Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2030 માં ભારતમાં કામ કરતા બંધ થઈ જશે તમામ 5G ફોન? જાણો કેમ?

ભારતમાં મોબાઈલ ક્રાંતિ ઝડપથી થઈ રહી છે. એક તરફ હેન્ડસેટ ઝડપથી બદલાઈ રહ્યાં છે તો બીજી તરફ નેટવર્કમાં ક્રાંતિકારી ફેરફાર થઈ રહ્યાં છે.

જાણકારોનું માનીએ તો હાલ ભારતમાં 5G મોબાઈલ નેટવર્ક છે તેની જગ્યાએ 2030 સુધીમાં 6G નેટવર્ક અસ્તિત્વમાં આવી જશે.

6G

અહેવાલો અનુસાર, 6Gની સ્પીડ 5G કરતા 100 ગણી વધારે હશે. આ સિવાય 6G નેટવર્ક ઉપકરણના બેટરી બેકઅપને પણ વધારશે. ભારતમાં 2030 સુધીમાં આ 6G નેટવર્ક શરૂ થઈ જશે.

IIT-BHU ખાતે ભારત 6Gના મહાનિર્દેશક રાજેશ કુમાર પાઠકે જણાવ્યુ છે કે, 6G ગામડાં કે શહેરોમાં મોટા ટાવર લગાવવામાં આવશે નહીં. આ માટે શહેરથી ગામડાં સુધી ઇલેક્ટ્રિક થાંભલાઓ પર તેના શેલ લગાવવામાં આવશે.

જાણકારી અનુસાર, આ શેલ્સ સંપૂર્ણપણે સેન્સર બેઝ પર કામ કરશે. તેનું વજન પણ લગભગ 8 કિલો હશે. રાજેશ કુમાર પાઠકે જણાવ્યું કે, ભારતમાં વર્ષ 2030 સુધીમાં 6G લોન્ચ કરવામાં આવશે. 6G લોન્ચ કરવાના મામલે ભારત વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ થશે. 6જી નેટવર્કમાં પણ સેટેલાઇટ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે.

6G આવતા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી લોકો એકબીજા સાથે વાત પણ કરી શકશે. મોબાઈલ ફોનની બેટરી 6G નેટવર્કમાં વધુ બેકઅપ વધુ આપશે. આ નેટવર્ક સંપૂર્ણપણે સેન્સર બેઝ હશે. જ્યારે તમે ઉપકરણ પર કોઈ કામ કરશો ત્યારે જ તે સક્રિય રહેશે નહીં તો તે સ્લીપ મોડમાં જતું રહેશે.

ઘણા લોકોને લાગે છે કે 6G દાખલ થયા પછી 5G ફોન કામ કરશે નહીં. જો કે આ વાત સત્ય નથી, માહિતી અનુસાર, 6G આવ્યા પછી પણ 5G ફોન કામ કરશે અને તેને અપડેટ કરવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X