હું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર
સુપરસ્ટાર અભિનેતા શાહિદ કપૂર હાલમાં કબીર સિંહની ફિલ્મ માટે ખુબ તૈયારી કરી રહ્યા છે અને તેમને આ ફિલ્મથી ઘણી અપેક્ષાઓ છે.
સુપરસ્ટાર અભિનેતા શાહિદ કપૂર હાલમાં કબીર સિંહની ફિલ્મ માટે ખુબ તૈયારી કરી રહ્યા છે અને તેમને આ ફિલ્મથી ઘણી અપેક્ષાઓ છે. જણાવી દઈએ કે આ ફિલ્મનું ટ્રેલર ખૂબ દમદાર છે અને તેઓ ખૂબ જ સારી એક્ટિંગ કરતા જોવા મળ્યા છે. આ બધા ઉપરાંત, હાલમાં જ શાહિદ કપૂરએ એક ઇન્ટરવ્યુ દરમિયાન એવો ખુલાસો કર્યો છે જેને સાંભળીને તમે આશ્ચર્યચકિત થઇ જશો.
જ્યારે શાહિદ કપૂરને તેમની આવનારી ફિલ્મો વિશે પ્રશ્નો પૂછ્યા ત્યારે તેમણે કહ્યું કે કબીર સિંહ પછી તેમની પાસે કોઈ ફિલ્મ નથી. તેણે એમ પણ કહ્યું કે આ ફિલ્મ પછી, તેઓ સંપૂર્ણપણે બેરોજગાર છે. તેમણે કહ્યું કે હું હવે બેરોજગાર છું અને મારા માટે આ એક ખરાબ વાત છે.
આ પણ વાંચો: કેટરીના કૈફ અને જેકલીન ફર્નાન્ડીઝ, કોણ કરશે પીટી ઉષાની બાયોપિક
તમને જણાવી દઈએ કે શાહિદ કપૂરે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને લોકોએ તેમની ફિલ્મોને ખુબ પસંદ પણ કરી છે. આવી સ્થિતિમાં, શાહિદનું આ નિવેદન તેમના ફેન્સને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. કબીર સિંહમાં તેમની સાથે કિયારા આડવાણી જોવા મળશે અને આ ફિલ્મ સાઉથના અર્જુન રેડ્ડીની રિમેક છે. હાલમાં, આપણે શાહિદ કપૂરની દમદાર ફિલ્મો પર એક નજર રાખીએ...
વિવાહ
ફિલ્મ વિવાહમાં શાહિદ કપૂરે એક સીધા માણસનો રોલ ભજવ્યો હતો જે કુટુંબ સાથે બંધાયેલો હોય છે.
ઉડતા પંજાબ
ખૂબ જ વિવાદમાં ફસાયેલી રહેલી આ ફિલ્મમાં શાહિદ કપૂરે ખૂબ જ દમદાર ભૂમિકા ભજવી હતી. તેમના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી.
હૈદર
હૈદરમાં શાહિદ કપૂરનું પાત્ર ખૂબ જ જબરજસ્ત હતું અને તેને તેમનો અત્યાર સુધીનો સૌથી શાનદાર રોલ માનવામાં આવે છે.
કમીને
આ ફિલ્મમાં શાહિદ કપૂર ખૂબ જ શાનદાર હતા. ફિલ્મ ઘણી ચાલી હતી.
મૌસમ
આ ફિલ્મ ફ્લૉપ થઈ ગઈ હતી, પરંતુ ફિલ્મમાં શાહિદ કપૂરનો ખૂબ જ સારો અભિનય જોવા મળ્યો હતો.
પદ્મવત
ફિલ્મ પદ્મવતમાં, શાહિદ કપૂરે ખુબ જ શાનદાર ભૂમિકા ભજવી હતી. રણવીર સિંહ સાથે ધમાલ મચાવી.