અજય દેવગણે દીકરી નીસાના ટ્રોલ થવા પર તોડ્યુ મૌન, છલકાઈ પીડા, કહ્યુ - તમે આને બદલી ના શકો
અવારનવાર ટ્રોલર્સના નિશાના પર આવી જતી ન્યાસા પર પિતા અજય દેવગણની પ્રતિક્રિયા સામે આવી છે.

Ajay Devgan On Nysa Devgan Trolling: બૉલિવુડ અભિનેતા અજય દેવગણની દીકરી ન્યાસા દેવગણ હંમેશા કોઈને કોઈ કારણસર છવાયેલી રહે છે. ન્યાસા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે. જો કે, તે અવારનવાર ટ્રોલર્સના નિશાના પર આવી જાય છે. હવે આ બધા પર પિતા અજય દેવગણની પ્રતિક્રિયા સામે આવી છે.

ન્યાસાની ટ્રોલિંગ પર છલકાયુ અજય દેવગણનુ દર્દ
અજય દેવગન હાલમાં તેની આગામી ફિલ્મ 'ભોલા'ને લઈને ચર્ચામાં છે. અભિનેતા પૂરજોશમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ એક ઈવેન્ટમાં અજય દેવગણે મીડિયા સાથે વાતચીત કરી હતી, જે દરમિયાન તેને દીકરી ન્યાસા દેવગનની ટ્રોલિંગ પર સવાલ કરવામાં આવ્યો હતો. તેના પર અભિનેતાએ જણાવ્યુ કે તેની અને તેના પરિવાર પર તેની કેવી અસર થાય છે.

લોકો આટલા બધા નેગેટીવ કેમ હોય છે?
ટ્રોલિંગ પર મૌન તોડતા અજય દેવગને કહ્યુ, 'હું મારા બાળકોને સમજાવુ છુ કે તેઓ ઓનલાઈન લખેલી વસ્તુઓથી પરેશાન ન થાય. તમારા ચાહકો અને પ્રેક્ષકોની તુલનામાં તમને ટ્રોલ કરનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. મને ખબર નથી પડતી કે લોકો આટલા બધા નેગેટીવ કેમ છે.'

બાળકોને આપે છે આ સલાહ
અજય દેવગન વધુમાં કહે છે કે, 'હવે હું પણ લોકોની આ નકારાત્મક ટિપ્પણીઓને અવગણવાનું શીખી ગયો છુ અને હું મારા બાળકોને પણ કહુ છુ કે આ બાબતોને અવગણો. મને સમજાતુ નથી કે તેઓ ક્યારેક શું લખી દેતા હોય છે તેથી હવે મે તેનાથી પરેશાન કરવાનું બંધ કરી દીધુ છે.

હું આ બધાથી કંટાળી ગયો છુ
અજય દેવગને વધુમાં કહ્યું કે, 'લોકોની નજર હંમેશા મારા બંને બાળકો પર ટકેલી હોય છે. હું આ બધાથી કંટાળી ગયો છું. હું આ વસ્તુઓને બદલી શકતો નથી અને ન તો હું ટ્રોલિંગને રોકી શકુ છુ. ક્યારેક ટ્રોલ કરનારાઓ કંઈક એવુ બોલે છે જેનાથી મને આશ્ચર્ય થાય છે કે આટલુ નેગેટીવ કેમ? પરંતુ જો હું આ અંગે કોઈ જવાબ આપીશ તો બની શકે છે કે મામલો વધુ વધે.

અજય દેવગણનુ વર્કફ્રંટ
અજય દેવગનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, ફિલ્મ દૃષ્ટિમ 2 પછી તે ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ 'ભોલા'માં જોવા મળશે. આ ફિલ્મ 30 માર્ચ, 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે. ફિલ્મમાં અજય અને તબ્બુ ઉપરાંત દિપક ડોબરિયાલ, ગજરાજ રાવ અને વિનીત કુમાર જેવા મોટા સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
