JEE Mains પ્રવેશ પરીક્ષા 2022 ફેબ્રુઆરીને બદલે માર્ચમાં શરૂ થઈ શકે, આ છે કારણ!
ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય સ્તરે આયોજિત પરીક્ષા JEE મેઇન્સ 2022 ના સમયપત્રકમાં ફેરફાર થવાની સંભાવના છે. અત્યાર સુધી ફેબ્રુઆરીમાં આયોજિત આ પરીક્ષા હવે માર્ચમાં લેવામાં આવી શકે છે.
નવી દિલ્હી, 31 ડિસેમ્બર : ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય સ્તરે આયોજિત પરીક્ષા JEE મેઇન્સ 2022 ના સમયપત્રકમાં ફેરફાર થવાની સંભાવના છે. અત્યાર સુધી ફેબ્રુઆરીમાં આયોજિત આ પરીક્ષા હવે માર્ચમાં લેવામાં આવી શકે છે. પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને કારણે થઈ શકે છે. તમને જણાવી દઈએ કે NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) દ્વારા આ પરીક્ષાનો પ્રસ્તાવિત સમય ફેબ્રુઆરી 2022 છે. જો કે, વિધાનસભાની ચૂંટણી પણ ફેબ્રુઆરી-માર્ચમાં જ યોજાઈ શકે છે. આવી સ્થિતિમાં NTA ચૂંટણીની તારીખો પર નજર રાખી રહ્યું છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર અનુસાર, શિક્ષણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, એન્જિનિયરિંગ પ્રવેશ માટેની પરીક્ષામાં વિલંબ થઈ શકે છે કારણ કે આવતા વર્ષે ઘણા રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવાની છે. તમને જણાવી દઈએ કે JEE Mains 2022ની પરીક્ષા ચાર તબક્કામાં લેવામાં આવી શકે છે. તેનો પ્રથમ તબક્કો માર્ચમાં, બીજો એપ્રિલમાં, ત્રીજો મેમાં અને ચોથો જૂનમાં યોજાઈ શકે છે.
તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓને દર વર્ષે JEE મેઈનની પરીક્ષાના માત્ર 2 ચાન્સ મળે છે, પરંતુ કોરોના મહામારીને જોતા 2022માં NTAએ ચાર તબક્કામાં આ પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે સરકાર પણ ઇચ્છે છે કે JEE મેઇન્સ 2022 ચાર તબક્કામાં યોજવામાં આવે.
2021માં જેઇઇ મેઇન્સ પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતમાંથી 30 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. કુલ 90 પ્રશ્નો હતા. તેમાંથી 25ને એટેન્ડ કરવા ફરજીયાત હતા. 5 પ્રશ્નોના વિકલ્પો હતા.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
