Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Good Sleep Tips : ઘસઘસાટ ઊંઘ માટે કરો આ ઉપાય, દૂર થશે ત્રુટક ઊંઘ અને અનિદ્રાની સમસ્યા

Good Sleep Tips : રાત્રે યોગ્ય રીતે ઊંઘ ન આવવાને કારણે તમારું મન અસ્વસ્થ રહે છે. આ સાથે તણાવનું સ્તર પણ વધે છે. આવામાં તમારે અમુક મસાલાઓને દૈનિક આહારમાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે.

Good Sleep Tips : દુનિયામાં એવું કોઇ પ્રાણી નથી જેને આરામ અને ઊંઘની જરૂર ન હોય. દરેક પ્રાણી રોજ નવા પડકારોનો સામનો કરે છે, જેના કારણે તે થાકી જાય છે અને તેને આરામની જરૂર પડે છે. ઊંઘ ન લેવાથી દરેક પ્રાણીના સ્વાસ્થ્ય પર માઠી અસર થાય છે.

વર્તમાન સમયમાં ભાગદોડ ભર્યા જીવન અને અનિયમિત જીવનશૈલીને કારણે લોકોમાં ચિંતા અને તણાવનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં ત્રુટક ઊંઘ અને અનિદ્રાની સમસ્યા થવા લાગે છે. આવામાં આજે આપણે ઊંઘ ન આવવાની સમસ્મયાથી કેવી રીતે છુટકારો મેળવવો એ વિશે જાણીશું.

Good Sleep Tips

ઘણા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે, કોઈપણ વ્યક્તિએ યોગ્ય રીતે કામ કરવા માટે રાત્રે ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. યોગ્ય રીતે ઊંઘ ન આવવાને કારણે તમારું મન યોગ્ય રીતે કામ કરી શકશે નહીં અને સ્ટ્રેસ લેવલ પણ વધશે. જો તમને પણ રાત્રે સારી ઊંઘ નથી, આવતી તો તમારે અમુક મસાલાનું યોગ્ય રીતે સેવન શરૂ કરી દેવું જોઇએ.

જીરું

જીરું

ભારતીય રસોડામાં સરળતાથી ઉપલબ્ધ અને અસરકારક મસાલાઓમાંનું એક જીરું છે. તેનું સેવન ચયાપચયને વેગ આપે છે, પાચનમાંસુધારો કરે છે અને એસિડ રિફ્લક્સને અટકાવે છે. આ ઉપરાંત જીરું ઊંઘ લાવવા માટે પણ મદદગાર સાબિત થાય છે. તેના ગુણધર્મો તણાવઅને ચિંતા ઘટાડવામાં મદદ કરી શકે છે.

જાયફળ

જાયફળ

જાયફળ એ અન્ય આવશ્યક મસાલા છે, જે ઊંઘ પ્રેરક ગુણધર્મો ધરાવે છે. તેના ગુણધર્મો આપણી ચેતાને શાંત કરવામાં અને તણાવ દૂરકરવામાં મદદ કરી શકે છે. જાયફળ અસરકારક રીતે ઊંઘ લાવવા અને તેની ગુણવત્તા સુધારવા બંનેમાં મદદ કરી શકે છે. તમે હળદરવાળાદૂધમાં એક ચપટી જાયફળ ઉમેરીને સૂતા પહેલા પી શકો છો. તેનાથી તમે આખી રાત સારી રીતે ઊંઘી શકશો.

ફુદીના ના પત્તા

ફુદીના ના પત્તા

ફુદીનામાં શાંત ગુણધર્મો છે, જે તણાવ અને ચિંતાને દૂર કરવામાં મદદ કરી શકે છે. ફુદીનામાં હાજર મેન્થોલ સ્નાયુઓને આરામ આપવામાંમદદ કરે છે. આ સાથે ફુદીનો એન્ટિસ્પેસ્મોડિક પ્રકૃતિ છે. આ શાંતિથી ઊંઘવામાં મદદ કરે છે. સૂતા પહેલા એક કપ પીપરમિન્ટ ચા પીવોઅને સારી ઊંઘનો આનંદ લો.

વરિયાળી

વરિયાળી

વરિયાળીમાં એવા ગુણ હોય છે, જે મનને શાંત કરે છે. વરિયાળી પાચન સ્નાયુઓ સહિત સ્નાયુઓને આરામ આપવામાં મદદ કરી શકે છે.

અનિદ્રા, તણાવ અથવા ચિંતા જેવી સમસ્યાઓથી પીડાતા લોકો પર આવા ગુણધર્મો સકારાત્મક ભૂમિકા ભજવે છે. જેથી તમારે સુવા જતાનીએક કલાક પહેલા વરિયાળીનું સરબત પીવું જોઇએ.

અશ્વગંધા

અશ્વગંધા

અશ્વગંધા એક ખૂબ જ પ્રખ્યાત ભારતીય ઔષધિ છે, જેનો ઉપયોગ તણાવને દૂર કરવા અને ચિંતા જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂરકરવા માટે કરવામાં આવે છે. તે એક અનુકૂલનશીલ વનસ્પતિ છે, જે આપણા શરીરને તણાવના લક્ષણો સામે લડવામાં મદદ કરી શકે છે.કારણ કે, તે તણાવ અને અસ્વસ્થતાના લક્ષણોમાં મદદ કરી શકે છે, તે ઊંઘ લાવવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પર આધારિત છે. વનઇન્ડિયા ગુજરાતી આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપવામાં આવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X