Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'પપ્પા મને મારી નાખવા માંગતા હતા, માસીએ કરાવ્યું સ્તનપાન' - એક્ટ્રેસે કર્યો ખુલાસો

વિદ્યુત જામવાલ સ્ટારર 'કમાન્ડો' ફેમ અભિનેત્રી પૂજા ચોપરા આ દિવસોમાં તેની ફિલ્મ 'જહાં ચાર યાર'ને કારણે ચર્ચામાં છે. અભિનેત્રી આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

Pooja Chopra : વિદ્યુત જામવાલ સ્ટારર 'કમાન્ડો' ફેમ અભિનેત્રી પૂજા ચોપરા આ દિવસોમાં તેની ફિલ્મ 'જહાં ચાર યાર'ને કારણે ચર્ચામાં છે. અભિનેત્રી આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેના સિવાય સ્વરા ભાસ્કર, મેહર વિજ, શિખા તંસાનિયા પણ લીડ રોલમાં છે.

આ દરમિયાન, અભિનેત્રીએ પોતાના વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જે જાણીને તેના ચાહકો દંગ રહી જશે. અભિનેત્રી પૂજા ચોપરાએ જણાવ્યું કે, તેના પિતા તેનો જન્મ થતાંની સાથે જ તેને મારી નાખવા માંગતા હતા.

પિતા જન્મતાની સાથે જ તેને મારી નાખવા માંગતા હતા

પિતા જન્મતાની સાથે જ તેને મારી નાખવા માંગતા હતા

કહેવા માટે કે, આપણે 21મી સદીમાં જીવીએ છીએ, પરંતુ આજે પણ લોકોમાં પુત્રોની ઈચ્છા ઓછી થઈ નથી. અભિનેત્રી પૂજા ચોપડાએ કર્યો આવો ખુલાસો, જાણીને તમે પણ ચોંકી જશો.

અભિનેત્રી અને મોડલ પૂજા ચોપરાને 'મિસ ફેમિના' અને 'મિસ ઈન્ડિયા'નો તાજ પહેરાવવામાં આવ્યો છે. આટલું જ નહીં, તેણે 'ફેશન' અને 'કમાન્ડો' સહિત ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. આજે બોલીવુડમાં ખ્યાતિ મેળવનારી એક્ટ્રસને તેના પિતા તેને જન્મતાની સાથે જ મારી નાખવા માંગતા હતા.

માતાએ એકલા રહેવાનું ધ્યાન રાખ્યું

માતાએ એકલા રહેવાનું ધ્યાન રાખ્યું

અભિનેત્રીએ તાજેતરમાં પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન આપેલા એક ઈન્ટરવ્યુમાં એક ધમાકેદાર ખુલાસો કર્યો છે, જેમાં તેણે જણાવ્યું હતું કે, તેના પિતાને દીકરી નહીં, પરંતુ પુત્ર જોઈએ છે.

અભિનેત્રીના કહેવા પ્રમાણે, જ્યારે મારો જન્મ થયો, ત્યારે તેના પિતાએ જણાવ્યું હતું કે, મારે દીકરી નહીં પણ દીકરો જોઈએ છે. તેને અનાથાશ્રમમાં આપો અથવા તેને મારી નાખો. જે બાદ 20 દિવસની અભિનેત્રીનો ઉછેર તેની માતાએ એકલા હાથે કર્યો હતો.

બાળપણ સાથે સંબંધિત એક દર્દનાક કિસ્સો શેર કર્યો

બાળપણ સાથે સંબંધિત એક દર્દનાક કિસ્સો શેર કર્યો

પૂજા ચોપરાએ વર્ષ 2009માં ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. આ ઉપરાંત તે ભારત માટે મિસ વર્લ્ડ સ્પર્ધામાં "બ્યુટી વિથ અ પર્પઝ" નો ખિતાબ જીતનારા પ્રથમ ભારતીય પણ છે.

તાજેતરમાં જ અભિનેત્રીએ 'નવભારત ટાઈમ્સ' ને આપેલા ઈન્ટરવ્યુમાં બાળપણથી સંબંધિત એક દર્દનાક કિસ્સો શેર કર્યો હતો. પૂજાએ જણાવ્યું કે, તેની આગામી ફિલ્મ 'જહાં ચાર યાર'ની સ્ટોરી તેના જીવન સાથે જોડાયેલી છે.

માતા પિતાનું ઘર છોડીને નાનીના ઘરે આવી ગઇ

માતા પિતાનું ઘર છોડીને નાનીના ઘરે આવી ગઇ

તેની આગામી ફિલ્મ વિશે વાત કરતાં, અભિનેત્રીએ બાળપણની એક દર્દનાક વાર્તા સંભળાવી અને જણાવ્યું કે, જ્યારે તે માત્ર 20 દિવસની હતી ત્યારે તેના પિતાએ તેને અનાથાશ્રમમાં મોકલવા અથવા મારી નાખવાનું જણાવ્યું હતું.

અભિનેત્રીએ જણાવ્યું કે, આ ઘટના બાદ તેની માતા તેને અને તેની મોટી બહેન સાથે ઘર છોડીને દાદી પાસે ગઈ હતી. પૂજાના જણાવ્યા અનુસાર તે તેના માતા-પિતાની બીજી પુત્રી હતી. તેની એક બહેન તેના કરતા 7-8 વર્ષ મોટી હતી.

પાડોશી કાકીએ તેને દૂધ પીવડાવ્યું

પાડોશી કાકીએ તેને દૂધ પીવડાવ્યું

અભિનેત્રીએ તે ઘટના વિશે વધુ ખુલાસો કરતા જણાવ્યું કે, જે માતાએ પછીથી ઘર છોડી દીધું હતું તે કામ કરવા લાગી હતી અને તેને એકલા હાથે ઉછેરી હતી. આટલું જ નહીં, જ્યારે તેની માતા નોકરી પર જતી ત્યારે તેની મોટી બહેન તેનું ધ્યાન રાખતી હતી.

એટલું જ નહીં, અભિનેત્રીએ ખુલાસો કર્યો કે, જ્યારે તે રડતી હતી ત્યારે નાનીના ઘરની પડોશમાં રહેતા માસી તેને દૂધ પીવડાવતી હતી.

'આજે પણ છોકરીઓ વિશે સંકુચિત માનસિકતા'

'આજે પણ છોકરીઓ વિશે સંકુચિત માનસિકતા'

આવા સમયે અભિનેત્રીએ જણાવ્યું કે, આજે પણ તેણીના લગ્ન પછી છોકરીઓને ફક્ત એટલું જ કહેવામાં આવે છે કે, એડજસ્ટ થઈ જાઓ. આ ફિલ્મ દ્વારા મહિલાઓની જાતીય ઈચ્છા વિશે વાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 16 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. આ સિવાય અભિનેત્રી બીજી ફિલ્મ 'જીવન વીમા યોજના'માં પણ જોવા મળશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X