Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'15 વર્ષની ઉંમરમાં મારા દીકરા આરવે છોડી દીધુ છે ઘર', અક્ષય કુમારે બાળકો વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો

Akshay Kumar: બૉલિવુડ એક્ટર અક્ષય કુમાર અત્યારે ચર્ચામાં છે. 20 મે, 2024ના રોજ, અક્ષય કુમારે ભારતમાં પ્રથમ વખત મતદાન કર્યું. ત્યારથી તેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. સાથે જ અક્ષય કુમારે બૉલિવુડમાં પોતાના કરિયર અને લગ્ન જીવન વિશે ઘણી વાતો કહી છે.

અક્ષય કુમાર મીડિયા સામે પોતાના બાળકો વિશે કંઈપણ બોલવાનું પસંદ નથી કરતો પરંતુ આ વખતે તેણે પોતાના પુત્ર આરવ વિશે ખુલીને વાત કરી છે. અભિનેતા કહે છે કે તેનો પુત્ર આરવ ફિલ્મોનો ભાગ બનવા માંગતો નથી. તે ગ્લેમરની આ દુનિયાથી દૂર રહેવા માંગે છે.

Akshay Kumar

તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર મોટેભાગે પોતાના બંને બાળકોને લાઇમલાઇટથી દૂર રાખવાનું પસંદ કરે છે. જોકે, તેણે ક્રિકેટર શિખર ધવનના નવા ટૉક શો 'ધવન કરેંગે'માં પોતાના અંગત જીવન વિશે ઘણી વાતો કરી છે. શોમાં અક્ષય કુમારે જણાવ્યું કે આરવ ફિલ્મોનો ભાગ બનવા નથી ઈચ્છતો પરંતુ તે ફેશન ઈન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે.

આ શોમાં વાત કરતી વખતે અક્ષય કુમારે કહ્યું- મારો પુત્ર આરવ લંડન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેણે 15 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું. તે હંમેશા અભ્યાસનો શોખીન હતો અને એકલા રહેવા માંગતો હતો. ઘરથી દૂર લંડન જવાનો તેનો નિર્ણય હતો, તેમ છતાં હું તેને જવા દેવા માંગતો ન હતો. જો કે, હું તેને રોકી શક્યો નહીં કારણ કે મેં પોતે 14 વર્ષની ઉંમરે મારું ઘર છોડી દીધું હતું.

પોતાના પુત્ર આરવ વિશે વાત કરતા અક્ષય કુમારે કહ્યું- તેને ઘરનું તમામ કામ જાતે કરવાનું પસંદ છે. તેને મોંઘા કપડાંનો પણ શોખ નથી. તે જાણે છે કે પૈસા કેવી રીતે બચાવવા. અક્ષય કુમારે પોતાના પુત્રના વખાણ કરતા કહ્યું- તે પોતાના કપડા ખરીદવા માટે થ્રીફ્ટી નામના સેકન્ડ હેન્ડ સ્ટોર પર જાય છે કારણ કે તે આ વસ્તુઓ પર પૈસા વેડફવા માંગતો નથી.

અક્ષય કુમારે આગળ કહ્યું - આરવ માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવું ખૂબ જ સરળ હશે કારણ કે તેના માતા-પિતા અને દાદા-દાદી બધા જ આ ઉદ્યોગનો હિસ્સો રહ્યા છે. તેણે કહ્યું કે આમ છતાં તેના પુત્રને ફિલ્મોમાં કોઈ રસ નથી.

અક્ષય કુમારે કહ્યું- અમે ક્યારેય આરવને કંઈ કરવા માટે દબાણ કર્યું નથી. તેને ફેશનમાં રસ છે, તે સિનેમાનો ભાગ બનવા માંગતો નથી. તે મારી પાસે આવ્યો અને કહ્યું કે મારે ફિલ્મો નથી કરવુ. મેં કહ્યું તારી જિંદગી છે, તારે જે કરવું હોય તે કર. તમારું જીવન તમારી રીતે જીવો.

અક્ષય કુમારે એમ પણ કહ્યું કે તેના પુત્ર આરવને સામાન્ય વ્યક્તિ જેવો બનાવવા પાછળ તેની પત્ની ટ્વિંકલ ખન્નાની મહેનત પણ છે અને આ માટે તેણે તેના ખૂબ વખાણ પણ કર્યા. તેણે કહ્યું- ટ્વિંકલ અને મેં આરવને જે રીતે ઉછેર્યો છે તેનાથી હું ખુશ છું, તે ખૂબ જ સરળ છોકરો છે. તેણે એ પણ જણાવ્યું કે બીજી તરફ તેની દીકરી નિતારા હવે ખૂબ જ ફેશનેબલ બની ગઈ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X