લાડુ ગોળ જ કેમ બનાવાય છે? જાણો ક્યારે અને કેવી રીતે શરૂઆત થઈ?
આપણે સારા પ્રસંગોમાં સગા-વ્હાલાઓને લાડુ ખવડાવીને મો મીઠુ કરાવીએ છીએ. જો કે તમે લાડુ તો રોજ ખાતા હશો પરંતુ એ નહીં જાણતા હોય કે ગોળ જ કેમ હોય છે?
ભારતમાં લાડુ અલગ અલગ વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે. મીઠાઈઓમાં લાડુની ખૂબ માંગ રહે છે. આ સ્થિતીમાં સવાલ એ થાય છે કે લાડુ ગોળ કેમ હોય છે? લાડુ ચોરસ કેમ નહીં?

આપણે જોઈએ છીએ કે આપણા ઘરમાં બનેલા લાડુ ગોળ અને મોટા હોય છે. પરંતુ પહેલાના જમાનાની વાત કરીએ તો લાડુનો ઉપયોગ દવા તરીકે થતો હતો. તેથી જ તેમનું કદ નાનું રાખવામાં આવ્યું હતું.
ગોળ, મધ, તલ અને અન્ય વસ્તુઓને પીસીને મિક્સર તૈયાર કરવામાં આવ્યું અને તેમાંથી લાડુ બનાવવામાં આવ્યા. કહી શકાય કે સમયની સાથે લાડુના આકારમાં થોડો ફેરફાર થયો છે. પણ લાડુ હંમેશા ગોળ જ હતા.
લાડુના ઈતિહાસની વાત કરીએ તો તે સદીઓ જૂનો છે. ઇતિહાસના નિષ્ણાતો કહે છે કે લાડુની શોધ ચોથી સદીમાં થઈ હતી. ભારતના મહાન ચિકિત્સક સુશ્રુતે આ વસ્તુ દુનિયા સમક્ષ રજૂ કરી હતી. સુશ્રુત એક ડૉક્ટર હતા અને તેમણે તેનો ઉપયોગ દવા તરીકે કર્યો હતો.
એવું પણ કહેવાય છે કે ચોલ વંશમાં પણ લાડુ ખૂબ લોકપ્રિય હતા. સૈનિકો યુદ્ધમાં જતી વખતે સારા નસીબની નિશાની તરીકે લાડુનો ઉપયોગ કરતા હતા. લાડુ સમયની સાથે બદલાયો છે. પહેલા તેમાં ગોળનો ઉપયોગ થતો પરંતુ બાદમાં ખાંડનો ઉપયોગ થવા લાગ્યો.












Click it and Unblock the Notifications
