બંધ નથી થયો આમિર ખાનનો 1000 કરોડી મેગા પ્રોજેક્ટ 'મહાભારત'
આમિર ખાનની મહાભારત પર ભલે કોઈ સત્તાવાર રીતે કોઈ ચર્ચા નથી, પરંતુ અફવાઓમાં ફિલ્મ લાંબા સમયથી બનેલી છે.
આમિર ખાનની મહાભારત પર ભલે કોઈ સત્તાવાર રીતે કોઈ ચર્ચા નથી, પરંતુ અફવાઓમાં ફિલ્મ લાંબા સમયથી બનેલી છે. ઠગ્સ ઓફ હિંદુસ્તાનની નિષ્ફળતા પછી, સમાચાર એ છે કે આ ફિલ્મને બંધ કરવામાં આવી રહી છે. પરંતુ, તાજેતરની રિપોર્ટ કહે છે કે, આમિર હજી પણ આ 1000 કરોડના બજેટના મેગા પ્રોજેક્ટની તૈયારી કરી રહ્યા છે. તેના માટે તેમને એક ડીલ પણ કરી છે.
જો અફવાઓનો વિશ્વાસ કરવામાં આવે તો આમિર ખાન તેના પ્રોજેક્ટને વધુ મોટા સ્તરે બનાવશે અને તેના માટે, તેઓ કેટલાક રોકાણકારોનો સપોર્ટ લેશે અને સાંભળવામાં આવ્યું છે કે રોકાણકાર રિલાયન્સ જિયો હોઈ શકે છે. જો આવું થાય, તો તે બૉલીવુડની સૌથી મોટી ફિલ્મ બની શકે છે.
આ પણ વાંચો: હું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર
સમાચાર એ છે કે માત્ર આમિર જ નહીં પરંતુ દિગ્દર્શક રાકેશ ઓમપ્રકાશ મહેરા પણ 'મહાભારત: The Greatest Battle Ever Fought' નામનો એક પ્રોજેક્ટ બનાવે છે. આમિર ખાન પહેલા પણ તેણે આ વિશે વાત કરી હતી. તેમને આમિર ખાન પહેલા પણ આ વિશે વાત કરી હતી. જોકે, બંને માંથી કોઈ પણ પ્રોજેક્ટ હાલમાં નિશ્ચિત નથી. પરંતુ જો આમિર ખાન એવું કંઈક લાવે તો દેખીતી રીતે તે પ્રેક્ષકો માટે અલગ હશે. હાલમાં, આમિર ખાન તેની આગામી ફિલ્મ લાલ સિંહ ચડ્ડામાં વ્યસ્ત છે.
પ્રોજેક્ટ 'મહાભારત' વિશે ઘણા પ્રકારના સમાચાર હતા, અહીં જાણો-
5 ફિલ્મો.. 10 વર્ષ
સમાચાર હતા કે આ એક ફ્રેંચાઈજી હશે, જેના હેઠળ 3 થી 5 ફિલ્મો બનાવવામાં આવશે. આમીર ખાને તેના માટે 10-15 વર્ષનો સમય રાખ્યો છે. દરેક ફિલ્મ અલગ અલગ નિર્દેશકો દ્વારા બનાવવામાં આવશે. જો કે આમિર ખાન પાંચેય ભાગ સાથે જોડાયેલા રહેશે.
1000 કરોડની ફિલ્મ
તેને ભારતીય સિનેમાનો સૌથી મોંઘો પ્રોજેક્ટ માનવામાં આવે છે. આ ફિલ્મ આશરે 1000 કરોડના બજેટ પર તૈયાર કરવાની યોજના છે. અફવાહ છે કે ફિલ્મ મુકેશ અંબાણી પ્રોડ્યુસ કરશે.
કૃષ્ણ કે કર્ણ
આમિર ખાને એક ઇવેન્ટ દરમિયાન કહ્યું હતું કે તેને મહાભારતમાં કૃષ્ણ અને કર્ણની ભૂમિકા ખુબ જ ગમે છે અને જો તક મળી તો તે જ નિભાવશે.
શરુ થઇ ગયું છે કામ
રિપોર્ટ્સ અનુસાર, રિસર્ચ અને કોસ્ચ્યુમ વગેરેથી લઈને કામ છેલ્લા કેટલાક મહિનાથી જોરોશોરો પર હતું. આમિર પુરી શિદ્દતથી પ્રી-પ્રોડક્શનના ડેવલોપમેન્ટ પર નજર રાખતા હતા. પરંતુ તૈયારી મધ્યમાં બંધ થઈ ગઈ.
બીજી ફિલ્મો છોડી દીધી
સમાચાર એ હતા કે આ પ્રોજેક્ટને લીધે, આમિર ખાનએ રાકેશ શર્મા બાયોપિક 'સારા જહાં સે અચ્છા' ને રિજેક્ટ કરી દીધી હતી.
સૌથી મોટી સ્ટારકાસ્ટ
જો મહાભારત માટે સુપરસ્ટાર્સ હા કહી દે તો.. આ બોલીવુડની સૌથી અદભૂત અને બ્લોકબસ્ટર કાસ્ટ હશે. જો કે, ઘણા નવા ચહેરાઓ લેવાની વાત પણ ચાલી રહી છે.