તલાટી, જુનિયર ક્લાર્ક સહિત હજારો નવનિયુક્ત સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા અપાશે નિમણૂક પત્ર
Gujarat Govt. Jobs: રાજ્યના પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવેલ પરીક્ષાના સફળ ઉમેદવારોને દિવાળી પહેલા નિમણૂક પત્ર આપવામાં આવી શકે છે. આ માટે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજી સફળ ઉમેદવારોને અમદાવાદ અથવા ગાંધીનગરમાં નિમણૂક પત્ર આપવામાં આવી શકે છે.
આ કાર્યક્રમ દિવાળી પહેલા એટલે કે નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ યોજાઈ શકે છે. જેના માટેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્ર અપાશે. જેના માટેની તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં 3437 તલાટી કમ મંત્રી અને 1181 જુનિયર ક્લાર્કની જગ્યા ભરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી. જુનિયર ક્લાર્ક માટે 9 એપ્રિલના રોજ 1181 જગ્યા માટે રાજ્યના 32 જિલ્લાના 3 હજાર પરીક્ષા કેન્દ્રો પર 7.28 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. વળી, તલાટીની પરીક્ષા 7 મે, 2023ના રોજ રાજ્યના 2697 પરીક્ષા કેન્દ્રોમાં 8.64 લાખ ઉમેદવારોએ આપી હતી. જેમાં 3437 તલાટીના પદ માટે જોગવાઈ છે.












Click it and Unblock the Notifications
