Health tips : આ સુગંધિત વસ્તુને દૂધમાં ભેળવીને પીવો, શરીરમાં નહીં આવે નબળાઈ
ભારતમાં દૂધનું ઉત્પાદન અને વપરાશ ખૂબ જ વધારે છે. આપણે બધા જાણીએ છીએ કે દૂધ પીવાથી આપણને કેટલો ફાયદો થાય છે. તેને સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. કારણ કે, તેના સેવનથી આપણા શરીરને લગભગ તમામ જરૂરી પોષક તત્વો મળી રહે છે.
Health tips : ભારતમાં દૂધનું ઉત્પાદન અને વપરાશ ખૂબ જ વધારે છે. આપણે બધા જાણીએ છીએ કે દૂધ પીવાથી આપણને કેટલો ફાયદો થાય છે. તેને સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. કારણ કે, તેના સેવનથી આપણા શરીરને લગભગ તમામ જરૂરી પોષક તત્વો મળી રહે છે.
આ હેલ્ધી ડ્રિંકને કેટલીક વસ્તુઓ મિક્સ કરીને પીવાનો ટ્રેન્ડ છે, જેનાથી તેના ફાયદા વધી શકે છે. એક પ્રખ્યાત ડાયટિશિયને જણાવ્યું હતું કે, દૂધમાં વરિયાળી મિક્સ કરીને પીવાથી આપણા શરીરને ઘણો ફાયદો થાય છે.
દૂધમાં વરિયાળી મિક્સ કરો
આપણા ભારતીય રસોડામાં મસાલાની કોઈ કમી નથી, મોટાભાગના મસાલા આયુર્વેદિક અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે, જેનાથીસ્વાસ્થ્યને ફાયદો થાય છે.
દૂધમાં હળદર ભેળવીને તમે ઘણી વાર પીધી હશે, પરંતુ દૂધમાં વરિયાળી મિક્સ કર્યા બાદ તેને પીવો.
વરિયાળીનો ઉપયોગ ઘણીવાર કુદરતી માઉથ ફ્રેશનર તરીકે કરવામાં આવે છે, પરંતુ જો તમે તેને દૂધમાં મિક્સ કરીને પીશો તો તે સ્વાસ્થ્ય માટે સારું રહેશે.
દૂધમાં વરિયાળી મિક્ષ કરીને પીવાના ફાયદા
1. હાડકાની નબળાઈ દૂર થશે
વરિયાળીમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને મેંગેનીઝ જેવા સંયોજનો જોવા મળે છે. જ્યારે તેને દૂધમાં મિક્સ કરીને પીવામાં આવે છે, તો આહાડકાં મજબૂત બને છે, જેના કારણે શરીરની નબળાઈ દૂર થવા લાગે છે, આ પીણાની મદદથી આપણા દાંત પણ મજબૂત બને છે.
2. પાચન સારું રહેશે
આપણે ઘણીવાર જોયું હશે કે, લોકો ખોરાક ખાધા પછી વરિયાળી ચાવે છે, હકીકતમાં આ સુગંધિત વસ્તુમાં એક ખાસ પ્રકારનું તેલ હોય છે, જે ગેસ્ટ્રિક એન્ઝાઇમ્સ સ્ત્રાવ કરે છે.
જો તમે દૂધમાં વરિયાળી મિક્સ કરીને પીશો તો માત્ર પાચન જ નહીં, પરંતુ પેટની અન્ય સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.
વરિયાળીનું દૂધ કેવી રીતે તૈયાર કરવું?
તેને તૈયાર કરવા માટે, સૌપ્રથમ દૂધને સ્વચ્છ વાસણમાં ઉકાળો, તેમાં એક કે બે ચમચી વરિયાળી નાખો, પછી તેને થોડી વાર ગરમ કરો.
જ્યારે સંપૂર્ણ સુગંધ આવવા લાગે ત્યારે તેને ગેસ પરથી ઉતારી લો. તેનો સ્વાદ વધારવા માટે તમે એલચી પણ ઉમેરી શકો છો.