For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચિત્રાંગદા સિંહ દંગ, છુટાછેડાની વાત નકારી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 13 મે : બૉલીવુડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પતિ જ્યોતિ રંધાવા સાથે છુટાછેડા લેવાની વાતથી દંગ છે. ગત સપ્તાહે ચિત્રાંગદા અને જ્યોતિ ગુડગાંવની અદાલતમાં દેખાયાં, જ્યારે ચિત્રાંગદા સિંહનું કહેવું છે કે છુટાછેડાની કોઈ વાત નથી. આ સમાચારથી તેઓ પોતે ખૂબ આશ્ચર્યચકિત છે.

chitrangada-jyoti

ચિત્રાંગદા સિંહનું કહેવું છે કે મીડિયાએ આવા સમાચાર બનાવતા અગાઉ તેમના વતી પુષ્ટિ કરી લેવી જોઇતી હતી. ચિત્રાંગદા સિંહ અને જ્યોતિ રંધાવા છુટાછેડા લેવાના છે, તે બાબતના સમાચારોથી ચિત્રાંગદા સિંહ આશ્ચર્યમાં પડી ગયાં છે. તેમનનું કહેવું છે કે મીડિયાએ હવામાં આ વાત ઉડાવી છે.

ચિત્રાંગદા સિંહે જણાવ્યું કે હું અને મારા પતિ સમ્પત્તિ વિવાદના આંતરિક સમાધાન માટે અદાલતે ગયા હતા. તેથી લોકો અટકળો લગાવી રહ્યાં છે, પરંતુ આ બધું ખોટું છે. તેમણે જણાવ્યું કે તેઓ છુટાછેડા લેવા નથી જઈ રહ્યાં. મીડિયાએ આવા કોઈ પણ સમાચાર ચલાવતા અગાઉ તેમનું સમર્થન મેળવવું જોઇતુ હતું.

English summary
Chitrangada Singh denies divorce rumors between her and Jyoti Randhawa. Chitrangada Singh says that she is not planning to get divorce. They went to court just for some property matter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X