પરિણીત પુરુષોને મજા માણવાના નુસ્ખા બતાવશે અરશદ
મુંબઈ, 19 જુલાઈ : બૉલીવુડ અભિનેતા અરશદ વારસી પોતાની આવનાર ફિલ્મ ‘રબ્બા મૈં ક્યા કરૂં'માં પરિણીત પુરુષોને જિંદગીના મજા લેવાની યુક્તિ બતાવતાં નજરે પડશે. તેમણે જણાવ્યું કે દરેક પરિણીત પુરુષ તેમની ફિલ્મની વાર્તા સાથે પોતાને જોડાયેલો અનુભવશે. ફિલ્મની વાર્તા એક પારિવારિક તેમજ પારમ્પરિક ભારતીય લગ્નસંસ્થા પર આધારિત છે.
અરશદે જણાવ્યું - મને સમ્પૂર્ણ ભરોસો છે કે દરેક પરિણીત પરુષ પોતાની જાતને ફિલ્મ સાથે જોડાયલો જોશે. જ્યારે મેં ફિલ્મની વાર્તા વાંચી, તો તરત જ હા કરી દીધી. રબ્બા મૈં ક્યા કરૂં ફિલ્મની વાર્તા બે પિતરાઈ ભાઇઓ (અરશદ વારસી તેમજ આકાશ ચોપરા)ની વાર્તા છે. ફિલ્મમાં આકાશનું લગ્ન ભારતીય પરમ્પરા મુજબ દિલ્હીમાં થતું હયો છે અને અરશદ વારસી લગ્ન બાદ જિંદગીના મજા લેવાની યુક્તિઓ તેમને બતાવતાં રહે છે.
અમૃત સાગર ચોપરા દિગ્દર્શિત રબ્બા મૈં ક્યા કરૂં ફિલ્મમાં રાજ બબ્બર, તાહિરા કોચર, રિયા સેન, હિમાની શિવપુરી, ટીનૂ આનંદ, સુષ્મિતા મુખર્જી, શક્તિ કપૂર તેમજ પરેશ રાવલ પણ મહત્વની ભૂમિકાઓમાં છે. 45 વર્ષીય અરશદે જણાવ્યું - લોકો મને હાસ્ય રોલમાં જોવું પસંદ કરે છે, પણ હું દરેક પ્રકારની ભૂમિકાઓ ભજવવા માંગુ છું. પોતાના બૉલીવુડ કૅરિયરમાં મેં જેટલી પણ ફિલ્મો કરી છે, તેનાથી હું સંતુષ્ટ છું.
નોંધનીય છે કે તાજેતરમાં જ કૉલિંગ મિ જોએ બી કારવાલ્હો ફિલ્મ સાઇન કરી છે કે જેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.