જે લોકો આ વસ્તુઓ અપનાવે છે તેમના જીવનમાં નથી આવતી કોઈ મુશ્કેલી
મહાન વિદ્વાન આચાર્ય ચાણક્યના શબ્દો આજે પણ એટલા જ પ્રાસંગિક છે જેટલા તેમના સમયમાં હતા. તેમના દ્વારા લખવામાં આવેલ નીતિ શાસ્ત્રમાં આવી કેટલીક નીતિઓ જણાવવામાં આવી છે, જેને અનુસરનાર વ્યક્તિ જીવનમાં નિષ્ફળ થઈ શકતી નથી.
નવી દિલ્હી : મહાન વિદ્વાન આચાર્ય ચાણક્યના શબ્દો આજે પણ એટલા જ પ્રાસંગિક છે જેટલા તેમના સમયમાં હતા. તેમના દ્વારા લખવામાં આવેલ નીતિ શાસ્ત્રમાં આવી કેટલીક નીતિઓ જણાવવામાં આવી છે, જેને અનુસરનાર વ્યક્તિ જીવનમાં નિષ્ફળ થઈ શકતી નથી. તે દરેક પડકારને પાર કરે છે અને સફળતા મેળવે છે.
વધુ મહત્વની વાત એ છે કે, આ લોકોના જીવનમાં મુશ્કેલીઓ ભાગ્યે જ આવે છે. કારણ કે, તેમની કેટલીક ખાસ વસ્તુઓ તેમને પરેશાનીઓથી દૂર રાખે છે.
આ બાબતોનું પાલન કરો
આવક કરતાં વધુ ખર્ચ ન કરો :
આચાર્ય ચાણક્ય કહે છે કે, કુબેર પણ જો આવક કરતાં વધુ ખર્ચ કરે છે તો તે પણ થોડા સમયમાં ગરીબ થઈ જશે. તેથી તમારી આવક અનુસાર ખર્ચ કરો અને મુશ્કેલસમય માટે ચોક્કસપણે બચત કરો.
બીજાની ભૂલોમાંથી શીખો :
ભૂલો કરીને શીખવા માટે માણસનું જીવન ખૂબ ટૂંકું છે, તેથી બીજાની ભૂલોમાંથી શીખો અને તમારા જીવનમાં તેનું પુનરાવર્તન ન કરો.
તમારા રહસ્યો ન જણાવો :
જો તમે કોઈ મોટું કામ પૂર્ણ કરવા ઈચ્છો છો તો તેની યોજના છૂપાવો. તમારા આ રહસ્યો બીજાને ન જણાવો. જ્યારે તમે સફળ થશો, ત્યારે લોકોને તેના વિશે આપોઆપખબર પડી જશે.
મનને હારી ન જવા દો :
જો તમે કોઈ કામમાં નિષ્ફળ થાવ તો પણ હિંમત ન હારી. કારણ કે, મનનો વિજય એ વિજય છે અને મનની હાર એ હાર છે. જે મનમાં હાર સ્વીકારે છે તે તેને હરાવીશકે છે.
તમારી જાતને 3 પ્રશ્નો પૂછો :
જ્યારે પણ તમે કોઈ પણ કાર્ય શરૂ કરો અથવા લક્ષ્ય નક્કી કરો, ત્યારે સૌથી પહેલા તમારી જાતને 3 પ્રશ્નો પૂછો, હું આ કેમ કરી રહ્યો છું? આનું પરિણામ શું આવશે? શુંમારી પાસે આ કામ કરવાની ક્ષમતા છે? જો તમને આ ત્રણ પ્રશ્નોના સાચા જવાબો મળી જાય તો તે કામ ચોક્કસ કરો.