દીવાળી બાદ વધુ બે ખાન... પૂછો કોણ?
મુંબઈ, 10 નવેમ્બર : હા જી. નવેમ્બર માસ આ વખતે તહેવારો સાથે લાવ્યું છે. ઝળઝળાતી દીવાળીનો તહેવાર કાયમ આશાઓ પેદા કરે છે, પરંતુ આ વખતે દીવાળી બૉક્સ ઑફિસે જંગલ લઈને આવી છે. એક બાજુ 13મી નવેમ્બર દીવાળીના દિવસે રિલીઝ થનાર શાહરુખ ખાનની ફિલ્મ જબ તક હૈ જાન અને અજય દેવગણની સન ઑફ સરદાર અંગે પંગો થઈ રહ્યો છે, તો બીજી બાજુ દીવાળી બાદ 30મી નવેમ્બરે બૉલીવુડના મિસ્ટર પરફેક્ટ આમિર ખાનની તલાશ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.

શાહરુખ માટે આ સમય કોઈ અગ્નિ-પરીક્ષાથી ઓછો નથી, કારણ કે જેટીએચજેને રિલીઝ થતાની સાથે સન ઑફ સરદાર અને રિલીઝ થયાં બાદ તલાશની જોરદાર ટક્કર મળવાની છે. વર્ષ 2008માં એવું જ થયુ હતું. શાહરુખની રબ ને બના દી જોડી રિલીઝ થઈ હતી. ફિલ્મ ધીરે-ધીરે ઝડપ પકડતી હતી કે આમિરની ફિલ્મ ગઝની રિલીઝ થઈ હતી. ગઝનીએ પણ રબ ને બના દી જોડીનું માર્કેટ ડાઉન કરી નાંખ્યુ હતું. ખેર જોઇએ કે આમિર ખાન પોતાની તલાશથી ચાર વરસ અગાઉનો કારનામો દોહરાવી શકશે કે નહિં?
આપને જણાવી દઇએ કે રેડ લાઇટ એરિયાના દર્દને શોધતી રીમા કાગતીની તલાશમાં આમિર ખાન એક પોલીસ ઇંસ્પેક્ટરના પાત્રમાં છે. ફિલ્મમાં તેમની સાથે રાણી મુખર્જી અને કરના કપૂર પણ છે. ફિલ્મ કરીના માટે પણ ખૂબ મહત્વ ધરાવે છે કારણ કે લગ્ન બાદ તેમની આ પ્રથમ ફિલ્મ છે. કહી શકાય કે દીવાળી બાદ બે વધુ ખાનો આપી સામે હશે. એક આમિર ખાન અને બીજાં કરીના સૈફ અલી ખાન.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
