Hangover Cures : રાત્રે વધારે થઇ ગઇ હતી? આ રીતે ઉતરશે હેંગઓવર
Hangover Cures : વિકએન્ડ અને ન્યુ યરનો મતલબ પાર્ટીનો માહોલ, પણ આ પાર્ટીમાં ઘણા લોકો પોતાની લિમિટ ભૂલી જાય છે અને થોડું વધારે પી લે છે. જેનાથી બીજા દિવસે સવારે હેંગઓવર થઇ જાય છે.
Hangover Cures : વિકએન્ડ અને ન્યુ યરનો મતલબ પાર્ટીનો માહોલ, પણ આ પાર્ટીમાં ઘણા લોકો પોતાની લિમિટ ભૂલી જાય છે અને થોડું વધારે પી લે છે. જેનાથી બીજા દિવસે સવારે હેંગઓવર થઇ જાય છે.

આ સાથે અલગ અલગ ડ્રિંક્સ મિક્સ કરીને પીધેલા કોકટેઇલ પણ હેંગ ઓવરનું કારણ બને છે. જ્યારે રાત્રે વધારે થઇ જાય છે, ત્યારે બીજા દિવસે હેંગઓવરને કારણે આખો દિવસ મુડ ખરાબ રહી શકે છે.

31 ફર્સ્ટ અને ન્યુ યરની પાર્ટી માટે તૈયારી થઇ ગઇ હશે, પણ તમારે આ પહેલા હેંગઓવર ઉતારવાના ઉપાયો જાણી લેવા જોઇએ અને સવાર માટે તૈયારી પણ કરી લેવી જોઇએ.

હેંગઓવરના લક્ષણો
માથાનો દુઃખાવો, વારંવાર તરસ લાગવી, થાકનો અનુભવ થવો, લાલ આંખો, સ્નાયુઓમાં દુઃખાવો, સુસ્તી અને ચિંતા હેંગઓવરના લક્ષણોહોય શકે છે. આ સાથે ચક્કર આવવા અને મૂડ સ્વિંગ પણ હેંગઓવરના લક્ષણોમાં શામેલ છે.

હેંગઓવરના કારણો
વધુ પડતું પીવા ઉપરાંત, પીતા પહેલા કંઈપણ ન ખાવાથી પણ હેંગઓવર થઈ શકે છે. એટલે કે જો તમે સારો અને સંતુલિત આહાર લીધોહોય, તો નશો તમને એટલો પરેશાન કરશે નહીં. ખાલી પેટ દારૂ તમારા સ્વાસ્થ્યને વધુ નુકસાન પહોંચાડી શકે છે.

હેંગઓવર ઉતારવાના ઉપાયો
નાળિયેર પાણી પીવો
હેંગઓવરથી છૂટકારો મેળવવા માટે નારિયેળ પાણી ફાયદાકારક છે. વધુ આલ્કોહોલ લેવાથી શરીરમાં પાણીની ઉણપ થાય છે. નારિયેળપાણીમાં ઈલેક્ટ્રોલાઈટ્સ હાજર હોય છે, જે શરીરમાં પાણીની ઉણપને પૂરી કરે છે અને જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે.

લીંબુ પાણી પીવો
હેંગઓવરથી છૂટકારો મેળવવા માટે લીંબુ પાણી એ સૌથી અસરકારક રીતોમાંથી એક છે. હેંગઓવરથી છૂટકારો મેળવવા માટે લીંબુ પાણીસિવાય તમે કોઈપણ ખાટા ફળ પણ ખાઈ શકો છો. આ માટે એક ગ્લાસ હુંફાળા પાણીમાં અડધા લીંબુનો રસ નીચોવીને પી શકો છો.

મધ
હેંગઓવરથી છૂટકારો મેળવવા માટે તમે મધનો ઉપયોગ પણ કરી શકો છો. મધમાં આલ્કોહોલને કારણે થતી આડઅસરો ઘટાડવાનું કન્ટેન્ટછે. આ સાથે પાચન સંબંધી સમસ્યાઓમાં પણ રાહત મળશે.

દહીં
જો પીવામાં માપ ન રહ્યું હોય તો તેના કારણે થતી સમસ્યાઓને દૂર કરવામાં પણ દહીંનું સેવન ફાયદાકારક છે. માત્ર એટલું ધ્યાન રાખો કે,દહીં ખાંડ કે મીઠું નાખ્યા વગર જ ખાવું જોઈએ.

કેળા ખાઓ
હેંગઓવરથી છૂટકારો મેળવવામાં પણ કેળા અસરકારક છે. તેમાં પોટેશિયમ અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં પાણીનીઉણપને દૂર કરે છે.
આલ્કોહોલ પીવાથી શરીરમાં ઘણા જરૂરી પોષક તત્વોની ઉણપ થાય છે. આવી સ્થિતિમાં કેળા ખાવાથી તમને ફાયદોથશે.

ફુદીનાનું પાણી પીવો
3-4 ફુદીનાના પાનને ગરમ પાણીમાં ભેળવીને પીવાથી હેંગઓવર મટે છે. આનાથી ગેસની સમસ્યા નથી થતી અને આંતરડાને આરામ મળેછે.

મહત્વપૂર્ણ ટીપ્સ
આ સાથે એ વાતનું ધ્યાન રાખો કે, શરીરમાં પાણીની કમી ન થવા દો, કારણ કે આલ્કોહોલ શરીરને ડિહાઇડ્રેટ કરે છે. તેમજ પૂરતી ઊંઘ લો.જેના કારણે શરીર અને મન હળવા રહેશે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
