DHAMAKA: "બાહુબલી" પ્રભાસ ધુમ-4થી કરશે બોલીવુડ એન્ટ્રી!
સાઉથ બ્લોકબ્લસ્ટર ફિલ્મ બાહુબલીથી દુનિયાભરમાં છવાઇ જનાર પ્રભાસ હવે બોલીવુડ ડેબ્યુ કરશે તે સમાચાર કોઇ ધમાકાથી કમ નથી. જો અફવાનું માનીએ તો પ્રભાસ યશરાજ બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ધુમ-4 દ્વારા બોલીવુડ એન્ટ્રી કરશે.
આદિત્ય ચોપડા અને ધુમ 4ના નિર્દેશક વિજય કૃષ્ણા આચાર્યએ એકસાથે બાહુબલી જોઇ અને પ્રભાસના પર્ફોમન્સથી તેઓ ઘણાં ખુશ પણ હતા. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર ધુમ-4માં પ્રભાસ ફિલ્મમાં મેઇન વિલેનના રોલમાં અને ઋત્વિક રોશન કેમીયો કરતા જોવા મળશે. જો કે આ ખબરની હજી પુષ્ટી નથી થઇ. જણાવી દઇકે કેટલાક દિવસો પહેલા ફિલ્મમાં અમિતાભ બચ્ચનના હોવાની વાત પણ મળી હતી.
અહીં જાણો ફિલ્મ ધુમ-4 સાથે અત્યારસુધી કયા કયા સ્ટાર્સના નામ જોડાઇ ચૂક્યા છે.

ઋત્વિક રોશન
જાણવા મળી રહ્યું છેકે આ ફિલ્મમાં ઋત્વિક રોશન extented કેમિયો કરતા જોવા મળશે. તેમનું પાત્ર નેગેટીવ હશે.

અમિતાભ બચ્ચન
ધુમ સિરીઝમાં અત્યારસુધી આપણે અભિષેક બચ્ચનને જોયા છે. પરંતુ ધુમ-4 માટે બિગ બીનું નામ પણ જોડવામાં આવી રહ્યું છે.

દિપીકા પાદુકોણ
અફવાનું માનીએ તો આ ફિલ્મ માટે દિપીકા પાદુકોણનો અપ્રોચ પણ કરવામાં આવ્યો છે. પરંતુ દિપીકાએ ફિલ્મ માટે ના પાડી દીધી હતી.

ઐશ્ચર્યા રાય બચ્ચન
દિપીકા બાદ ફિલ્મ માટે ઐશ્ચર્યા રાય બચ્ચનનો અપ્રોચ પણ કરવામાં આવ્યો છે. પરંતુ હજી સુધી એશનો જવાબ નથી આવ્યો.

સલમાન ખાન
જી હા, સરપ્રાઇઝ...જણાવી દઇએ કે આ ફિલ્મમાં ઋત્વિક રોશનની જગ્યાએ નેગેટીવ રોલ સલમાન ખાન કરવાના હતા.

રણવીર સિંહ
ધૂમ-4 સાથે રણવીર સિંહનું નામ પણ જોડવામાં આવ્યુ હતુ. પરંતુ તે માત્ર અફવા જ હતી.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ




Click it and Unblock the Notifications
