મહાભારત 3D : અનિલ કપૂર અને મનોજ બાજપાઈ કરશે વૉઇસઓવર
મુંબઇ, 1 ઓક્ટોબર : બોલીવુડ એક્ટર્સ અનિલ કપૂર અને મનોજ બાજપાઈ જાણીતી પૌરાણિક કથા 'મહાભારત' પર આધારિત એનિમેટેડ થ્રીડી ફિલ્મમાં પોતાનો અવાજ એટલે કે વોઇસઓવર આપવાના છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આ ફિલ્મમાં કર્ણ માટેનો અવાજ અનિલ કપૂર આપશે જ્યારે યુધિષ્ઠિરના પાત્ર માટે મનોજ બાજપાઈ અવાજ આપશે. આ માટે તાજેતરમાં બંને કલાકારો અંધેરીમાં આવેલા ફ્યુચર વર્ક્સ સ્ટુડિયોમાં જોવા મળ્યા હતા. આ મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવતા 3D મહાભારત ફિલ્મના પ્રોડ્યુસર જયંતીલાલ ગડાએ વાતને સમર્થન આપ્યું હતું.

આ અંગે વાત કરતા ગડાએ જણાવ્યું કે "મહાભારત થ્રીડી એનિમેશન ફિલ્મમાં બંને કલાકારો અત્યંત સમર્પિત ભાવથી કામ કરી રહ્યા છે. તેમણે બંનેએ ફિલ્મના મહત્વના પાત્રો માટે પોતાનો અવાજ આપવા માટે સહમતિ દર્શાવી તે મારા માટે આનંદની વાત છે. અનિલ કપૂરે પોતાનું ડબિંગ પૂરું કરવા માટે 15 દિવસ આપ્યા હતા જ્યારે મનોજ બાજપાઈએ માત્ર દિવસમાં પોતાનું કામ પૂરું કર્યું છે."
આ મેગા ફિલ્મ માટે અન્ય જે બોલીવુડ કલાકારોએ પોતાનો અવાજ આપ્યો છે તેમાં મેગા સ્ટાર અમિતાભ બચ્ચને ભીષ્મ પિતામહના પાત્રા માટે, વિદ્યા બાલને દ્રોપદીના પાત્ર માટે, સન્ની દેઓલે ભીમના પાત્ર માટે અને અજય દેવગણે અર્જુનના પાત્ર માટે અવાજ આપ્યો છે. જો કે દુર્યોધનના પાત્ર માટે કોનો અવાજ લેવો તેની શોધ ચાલી રહી છે.
ગડા આ ફિ્લ્મને દિવાળીની આસપાસ રજૂ કરવા માંગે છે. દિવાળીના તહેવારમાં ક્રિશ 3 રજૂ થઇ રહી છે. આ અંગે ગડાનું કહેવું છે કે અમે ઋત્વિકની ફિલ્મ સાથે કોઇ ટક્કર લેવા માંગતા નથી એટલે દિવાળીને અઠવાડિયા પહેલા કે અઠવાડિયા પછી આ ફિલ્મ રજૂ કરવામાં આવશે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા






Click it and Unblock the Notifications
