Health Tips : હલ્ક બનાવી દેશે સંતરાનું સેવન, ફાયદા જાણી રોજ કરશો સેવન
Health Tips : વરસાદમાં વાયરલના જોખમને ધ્યાનમાં રાખીને પોતાની ઇમ્યુનિટિ વધારવાની જરૂર છે. જે માટે હેલ્થ એક્સપર્ટ પોતાના આહારમાં વિટામિન-સી યુક્ત વસ્તુઓનું સેવન વધારવા માટે સલાહ આપે છે. આ માટે સંતરાને બેસ્ટ ફળ માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, સંતરાને વિટામીન-સીનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે, સામાન્ય રીતે મધ્યમ કદની નારંગી આ વિટામિનની દૈનિક જરૂરિયાતોના 90 ટકા ભાગને પૂરી કરી શકે છે.

સંશોધકોએ તારણ કાઢ્યું છે કે, સંતરામાં પ્રોટીન, ફાઈબર, ફોલેટ, પોટેશિયમ જેવા અન્ય જરૂરી પોષક તત્વોની સાથે વિટામિન-સી પણ ભરપૂર હોય છે, જેની આપણા શરીરને નિયમિતપણે જરૂર હોય છે. ફાઈબરની માત્રાને કારણે તે પાચનક્રિયાને યોગ્ય રાખવામાં પણ ફાયદાકારક જોવા મળે છે.
સંતરા તમારા માટે કોલેસ્ટ્રોલ ઘટાડવા, હૃદય રોગના જોખમથી બચાવવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ ફાયદાકારક છે.
સંતરાનું સેવન તમામ લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અત્રે નોંધનીય છે કે, ડાયાબિટીસના દર્દીઓએ માત્ર તબીબી સલાહના આધારે જ સંતરાનું સેવન કરવું જોઈએ.
ખૂબ જ ફાયદાકારક છે સંતરાનું સેવન - સંતરા એકંદર આરોગ્ય માટે ખાસ કરીને ફાયદાકારક હોવાનું જાણવા મળ્યું છે. અભ્યાસ મુજબ 140 ગ્રામ સંતરા તમારી દૈનિક વિટામિન-સીની જરૂરિયાતના 92 ટકા સુધી પૂરી કરી શકે છે.
વિટામિન-સી રોગપ્રતિકારક શક્તિ, કોલેજન, આયર્નનું શોષણ વધારવામાં મદદરૂપ છે. આ ઉપરાંત સંતરામાં ફોલેટ પણ ભરપૂર માત્રામાં હોય છે, જે ચયાપચય, ગર્ભ અને પ્લેસેન્ટલ વિકાસ તેમજ શરીરને ઉર્જા પ્રદાન કરવા માટે જરૂરી છે.
ત્વચા માટે સંતરાના ફાયદા - એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, તાજા સંતરાનો રસ પીવાથી ત્વચાના કેરોટીનોઈડના સ્તરમાં વધારો થાય છે. લગભગ તમામ ખાટાં ફળોમાં કેરોટીનોઈડ એન્ટીઓક્સિડેન્ટ વધુ માત્રામાં જોવા મળે છે. તેનાથી ત્વચાનો રંગ સુધરે છે અને તેનાથી સંબંધિત રોગોનું જોખમ પણ ઓછું થાય છે.
સંતરામાં બીટા-ક્રિપ્ટોક્સેન્થિન નામનું એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે, જે કોષોને ઓક્સિડેટીવ નુકસાનથી બચાવે છે. જેના કારણે કેન્સર જેવા રોગોનું જોખમ ઘટે છે.
હૃદયના રોગોમાં ફાયદાકારક છે સંતરા - કાર્ડિયોવેસ્ક્યુલર રોગો હાલમાં અકાળ મૃત્યુના સૌથી સામાન્ય કારણો પૈકી એક છે. યુવાનોમાં પણ તેનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. સંતરામાં વિટામિન સી, ફ્લેવોનોઈડ્સ અને કેરોટીનોઈડ્સ સહિત અન્ય ઘણા પોષક તત્વો હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા અને હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરવા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યા છે. તેના ઉપયોગથી કોલેસ્ટ્રોલના સ્તરને પણ નિયંત્રિત કરી શકાય છે, જે હૃદયના રોગોમાં મુખ્ય પરિબળ તરીકે માનવામાં આવે છે.
જૂના રોગો સામે પણ રક્ષણ આપે છે સંતરા - હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરવા સાથે, નિયમિતપણે સંતરા અથવા અન્ય સાઇટ્રસ ફળોનું સેવન ચોક્કસ પ્રકારના કેન્સર અને ડાયાબિટીસ સહિત અન્ય ક્રોનિક સ્વાસ્થ્ય સ્થિતિઓનું જોખમ ઘટાડવામાં ફાયદાકારક હોય શકે છે.
અધ્યયન દર્શાવે છે કે, ખાટાં ફળોનું વધુ સેવન કરવાથી ફેફસાં, મૌખિક, કોલોન કેન્સર જેવા ઘણા પ્રકારના કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. આ ફળ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જેનાથી સંક્રમણનું જોખમ પણ ઓછું થાય છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી











Click it and Unblock the Notifications
