Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Cracked Heels : શિયાળામાં વાઢીયા થી છો પરેશાન? આ રીતે મળશે છુટકારો

આજે આપણે વાઢીયામાંથી મુક્તિ મેળવવા માટે ઉપયોગી ઘરેલુ ઉપચાર વિશે જાણીશું.

Cracked Heels : શિળાયો શરૂ થતાની સાથે જ ઘણા લોકોને એડી ફાટવાની સમસ્યા થઇ શકે છે. આવા સમયે એડી ફાટવાની સમસ્યાનો ઇલાજ ન કરવામાં આવે તો, ચાલવામાં પણ તકલીફ થવા લાગે છે. આ સાથે એડીની તીરાડોને કારણે તમારો લૂક ખરાબ થઇ શકે છે. આજે આપણે વાઢીયામાંથી મુક્તિ મેળવવા માટે ઉપયોગી ઘરેલુ ઉપચાર વિશે જાણીશું.

કપૂર અને નાળિયેર તેલ

કપૂર અને નાળિયેર તેલ

નારિયેળ તેલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. આ તેલ લગાવવાથી ત્વચાની મોઈશ્ચરાઈઝેશન થાય છે. ફાટેલી ત્વચા પર નાળિયેરનું તેલલગાવવું ખૂબ જ ફાયદાકારક છે.

જ્યારે કપૂરમાં રહેલા પોષક તત્વો વાઢીયાની તિરાડોને ભરવામાં ઉપયોગી સાબિત થાય છે. કપૂર ત્વચાનેમોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે. તિરાડ પડી ગયેલી એડી પર કપૂર લગાવવાથી પણ દુઃખાવામાં આરામ મળશે.

નાળિયેર તેલ અને કપૂર પાવડર

નાળિયેર તેલ અને કપૂર પાવડર

કપૂરની ગોળીઓને પીસી લો. એક મોટા વાસણમાં ગરમ​પાણી રેડો અને તેમાં કપૂર પાવડર મિક્સ કરો. તમારા પગને આ પાણીમાં લગભગ25 મિનિટ સુધી રાખો.

આ પછી પગને બહાર કાઢીને સાફ કરી લો. પગમાંથી ધૂળ, ગંદકી અને ડેડ સ્કિન દૂર થશે. હવે પગ પરમોઈશ્ચરાઈઝર લગાવો. હીલ્સ નરમ અને સુંદર બનશે.

રોક સોલ્ટ અને નાળિયેર તેલ

રોક સોલ્ટ અને નાળિયેર તેલ

એક ટબમાં ગરમ​પાણી લો અને તેમાં રોક સોલ્ટ મિક્સ કરો. તમારા પગને આ પાણીમાં 20 મિનિટ સુધી ડૂબાડી રાખો. પગ દૂર કર્યા બાદ,પગને સ્ક્રબથી સાફ કરો જે ગંદકી દૂર કરે છે. જે બાદ પગને સ્વચ્છ ગરમ પાણીથી ધોઈ લો.

હવે નાળિયેર તેલ ગરમ કરો અને તેને તમારાપગ પર લગાવો અને સારી રીતે મસાજ કરો. જેનાથી પગમાં ભેજ આવશે. રાત્રે આ ઘરેલુ ઉપચારનો ઉપયોગ કરો અને તે પછી મોજાંપહેરો, જેથી પગમાં હવા કે ધૂળ ન જાય.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X