Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સિદ્ધાર્થ શુક્લા બાદ આ ટીવી એક્ટરનું અવસાન

ટીવી ઉદ્યોગને અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુના આઘાતમાંથી હજૂ બહાર આવ્યો નથી, ત્યારે ટીવી શો 'એમટીવી લવ સ્કૂલ'થી લોકપ્રિય બનેલા અભિનેતા જગનૂર અનેજાનું ગુરુવારના રોજ હૃદયરોગના હુમલાથી નિધન થયું છે.

મુંબઈ : ટીવી ઉદ્યોગને અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુના આઘાતમાંથી હજૂ બહાર આવ્યો નથી, ત્યારે ટીવી શો 'એમટીવી લવ સ્કૂલ'થી લોકપ્રિય બનેલા અભિનેતા જગનૂર અનેજાનું ગુરુવારના રોજ હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. જગનૂર અનેજાના નિધનથી ટીવી અને ફિલ્મ ઉદ્યોગ સહિત ચાહકોને પણ મોટો આઘાત લાગ્યો છે. જગનૂર અનેજા ઇજિપ્તમાં પોતાનું વેકેશન મનાવી રહ્યો હતો, આ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો.

Jagnoor Aneja

ટીવી ઉદ્યોગ આઘાતમાં

ટીવી ઉદ્યોગ આઘાતમાં

ટીવી ઉદ્યોગના યુવા કલાકાર જગનૂર અનેજાનું મોત થવાને કારણે પરિવારના સભ્યોમાં શોકનો માહોલ છે. મિત્રો સંબંધીઓ અને ચાહકો સોશિયલ મીડિયા દ્વારા જગનૂરઅનેજાને તેમની ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જગનૂર અનેજાના મિત્ર અને 'છોટી સરદારની' અભિનેતા માહિર પાંધીએ એક ફોટો શેર કરીને તેમના નિધન પરશોક વ્યક્ત કર્યો છે. આ ફોટામાં માહિર જગ્નૂર સાથે જોવા મળી રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પરની છેલ્લી પોસ્ટ

ઇન્સ્ટાગ્રામ પરની છેલ્લી પોસ્ટ

ચાહકો-સેલેબ્સ સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ પર તેમના કલાકારો સાથે જોડાયેલી તમામ યાદો શેર કરી રહ્યા છે. જગાનુર અનેજાએ છેલ્લે ઇન્સ્ટાગ્રામ પર એકવીડિયો શેર કર્યો હતો, જેમાં તે ઇજિપ્તના પિરામિડની મુલાકાત લેતો જોવા મળ્યો હતો. જગનુરે તેમના મૃત્યુના કલાકો પહેલા કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે, 'જ્યારે મેંગીઝાના મહાન પિરામિડની મુલાકાત લીધી, ત્યારે એક સ્વપ્ન સાકાર થયું. બીજી જગ્યા મારી બકેટ લીસ્ટથી દૂર છે.

પોસ્ટ કરેલા ફોટો-વીડિયોમાં, જગનૂર સંપૂર્ણ રીતે ફિટ દેખાઈ રહ્યો છે, ચાહકો માની શકતા નથી કે, તેનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. કોઈને ખબર ન હતી કે, આજગનૂરની છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટ હશે, આખી દુનિયાની મુસાફરી કરવાનું તેમનું સ્વપ્ન હવે અધૂરું રહી ગયું છે. ભારતમાં જગનૂરના પરિવારના સભ્યો હજૂ પણતેના મૃતદેહની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ઘણા ચાહકો સિદ્ધાર્થ શુક્લાને યાદ કરીને બંનેને સાથે મળીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

જગનૂર ઘેરાયો હતો વિવાદમાં

જગનૂર ઘેરાયો હતો વિવાદમાં

જગનૂર અનેજાએ ટીવી શો 'એમટીવી લવ સ્કૂલ'થી ઘણી લોકપ્રિયતા મેળવી, તે પહેલી અને બીજી સિઝનમાં દેખાયો હતો. મળતી માહિતી મુજબ તેણે પોતાની પૂર્વગર્લફ્રેન્ડ મોનિકા સાથેના સંબંધોને ઉકેલવા માટે શોમાં ભાગ લીધો હતો, પરંતુ તે સફળ થઈ શક્યો ન હતો. બંનેનું બ્રેકઅપ થયું હતું. એક સ્પર્ધકે જગનૂરના જાતીયઅભિગમ પર સવાલ ઉઠાવતા શોમાં હોબાળો થયો હતો.

સુશાંત અને સિદ્ધાર્થે પણ કહ્યું દુનિયાને અલવિદા

સુશાંત અને સિદ્ધાર્થે પણ કહ્યું દુનિયાને અલવિદા

ફિલ્મ અને ટીવી ઉદ્યોગના યુવા કલાકારોના નિધનથી દરેકને આઘાત લાગ્યો છે. ગયા વર્ષે 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ચાહકો અને સેલેબ્સનેમોટો આંચકો લાગ્યો હતો. અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નિધન થયું હતું. સિદ્ધાર્થના મૃત્યુ બાદ હવે જગનૂરની વિદાયનેકારણે ઉદ્યોગને મોટો આંચકો લાગ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X