For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો મેડિટેશનના ફાયદા અને થઇ જાવ બધી સમસ્યાઓથી દૂર...

|
Google Oneindia Gujarati News

આપને કોઇ ટેંશન હોય કે ઊંઘ ના આવતી હો, આવામાં જો આપ કોઇ ડોક્ટરનો સંપર્ક કરશો તો તેઓ પણ ક્યારેક મેડિટેશન કરવાની સલાહ આપે છે. જેમાં એકાગ્રતાની ઊણપ હોય છે તેઓ ખૂબ જ ચિંતિત, ઉદાસ, ચિડચિડીયા અને હતાશ રહે છે. કેટલાંક લોકો અપરાધ ભાવના અને હીનભાવનાનો શિકાર પણ થઇ જાય છે. આત્મવિશ્વાસની ઉણપ અને અસુરક્ષાની ભાવના, કુંઠા, ગુસ્સો, ઘભરાહટ વગેરે વધી જાય છે.

શું આપ જાણો છો ધ્યાન એટલે કે મેડિટેશન કરવાનો શું ફાયદો થાય છે? આખરે મેડિટેશનના ફાયદા શું શું છે, આ અંગેની વિસ્તૃત માહિતી મેળવો આ લેખમાં અને તમે પણ લાગી જાવ ધ્યાનમાં....

તણાવને ઓછું કરે છે

તણાવને ઓછું કરે છે

જર્નલ હેલ્થ સાઇકોલોજીમાં છેલ્લા મહીને થયેલા રિસર્ચ પબ્લિકેશનમાં બતાવવામાં આવ્યું છે કે મેડીટેશન, તણાવને ઓછું કરે છે અને દિમાગને શાંત કરે છે, તેને કરવાથી શરીરનું કોરટિસોલ હારમોન યોગ્ય માત્રામાં રહે છે.

પોતાના અંગે જાણવા મળે છે

પોતાના અંગે જાણવા મળે છે

મેડીટેશન કરવાથી આપણે પોતાને જાણી શકીએ છીએ. ખરા-ખોટાની ખબર પડે છે. આને કરવાથી દરેક વ્યક્તિને પોતાના માંઇડસ્પોટની જાણકારી મળે છે જે આપણને વાસ્તવિકતાથી પર દોષોથી દૂર રાખે છે.

ગઠિયાથી ગ્રસિત લોકો માટે મદદગાર

ગઠિયાથી ગ્રસિત લોકો માટે મદદગાર

2011માં એક જર્નલ અનુસાર આ તથ્ય સામે આવ્યું છે કે ગઠિયાથી પીડાતા લોકો, જો નિયમિત રીતે મેડિટેશન કરે છે તો તેમને આરામ મળે છે. આનાથી તણાવ અને થાકમાં પણ રાહત મળે છે.

મગજને સુરક્ષાત્મક રીતે બદલે છે

મગજને સુરક્ષાત્મક રીતે બદલે છે

રિસર્ચર બતાવે છે કે જો કોઇ પણ વ્યક્તિ નિયમિત રીતે મેડિટેશન કરે છે તો દિમાગને સુરક્ષાત્મક રીતે બદલી શકે છે જેનાથી તેને કોઇ પણ નુકસાન નથી થતું. સકારાત્મક દ્રષ્ટિકોણ આવશે અને તેમના વિચાર પણ સારા રહેશે.

સંગીત સાંભળવામાં સારુ લાગે છે

સંગીત સાંભળવામાં સારુ લાગે છે

જો મેડીટેશનને સતત કરવામાં આવે તો તેનાથી સંગીતમાં રસ વધે છે અને આપણને ધ્યાન કેન્દ્રીત કરવામાં સારુ લાગે છે.

ચાર તત્વ મદદ કરે છે

ચાર તત્વ મદદ કરે છે

આપને ખૂબ જ ગુસ્સો આવે છે તો આપ ઘણીવાર આપનો કંટ્રોલ પણ ગુમાવી બેસો છો, જેમાં મેડિટેશન કરવામાં પણ આરામ મળે છે. આનાથી શરીરમાં ચેતના, દિમાગમાં તાજગી અને મનમાં સ્ફૂર્તિ આવે છે.

ગર્ભવતી મહિલાઓમાં ડિપ્રેશન ઓછું કરે છે

ગર્ભવતી મહિલાઓમાં ડિપ્રેશન ઓછું કરે છે

પાંચમાંથી એક ગર્ભવતી મહિલાને ડિપ્રેશન થાય છે, એવામાં તેમને મેડિટેશન કરવામાં આરામ મળે છે. મેડિટેશન એક પ્રકારનું માઇંડફુલનેસ યોગા હોય છે જે શરીરમાં સકારાત્મક ઉર્જાને એકત્રીત કરે છે.

ટીનેજરમાં ડિપ્રેશનની સમસ્યા દૂર કરે છે

ટીનેજરમાં ડિપ્રેશનની સમસ્યા દૂર કરે છે

ટીનએજર્સને લાગે છે કે દુનિયાની તમામ સમસ્યા તેમની જ પાસે છે. તેઓ ખૂબ જ તણાવમાં રહે છે. જો તેઓ નિયમિતપણે મેડિટેશન કરે તો તણાવ દૂર થશે અને ખુશ રહેશે.

વજન ઘટાડવામાં સહાયક

વજન ઘટાડવામાં સહાયક

મેડિટેશન કરવાથી વજન પણ ઘટાડી શકાય છે. એક સર્વે અનુસાર, આ વાત સામે આવી છે કે જે લોકો વજન ઘટાડવાના ઇચ્છુક હોય તેઓ જો મનથી મેડિટેશન કરે તો તેઓ આનો લાભ લઇ શકે છે.

ઊંઘ આવવામાં મદદરૂપ

ઊંઘ આવવામાં મદદરૂપ

જો કોઇને અનીંદ્રાની સમસ્યા હોય તો ચોક્કસ મેડિટેશન કરે. મેડિટેશન કરવાથી મૂડ અને ઇમોશન કંટ્રોલમાં રહે છે અને ઊંઘ પણ સારી આવે છે.

English summary
Meditation may seem like a silly practice to some, but for others, its benefits are obvious. The practice of quiet mindfulness is great for you. Once you try it, you can tell.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X