ચિત્રાંગદા સિંહ દંગ, છુટાછેડાની વાત નકારી
મુંબઈ, 13 મે : બૉલીવુડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પતિ જ્યોતિ રંધાવા સાથે છુટાછેડા લેવાની વાતથી દંગ છે. ગત સપ્તાહે ચિત્રાંગદા અને જ્યોતિ ગુડગાંવની અદાલતમાં દેખાયાં, જ્યારે ચિત્રાંગદા સિંહનું કહેવું છે કે છુટાછેડાની કોઈ વાત નથી. આ સમાચારથી તેઓ પોતે ખૂબ આશ્ચર્યચકિત છે.
ચિત્રાંગદા સિંહનું કહેવું છે કે મીડિયાએ આવા સમાચાર બનાવતા અગાઉ તેમના વતી પુષ્ટિ કરી લેવી જોઇતી હતી. ચિત્રાંગદા સિંહ અને જ્યોતિ રંધાવા છુટાછેડા લેવાના છે, તે બાબતના સમાચારોથી ચિત્રાંગદા સિંહ આશ્ચર્યમાં પડી ગયાં છે. તેમનનું કહેવું છે કે મીડિયાએ હવામાં આ વાત ઉડાવી છે.
ચિત્રાંગદા સિંહે જણાવ્યું કે હું અને મારા પતિ સમ્પત્તિ વિવાદના આંતરિક સમાધાન માટે અદાલતે ગયા હતા. તેથી લોકો અટકળો લગાવી રહ્યાં છે, પરંતુ આ બધું ખોટું છે. તેમણે જણાવ્યું કે તેઓ છુટાછેડા લેવા નથી જઈ રહ્યાં. મીડિયાએ આવા કોઈ પણ સમાચાર ચલાવતા અગાઉ તેમનું સમર્થન મેળવવું જોઇતુ હતું.