Mosquitoes Prevention Tips : મચ્છરના ત્રાસથી મળશે છુટકારો, એક જ અહેવાલમાં છે ઘણા બધા ઉપાયો
Mosquitoes Prevention Tips : વરસાદ સાથે સાથએ ઘણી ખતરનાક બિમારીઓ પણ આવે છે. આવામાં ઘણી બિમારીઓ છે, જે મચ્છરને કારણે ફેલાય છે. જેમાં ડેગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા પ્રમુખ રોગ છે.
પાણીના ભરાવા અને ગંદકીને કારણે માંખ-મચ્છરમાં વધારો થાય છે. જેમાં એનોફિલિસ અને એડિસ મચ્છર ઘણા ખતરનાક માનવામાં આવે છે. જેના કરડવાથી રોગ પ્રતિકારક શક્તિ પર સીધી અસર થાય છે.

અત્રે નોંધનીય બાબત એ છે કે, ડેન્ગ્યુના મચ્છર સ્વચ્છ પાણીમાં જ ફેલાય છે. તમારા ઘરમાં વાસણો, કુલર અથવા એવી જગ્યાઓ જ્યાં ઘણા દિવસો સુધી પાણી સ્થિર રહે છે, તેમાં વિકસિત થાય છે અને તમારા માટે ડેન્ગ્યુ જેવી ગંભીર બીમારીનું કારણ બની જાય છે. કેટલાક સરળ ઉપાયોથી આ મચ્છરોને વધતા અટકાવી શકાય છે.
ઘરથી મચ્છરોને દૂર કેવી રીતે રાખશો?
એકઠા થયેલા પાણીને ખાલી કરો : ડેન્ગ્યુના મચ્છરોને વધતા અટકાવવા માટે, તમારી આસપાસ પાણી એકઠું ન થવા દેવાનું સૌથી મહત્વનું છે. તેઓ પોટ્સ, મની પ્લાન્ટ અથવા ઘરમાં રાખવામાં આવેલા કૂલરમાં સંગ્રહિત પાણીમાં સરળતાથી ઉપજે છે.
આનાથી બચવા માટે, વરસાદ પહેલા કુલરમાંથી પાણી કાઢી નાખો, કુંડામાં વધુ પાણી એકઠું ન થવા દો અને મની પ્લાન્ટની બોટલમાં દરરોજ પાણી બદલો. મચ્છરના લાર્વાને નાશ કરવા માટે આવા પાણીમાં દવા મૂકી શકાય છે.
મચ્છર ભગાડનારા છોડ : કેટલાક છોડ કુદરતી રીતે મચ્છરોને ભગાડવાનું કામ કરે છે. આવા છોડને ઘરના કુંડામાં કે બગીચામાં લગાવવાથી બધા મચ્છરો આજુબાજુ ઉડતા નથી. લીમડો, તુલસી, લેમનગ્રાસ અને નીલગિરીના છોડથી મચ્છર દૂર રહે છે.
સૂર્યપ્રકાશ અને તાજી હવા : બારીઓ અને દરવાજા હંમેશા બંધ રાખવાથી પણ ઘરમાં મચ્છરો અને માખીઓના પ્રજનનમાં મદદ મળે છે. દરરોજ થોડો સમય બારીઓ અને દરવાજા ખુલ્લા રાખો. જેના કારણે ઘરમાં સૂર્યપ્રકાશ અને તાજી હવા આવશે અને મચ્છર અને માખીઓને ફેલાવાની તક મળશે નહીં.
મચ્છરોથી છુટકારો મેળવવાની અન્ય રીતો
કેરોસીનમાં નાળિયેરનું તેલ અને લીમડાનું તેલ મિક્સ કરીને સોલ્યુશન બનાવો. તેમાં થોડો કપૂર પણ ઉમેરો. તેને નાની બોટલમાં મુકો અને બોટલના ઢાંકણમાં કાણું કરીને તેમાં રૂની વાટ મૂકો. તેને બાળવાથી મચ્છર નહીં આવે.
સરસવના તેલમાં પીસેલી અજમો મિક્સ કરો અને ઘરમાં એવી જગ્યાએ રાખો, જ્યાં મચ્છરો વધુ હોય, મચ્છર થોડી જ વારમાં ભાગી જશે.
એક લીંબુ કાપીને ત્રણથી ચાર લવિંગને છીણી લો અને તેને તમારા પલંગ પાસે રાખો. મચ્છર તમારાથી દૂર રહેશે.
લવંડરના ફૂલનો ઉપયોગ મચ્છરોને દૂર કરવા માટે થાય છે. રૂમમાં અલગ-અલગ જગ્યાએ લવંડરના તેલનો છંટકાવ કરવાથી મચ્છરો દૂર રહેશે.
મચ્છર ભગાડવાનો ઘરેલું ઉપાય - લોકો મચ્છરોને દૂર કરવા માટે જંતુનાશકોનો છંટકાવ કરે છે, પરંતુ દરરોજ તેનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે સારું નથી. તો હવેથી આ ઘરગથ્થુ ઉપાય શીખો અને તેનો ઉપયોગ મચ્છરો અને માખીઓને દૂર કરવા માટે કરો.
મચ્છર ભગાડનારા ઘરેલું ઉપાય માટેની સામગ્રી
- લીમડાના સૂકા પાન
- તજના પાન - 8 થી 1
- લવિંગ - 3 થી 4
- કપૂરનો - 1 ટુકડો
- લસણના ફોતરા
- ડુંગળીની છાલ
રેસીપી - સૌપ્રથમ સૂકા લીમડાના પાનને સારી રીતે ક્રશ કરી લો, પછી તેમાં ડુંગળી, લસણની છાલ, તમાલપત્ર, લવિંગ અને કપૂર મિક્સ કરીને ગ્રાઇન્ડરમાં પીસી લો. જે બાદ આ પાવડરને એક બોક્સમાં ભરીને રાખો.
કેવી રીતે કરશો ઉપયોગ - આ પાવડરને દરરોજ સાંજે માટીના દીવામાં રાખો અને તેમાં કપૂરનો ટુકડો નાખીને પ્રગટાવો. તેનો ધુમાડો એવી જગ્યાએ રાખો કે, તે આખા ઘરમાં સારી રીતે ફેલાઈ જાય, પછી મચ્છરો ઘરથી દુર ભાગી જાય છે.
મચ્છરોને આ પાવડર બનાવવામાં વપરાતી વસ્તુઓની ગંધ ગમતી નથી, તેથી તેમને દૂર કરવા માટે આ ઘરેલું ઉપાય ખૂબ જ અસરકારક છે.
લસણથી ભાગી જશે મચ્છર - મચ્છરોથી છૂટકારો મેળવવા માટે, લસણની થોડી કળીઓને પીસીને પાણીમાં ઉકાળો. હવે તેને સ્પ્રે બોટલમાં ભરીને આખા રૂમમાં છાંટી દો. રૂમમાં હાજર તમામ મચ્છર ભાગી જશે. સૂતા પહેલા આ કરો.
કોફીથી પણ ભાગી જશે મચ્છર - જો તમને લાગતું હોય કે મચ્છર ઈંડા મૂકી શકે છે અથવા પ્રજનન કરી શકે છે, તો તે જગ્યાએ કોફી પાવડર અથવા કોફી ગ્રાઉન્ડ્સ મૂકો. આમ કરવાથી મચ્છર અને તેમના ઈંડા મરી જશે.
ફુદીનાથી ભાગી જશે મચ્છર - ફુદીનો તમને મચ્છરોના આતંકથી પણ રાહત આપી શકે છે. ફુદીનાની સુગંધથી મચ્છરો પરેશાન થાય છે. આખા ઘરમાં ફુદીનાનું તેલ છાંટો. મચ્છર તમારા ઘરથી દૂર રહેશે.
લીમડાના તેલથી મચ્છર દૂર ભાગશે - શરીર પર મચ્છર ન કરડે અને તમારાથી દૂર રહે, એ માટે પાણીમાં લીમડાનું તેલ મિક્સ કરો અથવા તમારા બોડી લોશનમાં મિક્સ કરીને શરીર પર લગાવો. મચ્છર તમારી આસપાસ પણ નહીં ફરે.
સોયાબીન તેલથી ડરે છે મચ્છરો - સોયાબીન તેલ પણ મચ્છરોને તમારાથી દૂર રાખે છે. જ્યારે તમે તેને રાત્રે શરીર પર લગાવીને સૂઇ જશો, ત્યારે મચ્છર તમને કરડી શકશે નહીં.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
