ભારતીય રેડિયોના લોકપ્રિય અવાજ રહેલા અમીન સાયાણીનુ 91 વર્ષની વયે નિધન

Ameen Sayani Passes Away: રેડિયોના અવાજ અમીન સાયાણીનુ નિધન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે અમીન સાયાણીનુ હાર્ટ એટેકના કારણે 91 વર્ષની વયે નિધન થયું છે. અમીનના પુત્ર રાજીલે તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે.

તેમણે જણાવ્યું કે ગઈકાલે રાત્રે તેમણે હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. રાત્રે જ તેમને હાર્ટ એટેક આવ્યો, જેના કારણે તેમનું મૃત્યુ થયું. રાજીલે કહ્યું, 'તેઓ હૉસ્પિટલમાં હતા અને ગઈકાલે રાત્રે તેમનું નિધન થયું, અમે ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર અંગે નિવેદન જાહેર કરીશું.'

ameen sayani

તમને જણાવી દઈએ કે 21 ડિસેમ્બર, 1932ના રોજ મુંબઈમાં જન્મેલા અમીન સાયાણી બહુભાષી પરિવારથી સંબંધ ધરાવતા હતા. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત અંગ્રેજી પ્રસારણકર્તા તરીકે કરી હતી પરંતુ સ્વતંત્રતા પછી તેઓ હિન્દી તરફ વળ્યા હતા.

ડિસેમ્બર 1952માં પ્રસારિત થયેલા ગ્રાઉન્ડબ્રેકિંગ શો 'ગીતમાલા'થી સાયાણી પ્રસિદ્ધિ પામ્યા. ચાર્ટ-ટોપિંગ હિટ્સ દર્શાવતો આ કાર્યક્રમ દક્ષિણ એશિયામાં સાંસ્કૃતિક ઘટના બની ગયો. તેની અનોખી સફળતાને કારણે તેનુ પ્રસારણ 1952થી 1994 સુધી બહુ લાંબુ થયુ, ત્યારબાદ 2000-2001 અને 2001-2003માં તેના નામમાં નાના ફેરફારો સાથે તે ફરી શરૂ થયુ.

'ગીતમાલા' સાથે, અમીન ભારતના પ્રથમ હોસ્ટ બન્યા, જેમણે ઉભરતા સંગીતના લેન્ડસ્કેપની તેમની ઊંડી સમજણ દર્શાવતા સમગ્ર શોને ક્યુરેટ અને પ્રસ્તુત કર્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X