For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

TVના જાણિતા અભિનેતા શહીર શેખના પિતાનું નિધન, કોરોનાથી હતા સંક્રમિત

લોકપ્રિય ટીવી એક્ટર શાહીર શેખ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. શાહીર શેખના પિતાનું અવસાન થયું છે. શાહિર શેખના પિતા કોરોનાથી સંક્રમિત હતા. જોકે, શાહીર શેખે હજુ સુધી તેના પિતાના મૃત્યુ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ

|
Google Oneindia Gujarati News

લોકપ્રિય ટીવી એક્ટર શાહીર શેખ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. શાહીર શેખના પિતાનું અવસાન થયું છે. શાહિર શેખના પિતા કોરોનાથી સંક્રમિત હતા. જોકે, શાહીર શેખે હજુ સુધી તેના પિતાના મૃત્યુ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ તેના મિત્ર અને ટીવી અભિનેતા અલી ગોનીએ ટ્વિટર પર માહિતી આપી છે કે શાહીર શેખના પિતાનું નિધન થઈ ગયું છે. અલી ગોનીએ ટ્વીટ કરીને લખ્યું, "અલ્લાહ અંકલની આત્માને શાંતિ આપે. શાહીર શેખને દુખ સહન કરવાની શક્તિ આપે.

શાહીર શેખે કહ્યું હતું- 'મારા પિતા વેન્ટિલેટર પર છે...'

શાહીર શેખે કહ્યું હતું- 'મારા પિતા વેન્ટિલેટર પર છે...'

શાહીર શેખે 18 જાન્યુઆરીએ ટ્વિટ કરીને ચાહકોને તેના પિતાની સ્થિતિ વિશે જણાવ્યું હતું અને લોકોને તેના પિતા માટે પ્રાર્થના કરવાની વિનંતી કરી હતી. શહીરે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું, "મારા પિતા વેન્ટિલેટર પર છે, ગંભીર કોવિડ ચેપથી સંક્રમિત છે... કૃપા કરીને તેમને તમારી પ્રાર્થનામાં રાખો..." શહીરે પિતાનો એક ફોટો પણ શેર કર્યો હતો.

શાહીરના ફેન્સ પણ દુખી

શાહીરના ફેન્સ પણ દુખી

શાહિરના ચાહકો પણ તેના પિતાના નિધનના સમાચાર સાંભળીને દુખી છે. ચાહકોએ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપી છે. અલી ગોનીની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, એક યુઝરે લખ્યું, "મૃત આત્માને સ્વર્ગમાં શાંતિ મળે..અલ્લાહ તેમને સ્વર્ગની શ્રેષ્ઠતા આપે. સમગ્ર પરિવારને સંવેદના. "જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ભગવાન તમને આ દુખ સહન કરવાની શક્તિ આપે. અન્ય એક યુઝરે કહ્યું, "સમાચાર વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું... મેં થોડા મહિના પહેલા જ કોરોનાને કારણે મારા પિતાને ગુમાવ્યા... હંમેશા પરિવાર સાથે રહો શાહિર. તમારી માતાનું ધ્યાન રાખજો."

શાહીર શેખ કોણ છે?

શાહીર શેખ કોણ છે?

શાહીર શેખ 'યે રિશ્તે હૈ પ્યાર કે' અને 'કુછ રંગ પ્યાર કે ઐસે ભી' જેવા શોમાં અભિનય માટે જાણીતો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહીર હાલમાં 'પવિત્ર રિશ્તા'ની સીઝન 2માં જોવા મળશે. બીજી સિઝનમાં શાહીર માનવનું પાત્ર ભજવશે. નંદિતા મહેરા દ્વારા નિર્દેશિત, 'પવિત્ર રિશ્તા...ઇટ્સ નેવર ટૂ લેટ' સિઝન 2નું પ્રીમિયર 28 જાન્યુઆરીએ ZEE5 પર થશે.

English summary
Famous TV actor Shaheer Sheikh's father Passed Away
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X