For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Adipurush Controversy: ફિલ્મ આદિપુરુષ પર બિહારના મુઝફ્ફરનગરમાં FIR, ઉઠી રહી છે આ માંગ

આદિપુરૂષને લઇ વિવાદ ચાલી રહ્યો છે. ઘણા લોકોએ અને હિન્દુ સંગઠનો પણ આનો વિરોધ કરી રહ્યાં છે. આવા સમયે ક્રિટિક્સ પણ વિએફએક્સના પર નિર્ભર રહેવા બદલ આદિપુરૂષની ટીમને ટ્રોલ કરી રહ્યાં છે. આ વચ્ચે બિહારમાં પણ આનો વિરોધ થઇ રહ્યો

|
Google Oneindia Gujarati News

આદિપુરૂષને લઇ વિવાદ ચાલી રહ્યો છે. ઘણા લોકોએ અને હિન્દુ સંગઠનો પણ આનો વિરોધ કરી રહ્યાં છે. આવા સમયે ક્રિટિક્સ પણ વિએફએક્સના પર નિર્ભર રહેવા બદલ આદિપુરૂષની ટીમને ટ્રોલ કરી રહ્યાં છે. આ વચ્ચે બિહારમાં પણ આનો વિરોધ થઇ રહ્યો છે. બિહારમાં આદિપુરૂષની ટીમ પર પોલીસ કેસ કરવામાં આવ્યો છે. આ પહેલા બિહારમાં ફિલ્મ 'થેંક ગોડ' પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જેના કારણે પટનામાં બોલિવૂડ એક્ટર અજય દેવગન સહિત ડાયરેક્ટર અને અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 'આદિપુરુષ'નું ટીઝર રિલીઝ થયા બાદ બિહારના અલગ-અલગ જિલ્લામાં ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ માટે ઘણી શરતો પણ રાખવામાં આવી રહી છે.

અભિનેતા સૈફ અલી ખાનની મુશ્કેલીઓ વધી

અભિનેતા સૈફ અલી ખાનની મુશ્કેલીઓ વધી

રામાયણ આધારિત ફિલ્મ 'આદિપુરુષ'ના નિર્માતા ઓમ રાઉત, અભિનેતા પ્રભાસ, સૈફ અલી ખાન અને અભિનેત્રી કૃતિ સેનન સહિત પાંચ લોકો સામે મુઝફ્ફરપુર જિલ્લામાં કેસ નોંધવામાં આવ્યો છે. બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત દેશના વિવિધ રાજ્યોમાં ફિલ્મ અભિનેતાથી લઈને નિર્દેશક સુધીની મુશ્કેલીઓ વધી છે. આરોપ છે કે વાલ્મીકિ રામાયણના તથ્યોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ સિવાય ભગવાન શ્રી રામ, હનુમાન અને માતા સીતાનું નિરૂપણ પણ ફિલ્મમાં યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકો પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે.

વિવાદિત સીન હટાવવાની માંગ

વિવાદિત સીન હટાવવાની માંગ

બિહારના મુઝફ્ફરપુર જિલ્લા ગ્રાહક આયોગમાં આદિપુરુષ મૂવી વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે. એડવોકેટ હિમાંશુ શ્રીવાસ્તવે જૌનપુરમાં ફરિયાદ દાખલ કરી છે. તેણે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આશુતોષ સિંહ સમક્ષ ફરિયાદ નોંધાવી છે, જેની સુનાવણી 26 ઓક્ટોબરે થશે. આ સાથે જ દિલ્હી હાઈકોર્ટમાં હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ ફિલ્મ આદિપુરુષ વિરુદ્ધ જાહેર હિતની અરજી દાખલ કરી છે. તેણે માંગ કરી છે કે ફિલ્મના વિવાદાસ્પદ સીનને હટાવવા જોઈએ. વિવાદિત સીન હટાવ્યા બાદ સેન્સર બોર્ડને ફિલ્મને સર્ટિફિકેટ આપવાનો આદેશ આપવો જોઈએ.

હિંદુઓની ભાવનાઓ દુભાવે છે ફિલ્મ

હિંદુઓની ભાવનાઓ દુભાવે છે ફિલ્મ

સોશિયલ મીડિયા પર ફિલ્મના બહિષ્કારની માંગ બાદ દેશના વિવિધ રાજ્યોમાં રાજકીય પક્ષોના નેતાઓએ પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. આ સાથે સામાજિક સંસ્થાઓએ પણ ફિલ્મ 'આદિપુરુષ'માં સ્ટારકાસ્ટના ડ્રેસને લઈને વાંધો ઉઠાવ્યો છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ફિલ્મમાં રામભક્ત હનુમાનના ડ્રેસનો વિરોધ નોંધાવ્યો હતો. તે જ સમયે, બિહારમાં સંતોષ કુમાર (એમએલસી, ભાજપ)એ પણ આ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે બિહારમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો જોઈએ કારણ કે આ ફિલ્મ હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહી છે.

ફિલ્મમાં સારી રીતે કેરેક્ટર દર્શાવવામાં નથી આવ્યા

ફિલ્મમાં સારી રીતે કેરેક્ટર દર્શાવવામાં નથી આવ્યા

બિહારના હિંદુ સંગઠનોના લોકોએ કહ્યું કે આ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા પાત્રો (રાવણ અને અન્ય પાત્રો) યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યા નથી. આ ફિલ્મમાં હિન્દુ સમુદાયની આસ્થા સાથે રમવામાં આવ્યો છે. આ રીતે ફિલ્મના પાત્રોને દર્શાવીને હિંદુ સમુદાયની માન્યતાઓને બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા દ્રશ્યોથી સનાતન ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવી ફિલ્મોનો બહિષ્કાર થવો જોઈએ જેથી કરીને નિર્માતા આવી ખોટી વાતોનું પુનરાવર્તન ન કરે.

English summary
FIR in Bihar's Muzaffarnagar on the film Adipurush
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X