Exclusive: કર્મચારીઓ બીચારા સ્મૃતિ ઇરાનીના માર્યા!
નવી દિલ્હી (વિવેક શુક્લા): સ્મૃતિ ઇરાનીને ગુસ્સો કેમ આવે છે? તેઓ પોતાના માહિતી અધિકારીઓથી શા માટે રહે છે નારાજ? આ બંને સવાલોના જવાબ તેમના માનવ સંસાધન મંત્રાલયના અધિકારીઓને શોધવાની કોશિશ કરી રહ્યા છે. માનવ સંસાધન મંત્રાલયના મુખ્ય કાર્યાલય શાસ્ત્રી ભવનમાં સ્મૃતિ ઇરાની દ્વારા માહિતી અધિકારી બનવાથી ભારતીય સૂચના સેવાના અધિકારીઓ ડરવા લાગ્યા છે.
જાણકારોએ જણાવ્યું કે મોદી સરકારમાં માનવ સંસાધન મંત્રાલય સંભાળ્યા બાદ તેઓ પોતાના ત્રણ માહિતી અધિકારીઓને હટાવી ચૂકી છે. ઇરાનીના માર્યા આ અધિકારીઓના નામ પણ જાણી લો, આર. એન મિશ્રા, નાનૂ ભસીન અને મૌસમી ચક્રવર્તી. તેઓ આ ત્રણેયના કામથી નાખુશ હતી. માટે તેમને હટાવી દેવામાં આવ્યા.

જાણકારીઓનું કહેવું છે કે સ્મૃતિ ઇરાનીએ ઉપરોક્ત અધિકારીઓને એટલા માટે હટાવ્યા કારણ કે તેઓ માનતા હતા કે આ ત્રણેય તેમના અને તેમના મંત્રાલયના કામકાજનું યોગ્ય મીડિયા કવરેજ કરાવી શકવામાં નિષ્ફળ રહ્યા હતા.
સૂત્રોનો દાવો છે કે ઇરાનીનું માનવું રહ્યું છે કે તેમના મંત્રાલયના કામકાજને મીડિયા એ પ્રકારે મહત્વ નથી આપી રહ્યું, જેટલું તેમને મળવું જોઇએ. આના પગલે ત્રણ અધિકારીઓએ તેમના ક્રોધનો શિકાર બનવું પડ્યું.
જોકે જાણકારોનું કહેવું છે કે મીડિયા કોઇ મંત્રી અથવા મંત્રાલયની સાથે ભેદભાવ નથી કરતું. મીડિયા તો કવરેજ આપવામાં તટસ્થ વલણ અપનાવે છે. કેટલાંક જાણકારો એવું પણ કહે છે કે ઇરાનીને મીડિયા કવરેજથી વધારે પોતાના મંત્રાલયના કામકાજ તરફ વધારે ધ્યાન આપવું જોઇએ. જો તેઓ એવું કરવામાં સફળ રહ્યા તો મીડિયામાં પણ તેમને વાહ-વાહી ચોક્કસ મળશે.
-
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
પીએમ કિસાનનો 22મો હપ્તો જારી કરાયો, આવી રીતે કરો ચેક -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG સિલિન્ડરને લઈને સરકારનો લુલો બચાવ, સંસદમાં કોઈ અછત ન હોવાનું ગાણું ગાયું










Click it and Unblock the Notifications
