For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલીપ કુમારના વધુ એક ભાઈ અહેસાન ખાનનુ કોરોનાથી નિધન

બૉલિવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈનુ નિધન થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈનુ નિધન થઈ ગયુ છે. દિલીપ કુમારના નાના ભાઈ અહેસાન ખાનનુ બુધવારે મોડી રાતે 11 વાગે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં નિધન થઈ ગયુ. હોસ્પિટલ તરફથી આ વિશે માહિતી આપવાાં આવી. અહેસાન ખાનનુ નિધન કોરોના વાયરસના સંક્રમણના કારણે થયુ છે. છેલ્લા ઘણા દિવસોથી તે હોસ્પિટલમાં ભરતી હતા.

dilip kumar

કોવિડ-19નો ઈલાજ કરાવી રહેલ દિલીપ કુમારના નાના ભાઈ, 90 વર્ષના અહેસાન ખાન હાર્ટ સંબંધી બિમારીઓ, હાઈપર ટેન્શન અને અલ્ઝાઈમર જેવી બિમારીઓથી પણ ગ્રસિત હતા. અહેસાન ખાન પહેલા દિલીપ કુમારના બીજા એક નાના ભાઈ અસલમ ખાનનુ પણ કોરોના સંક્રમણના કારણે નિધન થઈ ગયુ. આ પહેલા 99 વર્ષના અસલમ ખાનનુ નિધન પણ મુંબઈની હોસ્પિટલમાં કોરોના વાયરસના કારણે થઈ ગયુ. દિલીપ કુમારના બંને ભાઈ અહેસાન ખાન અને અસલમ ખાનને 15 ઓગસ્ટે કોરોના સંક્રમણના કારણે લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. 21 ઓગસ્ટે અસલમ ખાનનુ નિધન થઈ ગયુ.

dilipkumar brother

દિલીપ કુમારના ભાઈઓનો ઈલાજ કરનાર ડૉક્ટર જલીલ પારકરના જણાવ્યા મુજબ કોરોના સંક્રમણના કારણે તેમના શરીરમાં ઑક્સિજન લેવલ ઘણુ ઓછુ થઈ ગયુ હતુ. દિલીપ કુમારના બંને ભાઈઓને બાય-પેપ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. ઉંમરની સાથે સાથે તેમના બંને ભાઈઓમાં બ્લડ પ્રેશર અને હ્રદય સંબંધિત બિમારીઓ હતી જેના કારણે મુશ્કેલી વધી ગઈ.

SCOની બેઠક માટે રાજનાથ સિંહ ત્રણ દિવસીય પ્રવાસ પર મોસ્કો પહોંચ્યાSCOની બેઠક માટે રાજનાથ સિંહ ત્રણ દિવસીય પ્રવાસ પર મોસ્કો પહોંચ્યા

English summary
Dilip kumar's younger brother Ehsan Khan passed away due to covid-19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X