ટીવી જોતી વખતે કેટલુ અંતર રાખવુ? જાણો શું કહે છે જાણકારો?
આજે ભારતમાં ટીવી સૌથી અસરકારક મનોરંજનનું સાધન છે. મોટાભાગના લોકોને ટીવી જોવાનો શોખ હોય છે. જો કે તમે નહીં જાણતા હોય કે ટીવીને યોગ્ય અંતર કરતા નજીકથી જોવામાં આવે તો આંખોને નુકસાન થઈ શકે છે.
અત્યારે બજારમાં મોટા મોટા ટીવી મળી રહ્યા છે ત્યારે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આપણે ટીવી કેટલા અંતરથી જોવું જોઈએ? જેથી આપણી આંખો પર ખરાબ અસર ન કરે.

ઘરમાં ટીવી લગાવતી વખતે મોટાભાગના લોકો રૂમમાં જગ્યા ન હોવા છતાં પણ મોટી સાઇઝનું ટીવી લગે છે. ટીવીની સાઈઝ પ્રમાણે તેને જોવા માટે તેને પર્યાપ્ત અંતર રાખવુ જરૂરી છે. જો આમ ન થાય તો મોટી સમસ્યાઓ થઈ શકે છે.
24 ઇંચની સ્ક્રીન
જો તમારું ટીવી 24 ઇંચનું છે તો તમારે ટીવીથી ઓછામાં ઓછુ 3 ફૂટ દુર બેસીને ટીવી જોવુ જોઈએ. અહીં એક વાત એ પણ જાણવી જરૂરી છે કે ટીવીને વધારે પડતા અંતરેથી પણ ન જોવુ જોઈએ. 24 ઈંચના ટીવીને ઓછામાં ઓછુ ત્રણ અને વધુમાં વધુ 5 ફૂટ દુર બેસીને જોવુ એ સારી સ્થિતી છે.
32 ઇંચ સ્ક્રીન
જો તમારા ઘરમાં 32 ઇંચનું ટીવી છે તો તમારે ટીવીથી ઓછામાં ઓછા 6 ફૂટ દુર બેસવુ જોઈએ. આ અંતર વધારેમાં વધારે 7 ફૂટ હોવુ જોઈએ. જો તમે ટીવીને નજીકથી જોશો તો તમને તેના પિક્સેલ નાના બૉક્સના રૂપમાં દેખાશે અને તમને સ્પષ્ટ ચિત્ર દેખાશે નહીં. આ સિવાય ટીવીમાંથી નીકળતા કિરણો જ્યારે આંખોને વધુ નુકસાન પહોંચાડે છે.
મોટા સ્ક્રીન ટીવી
જો તમારા ઘરમાં 43 ઇંચનું ટીવી છે તો તમારે તેને ઓછામાં ઓછા 6 ફૂટ અને વધુમાં વધુ 8 ફૂટના અંતરેથી જોવું જોઈએ. જો તમે મોટી સ્ક્રીનના શોખીન છો અને તમારા ઘરમાં 50 થી 55 ઈંચની સ્ક્રીન સાઈઝનું ટીવી છે તો તમારે તેને 10 ફૂટથી વધુનું અંતર જાળવવુ જોઈએ.












Click it and Unblock the Notifications
