જાણો મેડિટેશનના ફાયદા અને થઇ જાવ બધી સમસ્યાઓથી દૂર...
આપને કોઇ ટેંશન હોય કે ઊંઘ ના આવતી હો, આવામાં જો આપ કોઇ ડોક્ટરનો સંપર્ક કરશો તો તેઓ પણ ક્યારેક મેડિટેશન કરવાની સલાહ આપે છે. જેમાં એકાગ્રતાની ઊણપ હોય છે તેઓ ખૂબ જ ચિંતિત, ઉદાસ, ચિડચિડીયા અને હતાશ રહે છે. કેટલાંક લોકો અપરાધ ભાવના અને હીનભાવનાનો શિકાર પણ થઇ જાય છે. આત્મવિશ્વાસની ઉણપ અને અસુરક્ષાની ભાવના, કુંઠા, ગુસ્સો, ઘભરાહટ વગેરે વધી જાય છે.
શું આપ જાણો છો ધ્યાન એટલે કે મેડિટેશન કરવાનો શું ફાયદો થાય છે? આખરે મેડિટેશનના ફાયદા શું શું છે, આ અંગેની વિસ્તૃત માહિતી મેળવો આ લેખમાં અને તમે પણ લાગી જાવ ધ્યાનમાં....
તણાવને ઓછું કરે છે
જર્નલ હેલ્થ સાઇકોલોજીમાં છેલ્લા મહીને થયેલા રિસર્ચ પબ્લિકેશનમાં બતાવવામાં આવ્યું છે કે મેડીટેશન, તણાવને ઓછું કરે છે અને દિમાગને શાંત કરે છે, તેને કરવાથી શરીરનું કોરટિસોલ હારમોન યોગ્ય માત્રામાં રહે છે.
પોતાના અંગે જાણવા મળે છે
મેડીટેશન કરવાથી આપણે પોતાને જાણી શકીએ છીએ. ખરા-ખોટાની ખબર પડે છે. આને કરવાથી દરેક વ્યક્તિને પોતાના માંઇડસ્પોટની જાણકારી મળે છે જે આપણને વાસ્તવિકતાથી પર દોષોથી દૂર રાખે છે.
ગઠિયાથી ગ્રસિત લોકો માટે મદદગાર
2011માં એક જર્નલ અનુસાર આ તથ્ય સામે આવ્યું છે કે ગઠિયાથી પીડાતા લોકો, જો નિયમિત રીતે મેડિટેશન કરે છે તો તેમને આરામ મળે છે. આનાથી તણાવ અને થાકમાં પણ રાહત મળે છે.
મગજને સુરક્ષાત્મક રીતે બદલે છે
રિસર્ચર બતાવે છે કે જો કોઇ પણ વ્યક્તિ નિયમિત રીતે મેડિટેશન કરે છે તો દિમાગને સુરક્ષાત્મક રીતે બદલી શકે છે જેનાથી તેને કોઇ પણ નુકસાન નથી થતું. સકારાત્મક દ્રષ્ટિકોણ આવશે અને તેમના વિચાર પણ સારા રહેશે.
સંગીત સાંભળવામાં સારુ લાગે છે
જો મેડીટેશનને સતત કરવામાં આવે તો તેનાથી સંગીતમાં રસ વધે છે અને આપણને ધ્યાન કેન્દ્રીત કરવામાં સારુ લાગે છે.
ચાર તત્વ મદદ કરે છે
આપને ખૂબ જ ગુસ્સો આવે છે તો આપ ઘણીવાર આપનો કંટ્રોલ પણ ગુમાવી બેસો છો, જેમાં મેડિટેશન કરવામાં પણ આરામ મળે છે. આનાથી શરીરમાં ચેતના, દિમાગમાં તાજગી અને મનમાં સ્ફૂર્તિ આવે છે.
ગર્ભવતી મહિલાઓમાં ડિપ્રેશન ઓછું કરે છે
પાંચમાંથી એક ગર્ભવતી મહિલાને ડિપ્રેશન થાય છે, એવામાં તેમને મેડિટેશન કરવામાં આરામ મળે છે. મેડિટેશન એક પ્રકારનું માઇંડફુલનેસ યોગા હોય છે જે શરીરમાં સકારાત્મક ઉર્જાને એકત્રીત કરે છે.
ટીનેજરમાં ડિપ્રેશનની સમસ્યા દૂર કરે છે
ટીનએજર્સને લાગે છે કે દુનિયાની તમામ સમસ્યા તેમની જ પાસે છે. તેઓ ખૂબ જ તણાવમાં રહે છે. જો તેઓ નિયમિતપણે મેડિટેશન કરે તો તણાવ દૂર થશે અને ખુશ રહેશે.
વજન ઘટાડવામાં સહાયક
મેડિટેશન કરવાથી વજન પણ ઘટાડી શકાય છે. એક સર્વે અનુસાર, આ વાત સામે આવી છે કે જે લોકો વજન ઘટાડવાના ઇચ્છુક હોય તેઓ જો મનથી મેડિટેશન કરે તો તેઓ આનો લાભ લઇ શકે છે.
ઊંઘ આવવામાં મદદરૂપ
જો કોઇને અનીંદ્રાની સમસ્યા હોય તો ચોક્કસ મેડિટેશન કરે. મેડિટેશન કરવાથી મૂડ અને ઇમોશન કંટ્રોલમાં રહે છે અને ઊંઘ પણ સારી આવે છે.