Video : કૅંસર મુક્ત મનીષા કોઈરાલા સ્વદેશ પરત ફર્યાં
મુંબઈ, 27 જૂન : બૉલીવુડના ઈલૂ ઈલૂ ગર્લ મનીષા કોઈરાલા હવે કૅંસર મુક્ત થઈ ગયાં છે અને ન્યુયૉર્ક ખાતે છ માસ સારવાર માટે રહ્યા બાદ બુધવારે સાંજે તેઓ સ્વદેશ પરત ફર્યાં. કૅંસર મુક્ત થઈ પરત ફરેલાં મનીષા પહેલાની જેમ જ સુંદર નજરે પડી રહ્યા હતાં.

મનીષાના મૅનેજર સુબ્રોતો ઘોષે જણાવ્યું - મનીષા ભારત પહોંચી ગયાં છે અને હવે તેઓ સમ્પૂર્ણપણે સ્વસ્થ છે. તેઓ અગાઉની જેમ જ સુંદર દેખાય છે. ઘોષે જણાવ્યું કે અહીં પહોંચ્યા બાદ મનીષા કોઈરાલા સીધા અંધેરી ખાતે આવેલ પોતાના ઘરે ગયાં કે જ્યાં તબીબોએ તેઓ સમ્પૂર્ણપણે સ્વસ્થ હોવાની જાહેરાત કરી. આ પ્રસંગે મનીષાએ જણાવ્યું કે આ તેમનો પુનર્જન્મ છે.
બૉલીવુડમાં બૉમ્બે, 1942 ઍ લવ સ્ટોરી તથા દિલ સે જેવી ફિલ્મોમાં અભિનય કરનાર 42 વર્ષીય અભિનેત્રી મનીષા કોઈરાલાને ગત વર્ષે 28મી નવેમ્બરના રોજ મુંબઈની જસલોક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ઓવેરિયન કૅંસરનું નિદાન થયાં બાદ મનીષા કોઈરાલા સારવાર માટે અમેરિકા ચાલ્યા ગયા હતાં.
<center><img style="-webkit-user-select:none;border:0px;" border="0" width="100%" height="1" src="http://web.ventunotech.com/beacon/vtpixpc.gif?pid=2&pixelfrom=jp" /> <div id="vnVideoPlayerContent"></div> <script> var ven_video_key="MTM1MTM0fHwyfHwxfHwxLDIsMQ=="; var ven_width="100%"; var ven_height="417"; </script> <script type="text/javascript" src="http://ventunotech.com/plugins/cntplayer/ventuno_player.js"></script></center>












Click it and Unblock the Notifications
