'કાંતારા અને પુષ્પા જેવી ફિલ્મો બૉલિવુડને બરબાદ કરી રહી છે', આના પર અનુરાગ કશ્યપ અને વિવેક અગ્નિહોત્રી ભીડાયા
અનુરાગ કશ્યપ અને વિવેક અગ્નિહોત્રી ટ્વિટર પર સામસામે આવી ગયા છે. કાંતારા અને પુષ્પાને લઈને અનુરાગ કશ્યપ અને વિવેક અગ્નિહોત્રી વચ્ચે જંગ છેડાઈ ગયુ છે.
સાઉથની બે ફિલ્મો કાંતારા અને પુષ્પાને મળેલી સફળતાએ બૉલિવુડ ડાયરેક્ટરોને ચોંકાવી દીધા છે. પેન ઈન્ડિયા પર ફિલ્મની સફળતાથી બૉલિવુડ શૉકમાં છે. આ દરમિયાન હવે કાંતારા અને પુષ્પાને લઈને અનુરાગ કશ્યપ અને વિવેક અગ્નિહોત્રી વચ્ચે જંગ છેડાઈ ગયુ છે.
'કાંતારા અને પુષ્પા જેવી ફિલ્મો ઈન્ડસ્ટ્રીને બરબાદ કરી રહી છે'
તમને જણાવી દઈએ કે ફિલ્મ દિગ્દર્શક અનુરાગ કશ્યપે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે કાંતારા અને પુષ્પા જેવી ફિલ્મો ઈન્ડસ્ટ્રીને બરબાદ કરી રહી છે જેનો ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ જવાબ આપ્યો. વિવેકના જવાબ પર અનુરાગ કશ્યપે કટાક્ષ કરતા લખ્યુ કે આગલી વખતે કોઈ સીરિયસ રિસર્ચ કરજો.
અનુરાગ કશ્યપ અને વિવેક અગ્નિહોત્રી ભીડાયા
અનુરાગ કશ્યપ અને વિવેક અગ્નિહોત્રી ટ્વિટર પર સામસામે આવી ગયા છે. અનુરાગે લખ્યુ, 'સર, તમારી ભૂલ નથી, તમારુ ફિલ્મોનુ રિસર્ચ પણ એવુ જ છે જેવુ તમારી મારી વાતચીત પર ટ્વિટ છે. તમારી અને તમારા મીડિયાની પણ એવી જ હાલત છે. કોઈ વાંધો નહિ, આગલી વખતે કોઈ સીરિયસ રિસર્ચ કરી લેજો.'
'પહેલા આખો ઈન્ટરવ્યુ જુઓ'
'કાંતારા અને પુષ્પા જેવી ફિલ્મો ઉદ્યોગને નષ્ટ કરી રહી છે: અનુરાગ કશ્યપ' શીર્ષકવાળા એક ન્યૂઝ આર્ટિકલ પર પ્રતિક્રિયા આપીને વિવેકે લખ્યુ કે, 'હું બૉલિવુડના એકમાત્ર મિલોર્ડના વિચારો સાથે સંપૂર્ણપણે અસંમત છુ. શું તમે સંમત છો?' કેટલાક ઈન્ટરનેટ યુઝર્સે ફિલ્મ નિર્માતાને સૂચિત કર્યુ કે હેડલાઈનમાં અનુરાગને 'ખોટા' ગણાવવામાં આવ્યા છે. તેમાંથી એકે વિવેકને લખ્યું, 'પહેલા આખો ઈન્ટરવ્યુ જુઓ'.
અનુરાગ કશ્યપે શું કહ્યુ હતુ ઈન્ટરવ્યુમાં
અનુરાગ કશ્યપે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે નાગરાજ મંજુલેની સૈરાટની સફળતાએ મરાઠી સિનેમાને 'બરબાદ' કરી દીધુ હતુ કારણ કે દરેક જણ પૈસા કમાવવા માટે ફિલ્મનુ અનુકરણ કરવા માંગતા હતા. સૈરાટ 2016માં રિલીઝ થઈ હતી. તે સૌથી વધુ કમાણી કરનાર મરાઠી ફિલ્મોમાંની એક છે. અનુરાગે કહ્યુ હતુ કે, 'કાંતારા અને પુષ્પા જેવી ફિલ્મો તમને બહાર જવાની અને તમારી પોતાની વાર્તાઓ કહેવાની હિંમત આપે છે પરંતુ KGF 2, ભલે ગમે તેટલી મોટી સફળતા હોય, જ્યારે તમે તેનો પ્રયાસ કરો અને અનુકરણ કરો અને પ્રોજેક્ટ સેટ કરો ત્યારે જ તમે મુશ્કેલી તરફ આગળ વધવા લાગો છો.
અનુરાગ-વિવેકની આગામી ફિલ્મો
અનુરાગ કશ્યપની છેલ્લી રિલીઝ ફિલ્મ દોબારા હતી જેમાં તાપસી પન્નુ જોવા મળી હતી. અનુરાગની આગામી ફિલ્મ અલાયા એફ અને કરણ મહેતા અભિનીત ડીજે મોહબ્બત સાથે લગભગ પ્યાર હશે. આ ફિલ્મનુ પ્રીમિયર મારાકેચ ફિલ્મ ફેસ્ટિવલમાં કરવામાં આવ્યુ હતુ અને તે આવતા મહિને રિલીઝ થવાની છે. આ દરમિયાન વિવેકે કાશ્મીર ફાઇલ્સની સફળતા પછી તેની આગામી ફિલ્મ, ધ વેક્સીન વૉર માટે પ્રોડક્શનનુ કામ શરૂ કરી દીધુ છે. તેણે લખનઉમાં ફિલ્મના મુહૂર્ત શૉટથી શરૂઆત કરી છે.