એશ્વર્યા રાય અંગે આ શું બોલી ગઈ જયા બચ્ચન
Jaya Bachchan on Aishwarya Rai: વર્તમાન સમયમાં બચ્ચન પરિવાર સતત હેડલાઈન્સમાં રહે છે. હાલ અભિષેક બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હોવાની અને છુટાછેડા સુધીની અફવાએ જોરદાર વેગ પકડ્યો છે.
પૂર્વ મિસ વર્લ્ડ અને બોલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય અને એક્ટર અભિષેક બચ્ચન વચ્ચેના સંબંધોને લઈને ઘણી બાબતો સામે આવી રહી છે.
ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે અણબનાવ છે, અને બંને ટૂંક સમયમાં છૂટાછેડા લેવાના છે.
બચ્ચન પરિવારમાં પુત્રવધૂ ઐશ્વર્યા રાયની અવગણના - એવું કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી બચ્ચન પરિવાર તેમની વહુ ઐશ્વર્યા રાયની અવગણના કરી રહ્યો છે.
તાજેતરમાં આના પુરાવા પણ જોવા મળ્યા છે. આ વર્ષે ગણેશ ચતુર્થીના અવસર પર ઐશ્વર્યા રાય તેની માતા અને પુત્રી આરાધ્યા બચ્ચન સાથે ભગવાન ગણેશના દર્શન કરવા પહોંચી હતી. તેમની સાથે બચ્ચન પરિવારનો કોઈ સભ્ય હાજર ન હતા.

જયા બચ્ચન અને ઐશ્વર્યા રાયની બોન્ડિંગ - મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જયા બચ્ચન તેમની વહુ ઐશ્વર્યા રાય બચ્ચનને ક્યારેય પસંદ નથી કરતા. જોકે, જયા બચ્ચને એકવાર ઐશ્વર્યા સાથેના તેના સમીકરણ વિશે વાત કરી અને તેના શબ્દોએ બધાને ચોંકાવી દીધા હતા.
હું ઐશ્વર્યા રાયની પીઠ પાછળ રાજનીતિ નથી કરતી - રેડિફને આપેલા ઈન્ટરવ્યુમાં જયા બચ્ચને જણાવ્યું હતું કે, તે ઐશ્વર્યા રાયની પીઠ પાછળ કોઈ રાજનીતિ નથી કરતી. તેણીને જે કહેવું હોય તે તે સામે કહે છે.
જયા બચ્ચને જણાવ્યું હતું કે, જો મને ઐશ્વર્યા વિશે કંઈ પસંદ નથી, તો હું તેની સામે જ કહી દઉં છું. હું તેની પીઠ પાછળ રાજકારણ નથી કરતી. જો તે મારી સાથે અસંમત હોય, તો તે પોતાની જાતને વ્યક્ત કરે છે.
મારી સાથે વધુ સન્માનપૂર્વક વર્તવું જોઈએ - જયા બચ્ચને ખુલાસો કર્યો હતો કે, તે ઇચ્છે છે કે તેની વહુ ઐશ્વર્યા રાય તેની સાથે વધુ સન્માનપૂર્વક વર્તે. મને થોડું વધારે સન્માન મળવું જોઈએ.
જયા બચ્ચને જણાવ્યું હતું કે, ભલે તે થોડી વધુ નાટકીય હોય, પણ તે હજુ પણ ઇચ્છે છે કે, ઐશ્વર્યા માટે આદરણીય રહે. એકબીજા માટે આટલો પ્રેમ હોવા છતાં ઐશ્વર્યા રાય અને બચ્ચન પરિવાર વચ્ચેનો અણબનાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચેના સંબંધો - જો લોકોનું માનીએ તો બચ્ચન પરિવાર, જે એક સમયે તેમની વહુ ઐશ્વર્યા રાય પર પ્રેમ વરસાવતો હતો, તેણે અચાનક તેની સાથે જોવાનું ટાળવાનું શરૂ કરી દીધું છે.
જયા બચ્ચન સ્પષ્ટપણે પુત્રવધૂ ઐશ્વર્યા રાયની અવગણના કરતી જોવા મળે છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન છૂટાછેડા લેવા જઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી બંનેમાંથી કોઈએ આ વાત સ્વીકારી કે નકારી નથી.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા









Click it and Unblock the Notifications
