તલાટી, જુનિયર ક્લાર્ક સહિત હજારો નવનિયુક્ત સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા અપાશે નિમણૂક પત્ર
Gujarat Govt. Jobs: રાજ્યના પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવેલ પરીક્ષાના સફળ ઉમેદવારોને દિવાળી પહેલા નિમણૂક પત્ર આપવામાં આવી શકે છે. આ માટે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજી સફળ ઉમેદવારોને અમદાવાદ અથવા ગાંધીનગરમાં નિમણૂક પત્ર આપવામાં આવી શકે છે.
આ કાર્યક્રમ દિવાળી પહેલા એટલે કે નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ યોજાઈ શકે છે. જેના માટેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્ર અપાશે. જેના માટેની તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં 3437 તલાટી કમ મંત્રી અને 1181 જુનિયર ક્લાર્કની જગ્યા ભરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી. જુનિયર ક્લાર્ક માટે 9 એપ્રિલના રોજ 1181 જગ્યા માટે રાજ્યના 32 જિલ્લાના 3 હજાર પરીક્ષા કેન્દ્રો પર 7.28 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. વળી, તલાટીની પરીક્ષા 7 મે, 2023ના રોજ રાજ્યના 2697 પરીક્ષા કેન્દ્રોમાં 8.64 લાખ ઉમેદવારોએ આપી હતી. જેમાં 3437 તલાટીના પદ માટે જોગવાઈ છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
