ગૌહર ખાને કર્યુ કોરોના ગાઈડલાઈનનુ ઉલ્લંઘન, BMCએ પોલિસમાં નોંધાવી FIR
સમાચાર છે કે બીએમસીએ આ પગલાં હેઠળ મુંબઈમાં ગૌહર ખાન સામે કેસ નોંધાવી દીધો છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની ગતિ બેકાબુ થઈ રહી છે. સ્થિતિને કાબુ કરવા માટે સરકારે ઘણા કડક નિયમો લાગુ કરી દીધા છે. જે હેઠળ ઘણા શહેરોમાં લૉકડાઉન લાગુ છે પરંતુ લોકો હજુ પણ પ્રોટોકૉલનુ કડકપણે પાલન નથી કરી રહ્યા. એવામાં પ્રશાસન આવા લોકો સામે કડક પગલા લઈ રહી છે. સમાચાર છે કે બીએમસીએ આ પગલાં હેઠળ મુંબઈમાં ગૌહર ખાન સામે કેસ નોંધાવી દીધો છે. ગૌહર ખાન સામે કોરોના પ્રોટોકૉલ તોડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગૌહર ખાન સામે ઓશિવારા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
બીએંમસીએ ટ્વિટ કરીને આપી માહિતી
માહિતી મુજબ પોલિસે એફઆઈઆર નોંધી લીધી છે. બીએમસીએ આની માહિતી ટ્વિટ કરીને આપી છે. બીએમસીએ લખ્યુ છે, 'શહેરની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનો સમજૂતી કરવામાં નહિ આવે. બીએમસીએ એક બૉલિવુડ એક્ટ્રેસ સામે એફઆઈઆર નોંધાવી છે. આ ફરિયાદ કોરોના ટેસ્ટ સંક્રમિત આવ્યા બાદ ફૉલો કરાતી ગાઈડલાઈનના ઉલ્લંઘન બાદ નોંધાવવામાં આવી છે.'
વિવિધ કલમોમાં નોંધાયો કેસ
વળી, ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ બીએમસીના એક અધિકારીએ ગૌહર ખાનના નામનો ખુલાસો કર્યો છે. અધિકારીએ જણાવ્યુ છે કે ગૌહર ખાન સામે આઈપીસીની કલમ 269 અને 270 હેઠળ વિવિધ કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે. બીએમસીના અધિકારીએ જણાવ્યુ કે જ્યારે અધિકારી ગૌહર ખાનના ઘરે સંક્રમિત હોવાનુ કાગળ લગાવવા ગયા તો તેણે દરવાજો ખોલવાનો ઈનકાર કરી દીધો.
No Compromise On City’s Safety!
— माझी Mumbai, आपली BMC (@mybmc) March 15, 2021
BMC has filed an FIR against a Bollywood actor for non-compliance to COVID19 guidelines on testing positive.
The rules apply to all alike and we urge citizens to follow all guidelines and help the city beat the virus.#NaToCorona pic.twitter.com/Qp9J21OLcS
નૉર્થ ઈસ્ટમાં ભારે વરસાદની સંભાવના, ઘાટીમાં બદલાશે હવામાન