પોલિસે પૂછ્યુ કેમ બહાર ફરી રહ્યા છો બહાર, જવાબ ન આપી શક્યા ટાઈગર શ્રોફ, નોંધવામાં આવ્યો કેસ
ટાઈગર શ્રોફ સામે મહામારી દરમિયાન નિયમોનુ ઉલ્લંઘન કરવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યુ છે.
મુંબઈઃ ફિલ્મ અભિનેતા ટાઈગર શ્રોફ સામે મહામારી દરમિયાન નિયમોનુ ઉલ્લંઘન કરવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યુ છે. વાસ્તવમાં ટાઈગર શ્રોફ કોઈ યોગ્ય કારણ વિના કોરોના ગાઈડલાઈનનુ ઉલ્લંઘન કરીને બહાર ફરી રહ્યા હતા ત્યારબાદ મુંબઈ પોલિસે તેમની સામે કેસ નોંધ્યો છે. મુંબઈ પોલિસ તરફથી કહેવામાં આવ્યુ છે કે બાંદ્રા બેંડસ્ટેન્ડ પાસે સાંજે ટાઈગર શ્રોફને કોઈ યોગ્ય કારણ વિના ફરતો જોવામાં આવ્યો. જ્યારે બપોરના 2 વાગ્યા બાદ યોગ્ય કારણ વિના ઘરમાંથી બહાર જવા પર પ્રશાસને કોરોના મહામારીના કારણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

બાંદ્રા બેંડસ્ટેન્ડ પાસે જ્યારે પોલિસની ટીમે ટાઈગર શ્રોફને જોયો તો પોલિસે તેને રોકીને તેની પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન ટાઈગર શ્રોફ બહાર આવવાનુ યોગ્ય કારણ જણાવી શક્યો નહિ કે તે કેમ બહાર ફરી રહ્યો છે. ત્યારબાદ પોલિસે ટાઈગર શ્રોફની માહિતી લીધી અને આઈપીસીની યોગ્ય કલમો હેઠળ તેની સામે કેસ કરવામાં આવ્યો. ટાઈગર સામે સરકારી અધિકારીનો નિર્દેશ ન માનવાનો કેસ નોંધવામાં આવ્યો. આ ગુનો જામીનપાત્ર હોવાથી ટાઈગર શ્રોફની ધરપકડ કરવામાં આવી નહિ.
તમને જણાવી દઈએ કે મુંબઈ દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત શહેરોમાંનુ એક છે. જો કે હવે શહેરની સ્થિતિ પાટા પર આવવા લાગી છે. કોરોનાથી રિકવરી રેટ 89 ટકાથી વધીને 95 ટકા સુધી પહોંચી ગયો છે. જ્યારે એક મહિનાની અંદર કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં 79 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. મે મહિનાની વાત કરીએ તો મુંબઈમાં રોજ લગભગ 3થી 4 હજાર નવા કોરોના કેસ સામે આવી રહ્યા હતા. પરંતુ હવે આ સંખ્યા ઘટીને એકથી બે હજાર સુધી પહોંચી ગઈ છે. જૂનની શરૂઆતમાં આ સંખ્યા 900ની આસપાસ છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
