના અવાજ જેવો જ હોય છે, તેથી એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ મંદિરમાં ઘંટ વગાડે છે ત્યારે તેને ઓમના ઉચ્ચારણથી જે પુણ્ય મળે તેટલુ પુણ્ય મળે છે.












Click it and Unblock the Notifications
