આ અભિનેત્રીએ તોડાવ્યુ ઐશ્વર્યા-અભિષેકનું ઘર? ક્યારેક કરતી હતી અમિતાભ બચ્ચનના દિલ પર રાજ
સમાચારો પર વિશ્વાસ કરીએ તો જલ્દી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના ડિવોર્સ થઈ શકે છે. હવે આ ડિવોર્સના અહેવાલો વચ્ચે અન્ય એક અભિનેત્રીનું નામ પણ વચ્ચે આવી રહ્યું છે.
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ફેન્સના પ્રિય કપલમાંથી એક છે. બંનેના લગ્નને 17 વર્ષ થયા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે બંને વચ્ચે કંઈક બરાબર નથી.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન અલગ-અલગ જોવા મળ્યા. ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે એકલી પહોંચી તો બચ્ચન પરિવાર તેમની વહુ વગર સાથે જોવા મળ્યો. જે બાદ ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડાના સમાચાર પહેતા થયા છે.
જો કે, અનંત અને રાધિકાના લગ્નનો ઐશ્વર્યા રાયનો વધુ એક વીડિયો હેડલાઇન્સમાં રહ્યો હતો. આ દરમિયાન બંનેએ એકબીજાને ગળે લગાવ્યા અને સરસ વાતો પણ કરી. આ પહેલીવાર નથી જ્યારે ઐશ્વર્યા અને રેખા સાથે જોવા મળ્યા હોય.
આ પહેલા પણ રેખા ઘણી વખત મીડિયા સામે ખુલ્લેઆમ ઐશ્વર્યા રાય પર પોતાનો પ્રેમ વરસાવી ચૂકી છે. એક તરફ ઐશ્વર્યા રાયે આખા ફંક્શન દરમિયાન તેની સાસુ જયા બચ્ચન અને ભાભી શ્વેતા બચ્ચનથી અંતર બનાવી રાખ્યું તો બીજી તરફ રેખાની આટલી નિકટતા જોઈને ચાહકો અનુમાન લગાવવા લાગ્યા કે આ કારણે બચ્ચન પરિવાર ઐશ્વર્યા રાયથી નારાજ છે. સાસુ જયા બચ્ચન પણ તેમનાથી દૂર જઈ રહી છે.
એક તરફ રેખા ઘણીવાર બચ્ચન પરિવારથી અંતર જાળવી રાખે છે. બીજી તરફ પુત્રવધૂ ઐશ્વર્યા રાય સાથેની નિકટતાને કારણે ઘણા આરોપો લગાવવામાં આવ્યા છે. તેના કારણે બચ્ચન પરિવાર તૂટી રહ્યો છે.
અમિતાભ બચ્ચન અને રેખાની લવ સ્ટોરીથી બધા વાકેફ છે. પરિણીત હોવા છતાં અમિતાભ બચ્ચને રેખાને લાંબા સમય સુધી ડેટ કરી હતી. જો કે, જયા બચ્ચનના કારણે બંને પાછળથી અલગ થઈ ગયા હતા.
આ પછી રેખા અને અમિતાભે ફરી કોઈ ફિલ્મમાં સાથે કામ કર્યું નથી. આ સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા રાય અને રેખા વચ્ચેના સંબંધો બચ્ચન પરિવારમાં મતભેદનું કારણ બની શકે છે. જો કે, હજુ સુધી બચ્ચન પરિવારમાંથી કોઈએ સત્ય શું છે તે અંગે કોઈ નિવેદન આપ્યું નથી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
