Kidney Stone : પથરી મટાડવા બિયર પી રહ્યાં છો તો સાવધાન..! જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ?
Kidney Stone : પથરીથી પરેશાન ઘણા લોકોને તમે બિયર પીતા કે બિયર બીવાની સલાહ આપતા જોયા હશે. અહીં તમને સવાલ થતો હશે કે શું ખરેખર બિયર પીવાથી કિડની સ્ટોનંમાં ફાયદો થાય ખરો?
કિડનીમાં પથરીની સમસ્યા આજકાલ સામાન્ય છે. ઘણા લોકો કિડનીમાં પથરીની સમસ્યાથી પીડાય છે. જો કીડની સ્ટોનની સાઈઝ નાની હોય તો તે ટોઈલેટ દ્વારા બહાર આવે છે પરંતુ સાઈઝ મોટી હોય તો તે ઘણી બધી સમસ્યાઓનું કારણ બની શકે છે.

કિડનીની પથરીને લઈને પણ વિચિત્ર વાતો પ્રચલિત છે. કેટલાક લોકો કહે છે કે જો તમે કીડની સ્ટોન મટાડવા બીયર પીશો તો તે જાતે જ દૂર થઈ જશે. આ મામલામાં લોકો સાંભળેલી વાતો પર વિશ્વાસ કરીને બિયર પીવા લાગે છે.
'સર ગંગારામ હોસ્પિટલના યુરોલોજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. અમરેન્દ્ર પાઠકના જણાવ્યા અનુસાર, કિડનીના બે ભાગ છે. લોહી એક ભાગમાં ફિલ્ટર થાય છે અને પેશાબ બીજા ભાગમાં સંગ્રહિત થાય છે. બીજા ભાગમાં જે પેશાબ જમા થાય તેને પેલ્વિસ, યુરેટર અને મૂત્રાશય કહેવાય છે.
જ્યારે આ વિસ્તારમાં પેશાબ એકઠું થવા લાગે ત્યારે પથરી બનવાની શક્યતા વધી જાય છે. મોટાભાગની પથરી કેલ્શિયમ પત્થરો હોય છે. પથ્થરની રચના શોધવી થોડું મુશ્કેલ છે. લોકો પાણી ઓછું પીવે છે અને વધુ પ્રોટીન ખાય છે.
આ સ્થિતિમાં કિડનીમાં પથરીનું નિર્માણ અનિવાર્ય છે. જે લોકોના આહારમાં કેલ્શિયમ વધારે હોય અને તે પેશાબમાં જમા થઈ જાય છે તો તે પથરી બની જાય છે.
બીયર મુખ્યત્વે આલ્કોહોલિક પીણું છે, તેને પીવાથી વારંવાર પેશાબ થાય છે. ઘણા લોકો વિચારે છે કે વારંવાર પેશાબ કરવાથી પથરી નીકળી જશે. પરંતુ હજુ સુધી આવા કોઈ અભ્યાસમાં તેની સાબિતી મળી નથી.
કીડનીના દર્દીઓને ડોકટરો ક્યારેય બીયર પીવાની સલાહ આપતા નથી. જો કોઈ વ્યક્તિને કિડનીમાં પથરીના અવરોધની સમસ્યા હોય તો તેણે ઝડપથી શૌચાલય જવું પડે છે અને કિડની ફૂલી જાય છે. આવી સ્થિતિમાં સમસ્યા ગંભીર બની શકે છે. આ સ્થિતિમાં લોકોને બીયર પીવાની મનાઈ છે.
સંશોધન દરમિયાન એક ખાસ પ્રકારના સર્વેમાં ચૌકાવનારા તારણો જોવા મળ્યા. આ સર્વે પ્રિસ્ટીન નામની હેલ્થ કેર કંપનીએ એક સર્વે કર્યો હતો. આ સર્વેમાં એક ખૂબ જ રસપ્રદ વાત સામે આવી છે કે દરેક ત્રીજો ભારતીય માને છે કે બિયર પીવાથી કિડનીની પથરી દૂર થાય છે.












Click it and Unblock the Notifications
