ધન-વૈભવ અને સંતાન પ્રાપ્તિ માટે કરો આ ઉપાય, થશે અઢળક લાભ
ધન, વૈભવ, સંપન્નતા, સમૃદ્ધિ, સુખ, સંપત્તિ અને અખંડ લક્ષ્મીની પ્રાપ્તિ માટે શાસ્ત્રોમાં દુર્લભ વ્રતનો ઉલ્લેખ મળે છે અને તેનું નામ છે 'વરલક્ષ્મી વ્રત'
ધન, વૈભવ, સંપન્નતા, સમૃદ્ધિ, સુખ, સંપત્તિ અને અખંડ લક્ષ્મીની પ્રાપ્તિ માટે શાસ્ત્રોમાં દુર્લભ વ્રતનો ઉલ્લેખ મળે છે અને તેનું નામ છે 'વરલક્ષ્મી વ્રત', આ વ્રત કરનારા જાતકોને તમામ સુખ પ્રાપ્ત થાય છે. આ વ્રત 24 ઓગસ્ટે છે. જો વરલક્ષ્મી વ્રતને વિધિવત રીતે પાળવામાં આવે તો દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન થાય છે.
સંતાન પ્રાપ્તિ માટે વ્રત
પરિણીત સ્ત્રીઓ હંમેશા સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત રાખતી હોય છે. એવું માનવામાં આવે છે કે જો પતિ-પત્ની બંને આ વ્રત સાથે રાખે તો તેનો બમણો લાભ મળે છે. આ વ્રત રાખવાથી જીવનમાં ધનનું આગમન થતું રહે છે. જેનાથી વ્યક્તિના જીવનમાં ધન, સંપત્તિ, જ્ઞાન, પ્રેમ વગેરે બની રહે છે.
દરેક કષ્ટ દૂર કરશે માતા લક્ષ્મી
મા લક્ષ્મીની પૂજાથી જ માણસને ધન પ્રાપ્તિ થાય છે. જો તમે લાંબા સમયથી આર્થિક તંગીને લઈને પરેશાન હોવ તો વરલક્ષ્મી વ્રત જરૂર કરો, મા દરેક કષ્ટ દૂર કરશે અને તમારા પર પોતાની કપા વરસાવશે.
આવી રીતે કરો પૂજા
- મા લક્ષ્મીને ગણેશજી પ્રિય છે અને ગણેશજીને લાડવા બહુ પસંદ છે માટે મા લક્ષ્મીને લાડવા ચડાવો.
- પૈસા વધુ ખર્ચ થઈ રહ્યા હોય તો તેને બચાવવા માટે મા લક્ષ્મીની પૂજા કપૂર પ્રગટાવીને કરો અને અંતે જે ભભૂતી વધે તેને તમારા રૂમાલમાં બાંધીને પર્સમાં રાખી દો, પૈસા ખર્ચ નહીં થાય.
- હાથમાં એક સોપારી અને તાંબાનો સિક્કો લઈ મા લક્ષ્મીનું ધ્યાન ધરો અને બાદમાં બંનેને પર્સમાં રાખી દો, પૈસાનો વરસાદ થશે.
- કોઈપણ લક્ષ્મી મંદિરમાં જઈ માને સુગંધિત ધૂપ કે અગરબત્તિ અર્પિત કરો.
- પાકિટમાં લાલ રૂમાલ રાખો, પરંતુ તેની પહેલા આ રૂમાલ મા લક્ષ્મીને અર્પિત કરો.
મા લક્ષ્મીનું ધ્યાન ધરો