ભારતીય મહિલાઓ બંગડીઓ કેમ પહેરે છે? જાણો ક્યારથી શરૂ થઈ પરંપરા અને શું છે કારણ?
ભારતીય પરિણીત મહિલાઓમાં બંગડીઓ પહેરવાની પરંપરા છે. સદીઓથી ચાલતી આવતી આ પરંપરા ભારતીય મહિલાઓના શોળ સળગારમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
હવે ઘણી મહિલાઓ બંગડીઓને રૂઢિચુસ્ત વિચાર માને છે અને આવી પરંપરાઓ મહિલાઓને પછાત બનાવી રહી હોવાનું કહે છે. આ ચર્ચાઓ વચ્ચે એ જાણવુ જરૂરી છે કે આ પરંપરાઓ પાછળ આખરે તર્ક શું છે?

જાણકારો અનુસાર, બંગડીઓ ભારતીય મહિલાઓના આકર્ષણનું પ્રતિનિધિત્વ કરે છે. બંગડી ઘણા રંગોમાં આવે છે અને ભારતીય પરંપરામાં તેનું વિશેષ મહત્વ છે. લગ્ન પછી બંગડીઓ પહેરવાથી ઘરમાં સારું સ્વાસ્થ્ય, સૌભાગ્ય અને સુખ-સમૃદ્ધિ આવે તેવી માન્યતા છે.
આ સિવાય એક તર્ક એવો પણ અપયા છે કે, બંગડીઓ પહેરવાથી મહિલાઓ પરિણીત બની જાય છે. આવી સ્થિતિમાં તેઓ બંગડીઓ પહેરે છે જેથી તેઓ પરિણીત દેખાય. તેમના વિવિધ રંગો વિવિધ વસ્તુઓનું પ્રતિનિધિત્વ કરે છે.
બંગડીઓ પહેરવા પાછળના વૈજ્ઞાનિક કારણને સમજીએ તો સાયન્સ બિહાઇન્ડ ઈન્ડિયન કલ્ચર અને ઓલ ઈન્ડિયા રાઉન્ડ અપ વેબસાઈટના અહેવાલ અનુસાર, બંગડીઓ પહેરવા પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છે. કાંડા પર બંગડીઓ પહેરવામાં આવે તેના કારણે સતત ઘર્ષણ થાય છે. જેના કારણે રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે.
માનવામાં આવે છે કે કાંડામાં ઘણા એક્યુ-પ્રેશર પોઈન્ટ છે, જેને વારંવાર દબાવવાથી સ્ત્રીઓનું હોર્મોનલ સંતુલન જળવાઈ રહે છે. આ પણ એક કારણ છે કે પહેલાના સમયમાં પુરુષો પણ હાથ પર બંગડીઓ પહેરતા હતા.
કાચની બંગડીઓ એટલા માટે પહેરવામાં આવે છે કે તેની ટક્કરનો અવાજ મહિલાઓથી નકારાત્મક ઉર્જા દૂર રાખે છે. ભારતના ઘણા ભાગોમાં એવું માનવામાં આવે છે કે બંગડીઓનો અવાજ નવી પરિણીત મહિલાઓને ખરાબ નજરથી દૂર રાખે છે.
આ સિવાય રંગબેરંગી બંગડીઓ મનને શાંત રાખવાનું કામ કરે છે. ભારતના ઘણા ભાગોમાં વિવિધ રંગોની બંગડીઓ પહેરવામાં આવે છે. લીલો રંગ શાંત સ્વભાવ માટે તો લાલ રંગ ખરાબ ઉર્જા દૂર કરવા અને પ્રજનન ક્ષમતા માટેનો છે.
-
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ









Click it and Unblock the Notifications
