Health Tips : હલ્ક બનાવી દેશે સંતરાનું સેવન, ફાયદા જાણી રોજ કરશો સેવન
Health Tips : વરસાદમાં વાયરલના જોખમને ધ્યાનમાં રાખીને પોતાની ઇમ્યુનિટિ વધારવાની જરૂર છે. જે માટે હેલ્થ એક્સપર્ટ પોતાના આહારમાં વિટામિન-સી યુક્ત વસ્તુઓનું સેવન વધારવા માટે સલાહ આપે છે. આ માટે સંતરાને બેસ્ટ ફળ માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, સંતરાને વિટામીન-સીનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે, સામાન્ય રીતે મધ્યમ કદની નારંગી આ વિટામિનની દૈનિક જરૂરિયાતોના 90 ટકા ભાગને પૂરી કરી શકે છે.

સંશોધકોએ તારણ કાઢ્યું છે કે, સંતરામાં પ્રોટીન, ફાઈબર, ફોલેટ, પોટેશિયમ જેવા અન્ય જરૂરી પોષક તત્વોની સાથે વિટામિન-સી પણ ભરપૂર હોય છે, જેની આપણા શરીરને નિયમિતપણે જરૂર હોય છે. ફાઈબરની માત્રાને કારણે તે પાચનક્રિયાને યોગ્ય રાખવામાં પણ ફાયદાકારક જોવા મળે છે.
સંતરા તમારા માટે કોલેસ્ટ્રોલ ઘટાડવા, હૃદય રોગના જોખમથી બચાવવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ ફાયદાકારક છે.
સંતરાનું સેવન તમામ લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અત્રે નોંધનીય છે કે, ડાયાબિટીસના દર્દીઓએ માત્ર તબીબી સલાહના આધારે જ સંતરાનું સેવન કરવું જોઈએ.
ખૂબ જ ફાયદાકારક છે સંતરાનું સેવન - સંતરા એકંદર આરોગ્ય માટે ખાસ કરીને ફાયદાકારક હોવાનું જાણવા મળ્યું છે. અભ્યાસ મુજબ 140 ગ્રામ સંતરા તમારી દૈનિક વિટામિન-સીની જરૂરિયાતના 92 ટકા સુધી પૂરી કરી શકે છે.
વિટામિન-સી રોગપ્રતિકારક શક્તિ, કોલેજન, આયર્નનું શોષણ વધારવામાં મદદરૂપ છે. આ ઉપરાંત સંતરામાં ફોલેટ પણ ભરપૂર માત્રામાં હોય છે, જે ચયાપચય, ગર્ભ અને પ્લેસેન્ટલ વિકાસ તેમજ શરીરને ઉર્જા પ્રદાન કરવા માટે જરૂરી છે.
ત્વચા માટે સંતરાના ફાયદા - એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, તાજા સંતરાનો રસ પીવાથી ત્વચાના કેરોટીનોઈડના સ્તરમાં વધારો થાય છે. લગભગ તમામ ખાટાં ફળોમાં કેરોટીનોઈડ એન્ટીઓક્સિડેન્ટ વધુ માત્રામાં જોવા મળે છે. તેનાથી ત્વચાનો રંગ સુધરે છે અને તેનાથી સંબંધિત રોગોનું જોખમ પણ ઓછું થાય છે.
સંતરામાં બીટા-ક્રિપ્ટોક્સેન્થિન નામનું એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે, જે કોષોને ઓક્સિડેટીવ નુકસાનથી બચાવે છે. જેના કારણે કેન્સર જેવા રોગોનું જોખમ ઘટે છે.
હૃદયના રોગોમાં ફાયદાકારક છે સંતરા - કાર્ડિયોવેસ્ક્યુલર રોગો હાલમાં અકાળ મૃત્યુના સૌથી સામાન્ય કારણો પૈકી એક છે. યુવાનોમાં પણ તેનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. સંતરામાં વિટામિન સી, ફ્લેવોનોઈડ્સ અને કેરોટીનોઈડ્સ સહિત અન્ય ઘણા પોષક તત્વો હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા અને હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરવા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યા છે. તેના ઉપયોગથી કોલેસ્ટ્રોલના સ્તરને પણ નિયંત્રિત કરી શકાય છે, જે હૃદયના રોગોમાં મુખ્ય પરિબળ તરીકે માનવામાં આવે છે.
જૂના રોગો સામે પણ રક્ષણ આપે છે સંતરા - હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરવા સાથે, નિયમિતપણે સંતરા અથવા અન્ય સાઇટ્રસ ફળોનું સેવન ચોક્કસ પ્રકારના કેન્સર અને ડાયાબિટીસ સહિત અન્ય ક્રોનિક સ્વાસ્થ્ય સ્થિતિઓનું જોખમ ઘટાડવામાં ફાયદાકારક હોય શકે છે.
અધ્યયન દર્શાવે છે કે, ખાટાં ફળોનું વધુ સેવન કરવાથી ફેફસાં, મૌખિક, કોલોન કેન્સર જેવા ઘણા પ્રકારના કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. આ ફળ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જેનાથી સંક્રમણનું જોખમ પણ ઓછું થાય છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત




Click it and Unblock the Notifications
