અક્ષય કુમારે આખરે પાન મસાલાની જાહેરાત વિવાદ પર તોડ્યુ મૌન, જણાવ્યુ શાહરુખ-અજય સાથે ક્યારે કર્યુ હતુ શૂટિંગ
Akshay Kumar Reaction On Pan Masala Add: બૉલિવુડના ખિલાડી અક્ષય કુમારે ફરીથી શાહરુખ ખાન અને અજય દેવગણ સાથે પાન મસાલા એડ કરી છે. તેના એક પ્રશંસકે આ જાહેરાતનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ પછી અક્ષય કુમાર ફરીથી વિવાદમાં સપડાયો હતો.
સોશિયલ મીડિયા પર અક્ષય કુમારને હાલમાં ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અક્ષય કુમારનો આ વીડિયો સામે આવતાની સાથે જ લોકોએ તેને જૂની ઘટના યાદ અપાવી હતી જ્યારે તેણે આવી જાહેરાત કરવા બદલ માફી માંગી હતી અને કહ્યું હતું કે તે આવતી વખતે આવી ભૂલ નહીં કરે.

પરંતુ અક્ષયે આ ભૂલ કરી છે અને તેથી જ તે સોશિયલ મીડિયા પર જાહેરાતને કારણે ટ્રોલ થઈ રહ્યો છે. હવે તેણે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે અને જણાવ્યું છે કે આ જાહેરાત ક્યારે શૂટ કરવામાં આવી હતી. પાન મસાલાની જાહેરાતના વિવાદ બાદ અક્ષય કુમારે એક પોસ્ટ શેર કરી છે.
એક ન્યૂઝ પોર્ટલને જવાબ આપતા તેણે લખ્યું, 'જો તમે અન્ય બાબતોની સાથે ફેક ન્યૂઝમાં રસ ધરાવો છો, તો અહીં તમારા માટે કેટલાક તથ્યો છે. આ જાહેરાત 13 ઓક્ટોબર, 2021ના રોજ શૂટ કરવામાં આવી હતી. ત્યારે જ મેં આ જાહેરાતો બંધ કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી મારે બ્રાન્ડ સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ આવતા મહિનાના અંત સુધી કાયદેસર રીતે પ્રી-શોટ કમર્શિયલ ચલાવી શકે છે. શાંત રહો અને કેટલાક વાસ્તવિક સમાચાર કરો.'
તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં અક્ષય કુમાર શાહરૂખ ખાન અને અજય દેવગન સાથે પાન મસાલાની જાહેરાત કરતો જોવા મળ્યો હતો. જેમાં અજય અને શાહરૂખ ઘરની બહાર તેમની રાહ જોઈને કારમાં બેઠા છે. આ પછી, પાન મસાલા અભિનેતાનું ધ્યાન આકર્ષિત કરે છે અને પછી અક્ષય કુમાર બહાર આવે છે. આ બધાની બ્રાંડની સિગ્નેચર સ્ટાઈલ બતાવવા સાથે જાહેરાત ખતમ થાય છે. પરંતુ હવે અક્ષય કુમારે તેની તાજેતરની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે તેને આ જાહેરાત સાથે કોઈ લેવાદેવા નથી અને તે ઘણી જૂની છે.












Click it and Unblock the Notifications
